નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાતની આ વાત જાણીને બિગ બીની છાતી ગજ-ગજ ફૂલી!

અમિતાભ બચ્ચન ગુજરાત ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર છે. જ્યારે બિગ બીને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા ત્યારે અનેક લોકોએ ટિકા કરી હતી.

જોકે, તે સમયે અમિતાભ શાંત રહ્યા હતા. તાજેતરમાં ગુજરાત ટુરિઝમ વિભાગે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે, તેમ જણાવ્યું હતું. સરકાર આનો શ્રેય 'ખુશ્બુ ગુજરાત કી' કેમ્પેઈનને આપી રહ્યું છે.

અમિતાભ બચ્ચન આ વાતને લઈને ઘણાં જ ખુશ છે. તેમણે ગુરૂવારના રોજ ટ્વિટર પર આને લઈને ટ્વિટ પણ કરી છે.

અમિતાભે સૌ પહેલા ટ્વિટ કરી હતી કે, આ વાત જાણીને ખુશ થયો...શંકાશીલ, ટીકાકારો, પ્રતિસ્પર્ધીઓને આનો જવાબ...

પછી બિગ બીએ ટ્વિટ કરી હતી કે, ચૂપચાપ કામ કરવાની મજા જ અલગ છે. અંતે તમામ નકારાત્મક વાતો ખોટી સાબિત થઈ.

બિગ બી આગળ કહે છે કે, કેમ્પેઈન કર્યું ત્યારે કઠોર રીતે વાતો કરવામાં આવતી હતી પરંતુ શાંતિ કામ કર્યું અને હવે પરિણામ સામે છે. શાંત માણસના જનૂનથી સાવધાન રહેવાની જરૂર છે...

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !