નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સુરતને મળશે ૧૭ નવા બ્રિજની ભેટ


 
આજે પાલિકાનું આગામી વર્ષનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાશે

ચાલુ વર્ષે વિકાસકામો પાછળ ૧૩૪૫ કરોડમાંથી ફકત ૩૪૫ કરોડ જ ખર્ચી શકાયા

બજેટનું કદ રૂ.૩ હજાર કરોડની જેટલું રખાશે

૧૭થી વધુ બ્રિજ, ઓવરબ્રિજની જોગવાઈ


પાલિકાના તંત્રે આગામી વર્ષ માટેનું ડ્રાફ્ટ બજેટની દરખાસ્ત તૈયાર કરી દીધી છે. માત્ર ફાયનલ ટચ આપીને બુધવારે સવારે તેની જાહેરાત કરાશે. જોકે,ચાલુ વર્ષે રૂપિયા ખર્ચવામાં પનો ટૂંકો પડ્યો હોઈ આગામી બજેટમાં વિકાસકામો પાછળ(કેપિટલ ખર્ચ) છુટ્ટાહાથે જોગવાઈ કરવાનો પ્રયાસ કરાયો છે, તેમાં પણ બ્રિજ-ફ્લાયઓવર પાછળ મહત્તમ રૂપિયા ફાળવાય તેવો વર્તુળોએ સંકેત આપ્યો છે. એટલે, બુધવારે જાહેર થનારા ત્રણેક હજાર કરોડનું કદ ધરાવતા બજેટના મુસદ્દામાં બ્રિજ, ફ્લાયઓવર્સ અને બ્યુટિફિકેશનના પ્રોજેક્ટસની ભરમાર હશે.

નવા ૧૭ જેટલા બ્રિજ-ઓવરબ્રિજ હશે

હાલમાં ૩૪૫ કરોડના જે કામ થયાં છે. તેમાં બ્રિજના કામો મુખ્ય રહ્યાં છે. એટલે, હવે આગામી વર્ષના આયોજનમાં પણ ખર્ચ કરવા માટે બ્રિજ વિભાગ જ મહત્વનું માધ્યમ બને તેમ છે. પાલિકાના વર્તુળોનું કહેવું છે કે, સૌથી વધુ બ્રિજ અને ઓવરબ્રિજ માટેની જોગવાઈ પણ આ વખતના બજેટમાં હશે. આગામી વર્ષમાં ૧૭ જેટલાં બ્રિજ-ઓવરબ્રિજ બનાવવા માટેની જોગવાઈ કરાશે.

નવા ડ્રાફ્ટ બજેટનું કદ ત્રણ હજાર કરોડની નજીક

ચાલુ વર્ષની જોગવાઈઓ જ ૭૫ ટકા જેટલી બાકી રહી ગઈ છે, ત્યારે આગામી બજેટમાં સિટી બાયપાસ એક્સપ્રેસ-વે, બ્રિજ સાથેનો રબર બલૂન પ્રોજેક્ટ જેવા બે-ત્રણ મસમોટા પ્રોજેક્ટ હશે. બજેટનું કદ ૩ હજાર કરોડની આસપાસ રહેશે.

મેયર પણ ચોકબજાર પાસે ટ્રાફિકમાં અટવાયા!

દરરોજ સાંજે અને સવારે પીક અવર્સમાં ચોકબજારથી હોડી બંગલા સુધી ચક્કાજામ સર્જાય છે, તેમાં સામાન્ય લોકો તો રોજ ફસાય છે પણ મંગળવારે મેયર પણ ભેરવાયા હતાં. સાંજે મેયર રાજેન્દ્ર દેસાઈ સવા પાંચ વાગ્યાની આસપાસ ચોકબજારથી મુગલસરાઈ ખાતે આવતાં હતાં ત્યારે જ ભારે ચક્કાજામ સર્જાયો હતો. વીસેક મિનિટ સુધી મેયરની કાર ટ્રાફિકમાં ફસાઈ હતી. એક જ જગ્યાએ કાર ફસાઈ જતાં મેયર અકળાયા હતાં. એટલે, તેમણે કારની સાયરન ચાલુ કરાવીને રસ્તો િકલયર કરાવ્યો હતો. જોકે, પાલિકામાં આવીને તેમણે અધિકારીઓને આ વિસ્તારમાં થતાં કાયમી ચક્કા જામને અટકાવવા માટે વિકલ્પ શોધવા માટેની મૌખિક સુચના આપી હતી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !