નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એક સામાન્ય ખેડૂતે બનાવી ભંગારમાંથી 'ખાસ મશિન'

 
'આવશ્યકતા આવિષ્કારની જનની છે' આ પંક્તિઓને ટીકમગઢ જિલ્લાના માંડૂમર ગામના એક ખેડૂત ગોવિંદ દાસે સાબિત કરી દેખાડી છે.

વિજળીની સમસ્યાથી પરેશાન ગામના લોકો માટે અનાજ પીસવા તેણે સાઈકલની મદદથી પેડલ ચલાવી ઘરઘંટી બનાવી છે. જે વિજળી વગર ચાલે છે.

તેમજ તે ઈલેક્ટ્રિક ઘંટીથી કંઈ કમ નથી. તેની મદદથી આખાં ગામના ઘઉં પીસી શકાય છે.

ફક્ત 9માં ધોરણ સુધી ભણેલા માંડૂમર ગામનાં 48 વર્ષિય ખેડૂત ગોવિંદ દાસ ખંગારએ ઘરમાં પડેલા ભંગાર સમા પાઈપ, સાઈકલની સીટ, પેન્ડલ, ન બોલ્ટની મદદથી આ પેન્ડલ ઘરઘંટીનો આવિષ્કાર કર્યો છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !