નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આગળ વધવાની આ રહી અદભૂત પદ્ધતિ...!

સામાન્ય રીતે શરીરને નુકસાન ન પહોંચાડવાનો અહીંસાનો અર્થ સમજી શકાય છે. જ્યારે ધર્મશાસ્ત્રોની દ્રષ્ટિએ અહીંસા શરીરને જ નહીં પણ મન, વિચાર અને વાણીથી પણ થાય છે. આ કારણે જ દુનિયાના બધા ધર્મ દરેક પ્રકારની હિંસાને નકારે છે. માનવીય જીવન માટે અહિંસા એટલી જ અહેમ માનવામાં આવે છે જેટલુ સત્યનું પાલન.

આ બાબતમાં વ્યાવહારિક દ્રષ્ટિએ ખાસ કરીને આજની યુવાપેઢીની વાત કરીએ તો એમાં સફળતા માટે જોશ અને ઉત્સાહ જોવા મળે છે, જે તેને કામયાબ પણ બનાવે છે. પરંતુ અનેક યુવાવાણી, વિચાર કે વ્યવહારમાં આક્રમકતા અર્થાત્ હિંસાને પણ સફળતાનું સૂત્ર માને છે. જ્યારે એવા રસ્તા અપનાવવો જીવન માટે ઘાતક પણ હોઈ શકે છે. યુવાઓમાં હિંસાનો આ ભાવ મોટાભાગે ત્યારે જ સામે આવે છે, જ્યારે કંઈક જલદી મેળવવાની ઈચ્છા હોય, અસફળ થઈ જઈએ કે સંયમ ખોઈ દઈએ. તેનાથી બચવા માટે જ સચોટ ઉપાય ધર્મમાં અહિંસાને બતાવવામાં આવ્યું છે. અહિંસા જીવનમાં પ્રગતિ માટે ગમે તે રીતે ફાયદેમંદ સાબિત થઈ શકે છે. જાણો...

-અહિંસાની વાત કરનાર મોટાભાગે ડરપોક કે ભીરૂ માનવામાં આવે છે. વાસ્તવમાં અહિંસા તમને નિર્ભય કરી શકે છે. કારણ કે તે બદલાનો ભાવ પેદા થવા દેતી નથી.

-પરિવારમાં બોલ, વ્યવહાર કે વિચારોમાં અહિંસાનો ભાવ કલેશને દૂર કરે છે, જે મેળઝોલ અને વિશ્વાસ બનાવી રાખે છે. જેને તમે સકારાત્મક ઊર્જાથી ભરીલા રહી શકો.

-અહિંસાનો ભાવ તમને માનસિક દોષોથી દૂર રાખે છે. મન પોતાના લક્ષ્યની પ્રત્યે વધારે સ્થિર અને એકાગ્ર હોય છે.

-સામાજિક સ્તરે પણ અહિંસા આપસી પ્રેમ, સૌહાર્દ અને ભરોસો વધારે છે.

-અહિંસા તમને તણાવ, બૈચેની અને નકામી ગૂચવણોથી બચાવે છે.

વ્યાવહારિક જીવનની દ્રષ્ટિએ અનેક લોકોને આ અશક્ય લાગે છે કે મન, વચન અને કર્મની હિંસાથી પૂરી રીતે બચી શકાય છે. પરંતુ દુનિયામાં ધર્મ ઈતિહાસમાં દેવ અવતારોથી લઈ મહાપુરુષો સુધીના પ્રસંગ સાબિત કરે છે કે અહિંસાથી સફળતા અને સન્માન મેળવવું શક્ય અને આસન પણ છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!