નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નથી હોતું સ્વર્ગ કે નર્ક, વૈજ્ઞાનિકોનો દાવો

અત્યાર સુધી આ એક કોયડો જ બનેલો હતો કે મૃત્યુ પછી મનુષ્યનો જીવ ક્યા જાય છે. જો કે દુનિયાના સૌથી લોકપ્રિય વૈજ્ઞાનિકો અને વિચારકોમાં સામેલ સ્ટિફન હોકિંગ્સે દાવો કર્યો છે કે સ્વર્ગ અને મૃત્યુ પછીની વાતો માત્ર પરીઓની વાર્તામાં હોય છે.

તેમણે પોતાના બહુચર્ચિત પુસ્તક "અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઈમ"માં લખ્યું છે કે જ્યારે માસ્તિષ્ક મરી જાય છે તેના પછી કોઈ અસ્તિત્વ નથી રહેતું. આ સ્વર્ગ અને નર્કની વાર્તાઓ માત્ર મૃત્યુથી ડરતા લોકો માટે ઘડવામાં આવી છે.

તે પોતે 21 વર્ષની ઉંમરથી મોટર ન્યૂરોન નામની બીમારીનો શિકાર છે. તેમણે કહ્યું કે "હું પાછલા 50 વર્ષથી હું અકાળ મૃત્યુની શંકા સાથે જીવી રહ્યો છું. મને મૃત્યુથી બીક નથી લાગતી પણ મને મરવાની કોઈ ઉતાવળ પણ નથી."

તેમણે કહ્યુ કે હું મગજને કમ્પ્યૂટર માનું છું જે તેના અલગ અલગ વિભાગોના ફેઈલ થઈ જવા પર કામ કરવાનું બંધ કરી દે છે. મગજના ફેઈલ થયા પછી સ્વર્ગ અને મૃત્યુ પછીના જીવનની કોઈ સંભાવના નથી વધતી.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!