નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

“હવે વિશ્વના લોકો ગુજરાતને પોતાનું ઘર બનાવશે”

ભરૂચના દહેજ સેઝમાં ડેન્માર્કની રોકસુલ-રોકવુલ કંપનીનું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ડેન્માર્કની રોકસુલ-રોકવુલ કંપનીનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતમાં વાઇબ્રન્ટ ઇકોનોમી પોલીસીને કારણે આવનારા દિવસોમાં વિશ્વના અનેક દેશોની કંપનીઓ ગુજરાતમાં હશે.

મુખ્યમંત્રી મોદીએ ગુજરાતના લોકોની વેપારની સૂઝનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, વર્ષો અગાઉ ગુજરાતીઓ વેપાર-ધંધા માટે દરિયાપારના દેશોમાં જઇને વસ્યા હતા. એટલું જ નહીં ગુજરાતીઓએ વિશ્વને પોતાનું ઘર બનાવી દીધું હતું. પરંતુ હવે સમય બદલાયો છે. ગુજરાતમાં વેપાર-ધંધા, ઉદ્યોગની ખુલી રહેલી નવી ક્ષિતજિને કારણે વિશ્વની અનેક કંપનીઓ ગુજરાતમાં મૂડી રોકાણ કરી રહી છે.

મુખ્યમંત્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, વર્ષો અગાઉ જેમ ગુજરાતીઓએ વેપાર-ધંધા માટે વિશ્વને પોતાનું ઘર બનાવ્યું હતું, હવે આગામી વર્ષોમાં વિશ્વના લોકો ગુજરાતને પોતાનું ઘર બનાવે એ દિવસો દૂર નથી.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!