નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગાજરનું અથાણું

ગાજરનું અથાણું


સામગ્રી:

5 ગાજર - ૫ નંગ
1 1/5 ટીસ્પૂન મીઠું - દોઢ ચમચી
1 1/5 ટીસ્પૂન રાઇના કુરિયા - દોઢ ચમચી
1 ટીસ્પૂન મરચું - ૧ ચમચી
1/2 ટીસ્પૂન હળદર - અડધી ચમચી
1 ચપટી હિંગ - ચપટી
1 ટેબલસ્પૂન લીંબુનો રસ - ૧ ચમચો
1 ટેબલસ્પૂન સરસિયું - ૧ ચમચો

રીત:

- ગાજરને સારી રીતે છોલીને તેના બે ઇંચ લંબાઇ ધરાવતા ટુકડા કરો.
- તેને ધોઇને સ્વચ્છ ટુવાલમાં લપેટી લો જેથી બધું પાણી શોષાઇ જાય.
- અથાણાં માટેની બધી સામગ્રી અને ગાજરને બરાબર મિકસ કરીને કાચની બરણીમાં ભરી લો.
- તેને એક દિવસ તાપમાં મૂકી દો.
- બીજા દિવસે તે ખાવા માટે તૈયાર થઇ જશે.
- આ અથાણું ફ્રીજમાં લગભગ બે અઠવાડિયાં સુધી સારું રહે છે.

નોંધ : તમે ઇચ્છો તો આ અથાણાંમાં લીલાં મરચાંની ચીરીઓ પણ નાખી શકો છો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!