નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ સ્ત્રીઓ માટે મનમાં પાપ ના રાખતા..!

નવરાત્રિમાં શક્તિની ઉપાસનાની સાથે શારદીય નવરાત્રિમાં ભગવાન રામની પણ આરાધના કરવામાં આવે છે. વાસ્તવિકમાં શક્તિ અને શ્રી રામની ઉપાસના પાછળનો સંદેશ એ પણ છે કે જીવનમાં સફળતા પામવા માટે શ્રેષ્ઠ અને મર્યાદિત ચારિત્ર્ય અને વ્યક્તિત્વ પણ એટલું જ જરૂરી છે.

આ રીતે નવરાત્રિ અને વિજયા દશેરામાં શક્તિની સાથે મર્યાદાના મહત્વ તરફ પણ ઇશારો કરે છે. ખાસ કરીને શક્તિના મદમાં સંબંધો અને પદની મર્યાદા ભુલ્યા વગર દુર્ગતિથી બચવામાં જ દુર્ગા પૂજાની સાર્થકતા રહેલી છે. જગતજનની આ સ્વરૂપ વ્યવહારિક જીવનમાં સ્ત્રીને માનવામાં આવે છે.

આ જ કારણ છે કે વેદ – પુરાણોમાં 16 સ્ત્રીઓને મા સમાન દ્રષ્ટિ જોવા અને તેમને સન્માન આપવા પર ભાર આપવામાં આવ્યો છે. કઇ છે આ સ્ત્રીઓ જાણો

स्तनदायी गर्भधात्री भक्ष्यदात्री गुरुप्रिया।

अभीष्टदेवपत्नी च पितु: पत्नी च कन्यका।।

सगर्भजा या भगिनी पुत्रपत्त्नी प्रियाप्रसू:।

मातुर्माता पितुर्माता सोदरस्य प्रिया तथा।।

मातु: पितुश्र्च भगिनी मातुलानी तथैव च।

जनानां वेदविहिता मातर: षोडश स्मृता:।।

જેનો અર્થ છે કે વેદમાં નીચે બતાવેલી 16 સ્ત્રીઓ મનુષ્ય માટે માતાઓ છે - 


સ્તનથી દુધ પીવડાનારી માતા, ગર્ભવતી, ભોજન આપનારી, ગુરૂમાતા, ઇષ્ટદેવની પત્ની, પિતાની પત્ની એટલે કે સાવકી માતા, પિતૃકન્યા એટલે કે સાવકી બહેન, સગી બહન, પુત્રવધુ એટલે કે વહુ, સાસુ, નાની, દાદી, ભાઇની પત્ની, માસી , ફોઇ અને મામી

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!