નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

NIDની આ શોધ અમદાવાદીઓની આદત બદલી નાખશે!

- અમદાવાદીઓ હવે રિક્ષાવાળાઓ સાથે ભાડાં અંગેની દલીલ નહીં કરી શકે
- રીક્ષાવાળા પણ આ શોધ પછી મુસાફરોને છેતરી નહીં શકે
- જીપીએસ આધારિત આ સાધન મુસાફર અને રિક્ષાચાલકોને ઉપયોગી સાબિત થશે

અમદાવાદસ્થિત વિશ્વસ્તરની એકમાત્ર સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ની એક છાત્રાએ કરેલી શોધને કારણે અમદાવાદીઓની એક આદત સમૂળગી બદલાઇ શકે તેમ છે. NIDની છાત્રા પલક ગુપ્તાએ જીપીએસ આધારિત એવું સાધન બનાવ્યું છે કે જે સ્થળનું અંતર બતાવવાની સાથે ત્યાં સુધીનું ભાડું પણ દર્શાવી શકે તેમ છે. પલકે આ સાધન અમદાવાદના રિક્ષાચાલકોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે.

મોટાભાગે અમદાવાદીઓ અને અમદાવાદમાં આવનારા બહારના લોકોને રિક્ષાચાલકોનો યાદગાર અનુભવ થાય છે. તેમાં પણ અમદાવાદીઓ અને રિક્ષાચાલક વચ્ચે ભાડાં બાબતે થતી તકરાર એ સામાન્ય બાબત બની ગઇ છે. કેટલાક શહેરજનોને તો રિક્ષાભાડાં અંગે દલીલ કરીને જ ભાડું આપવું ગમે છે.

જો પલક ગુપ્તાએ તૈયાર કરેલું રિક્ષાભાડું બતાવતું આ સાધન રિક્ષામાં ફિટ કરી દેવામાં આવે તો જે સ્થળે જવું હોય તે સ્થળનું અંતર અને ભાડું પણ તે દર્શાવી છે. આ સાધનના ઉપયોગને કારણે રિક્ષાચાલકો મુસાફરો પાસેથી વધુ ભાડું તો નહીં જ વસૂલી શકે પણ સાથે સાથે અમદાવાદીઓ પણ રિક્ષાવાળાઓ સાથે ભાડાંની બાબતે દલીલ કે તકરાર નહીં કરી શકે.

આ અંગે પલકે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં રિક્ષાવાળાઓ અને મુસાફરો વચ્ચે દરરોજ થતી તકરારો જોઇને તથા તેને પોતાને થયેલા કેટલાક અનુભવના આધારે તેણે આ પ્રકારનું સાધન બનાવવાનો વિચાર આવ્યો હતો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!