નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાતમાં 4.3 ટકા કન્યાઓ પણ તમાકુની બંધાણી

- ગુજરાતમાં શાળાના 29.3 ટકા વિદ્યાર્થીઓને તમારુની લત
- રાજ્યમાં વ્યસનીઓની સંખ્યા વધી રહી છે
- ગુજરાતમાં અંદાજે 110 વ્યક્તિ વ્યસનને કારણે મોતને ભેટે છે

આવતીકાલે જ્યારે સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાશે ત્યારે ગુજરાતમાં તમાકુના વ્યસનીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આંકડાકીય માહિતી અનુસાર ગુજરાતમાં બાળકોમાં તમાકુનું વ્યસન વધી રહ્યું છે. ગુજરાતમાં 4.3 ટકા કન્યાઓ પણ તમાકુની બંધાણી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર દેશમાં તમાકુના સેવનથી થતાં વિવિધ રોગને કારણે દરરોજ સરેરાશ 2200 લોકો મૃત્યુ પામે છે જ્યારે ગુજરાતમાં આ સંખ્યા 110 વ્યક્તિઓની છે.

તાજેતરમાં કરાયેલા એક સર્વેક્ષણ અનુસાર રાજ્યની વિવિધ શાળામાં અભ્યાસ કરનારા 29.3 ટકા વિદ્યાર્થીઓને તમાકુની લત લાગી છે. જ્યારે 4.3 ટકા વિદ્યાર્થિનીઓને પણ તમાકુની વિવિધ બનાવટોનું સેવન કરવાની આદત પડી છે. આ ઉપરાંત 46.2 ટકા પુરુષો અને 11.3 ટકા મહિલાઓ તમાકુનું સેવન કરે છે.

આ અંગે ગુજરાતના આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લોકોમાં તમાકુથી થતાં નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યા છે.

તેમણે માહિતી આપી હતી કે 31મી મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસથી અમદાવાદ અને ગાંધીનગરમાં ફ્લાઇંગ સ્કવોડ શરૂ કરવામાં આવશે. જેનું કામ જાહેરસ્થળો પર જનજાગ-તિ ફેલાવવાનું રહેશે તથા જરૂર પડશે તો જાહેરમાં તમાકુનું સેવન કરનારા સામે કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે.
 

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!