નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે ઇન્ટરનેટથી જાણો, ક્યાં સુધી પહોંચી તમારી ટ્રેન!

-આઇઆઇટી કાનપુર દ્વારા સિમરન એટલે કે સેટેલાઇટ ઇમેજિંગ ફોર રેલવે નેવિગેશ પ્રણાલી તૈયાર કરવામાં આવી છે
- તેના દ્વારા ઇન્ટરનેટ પર ટ્રેનની સ્થિતિની ખબર પડી શકશે
- આ પ્રયોગના રૂપમાં હાલ 12 મુખ્ય રેલવેગાડીઓ લગાવામાં આવી છે
- આ પ્રણાલીની અંતર્ગત ટ્રેનમાં એક જીપીઆરએસ સાધન લગાવામાં આવશે, જે રેલવેના માસ્ટર સર્વર સાથે જોડાશે
રેલવેમાં મુસાફરી કરવા માટે હવે ઇન્ટરનેટ પર ખાસ સર્વિસ ઉપલબ્ધ થશે. જો કે વાત એમ છે કે આઇઆઇટી કાનપુર દ્વારા સિમરન એટલે કે સેટેલાઇટ ઇમેજિંગ ફોર રેલવે નેવિગેશ પ્રણાલી તૈયાર કરવામાં આવી છે. તેના દ્વારા ઇન્ટરનેટ પર ટ્રેનની સ્થિતિની ખબર પડી શકશે. આ પ્રયોગના રૂપમાં હાલ 12 મુખ્ય રેલવેગાડીઓ લગાવામાં આવી છે.

આ પ્રણાલીની અંતર્ગત ટ્રેનમાં એક જીપીઆરએસ સાધન લગાવામાં આવશે, જે રેલવેના માસ્ટર સર્વર સાથે જોડાશે. દરેક સ્ટેશન પર ડિસ્પ્લે બોર્ડથી ટ્રેનની તાજા સ્થિતિની ખબર પડતી રહેશે. લોકોને ઘરે બેઠા ઇન્ટરનેટ પરથી માલૂમ પડી જશે કે કંઇ ટ્રેન, ક્યાં સમયે ક્યાં છે. એક ખાસ વાત એ પણ છે કે મોબાઇલ ફોન પર એસએમએસ થી પણ માહિતી મળી શકશે.

કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ મંત્રાલય તરફથી અનુમતિ મળ્યા બાદ આવતા છ મહિનામાં દેશની લગભગ તમામ ટ્રેનમાં તે સ્થાપિત કરાશે. આઇઆઇટીના નિર્દેશક પ્રો સંજય ગોવિંદ ધાંડે જણાવ્યું કે રેલવે એ સુરક્ષાના કારણોથી આ પ્રોજેક્ટને તમામ ટ્રેનમાં લગાવતા પહેલાં ગૃહ મંત્રાલયમાંથી સંમતિ માંગી છે. જો કે ધાંડેના મતે તેનાથી રેલવેની સુરક્ષીને કોઇ ખતરો થવાની શક્યતા ના ની બરાબર છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!