નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પીએફ એકાઉન્ટ હોલ્ડર્સ હવે થઈ જશો માલામાલ

નવી દિલ્હી. ભારતભરના કરોડો કર્મચારિઓ માટે આ એક સારા સમાચાર છે એમ કહો કે દિવાળી ભેટ છે, કેમ કે આ વખતે પણ તમને ખાસ્સુ વધારે વ્યાજ મળશે.

એમ્લૉયીઝ પ્રૉવિડેન્ટ ફંડ ઑર્ગેનાઇજેશન (ઈપીએફઓ)આ વર્ષે પણ કર્મચારિઓને વધારે સારૂ વ્યાજ આપવા અંગે વિચારી રહ્યું છે. જણાવામાં આવી રહ્યું છે તેઓ આ વર્ષે એટલે કે વર્ષ 2011-12માં પણ 9% વ્યાજ દેવાની તૈયારીમાં છે. તેનુ કારણ છે કે આ વર્ષે લોકોએ ફંડમાંથી પૈસા ઓછા નીકાળ્યા અને બજારમાં વ્યાજ દરો પણ વધારે રહીં.

- વર્ષ 2010-11માં પીએફ એકાઉન્ટ હોલ્ડર્સને 9.5% વ્યાજ મળ્યુ હતુ
- ઈપીએફઓ ભારતભરના કરોડો કર્મચારિઓના ખાતાઓને મેન્ટેન કરે છે
- આ વર્ષે 9%વ્યાજ દેવાનો મુદ્દો સેન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટિઓ સામે રાખવામાં આવશે
- આ અગાઉ પીએફ એકાઉન્ટ હોલ્ડર્સને 8.5 ટકા વ્યાજ મળ્યુ હતુ


વર્ષ 2010-11માં પીએફ એકાઉન્ટ હોલ્ડર્સને 9.5% વ્યાજ મળ્યુ હતુ, જોકે તેના માટે ઈપીએફઓને નાણા મંત્રાલય સાથે ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ અગાઉ પીએફ એકાઉન્ટ હોલ્ડર્સને 8.5 ટકા વ્યાજ મળ્યુ હતુ. નાણા મંત્રાલયની અનિચ્છા હોવા છતા ઈપીએફઓએ વ્યાજ દરો વધારે રાખીને કર્માચારિઓને વધારે વ્યાજ આપ્યું હતુ.

ઈપીએફઓ ભારતભરના કરોડો કર્મચારિઓના ખાતાઓને મેન્ટેન કરે છે તેઓ દર વર્ષે પરિસ્થિતિઓ પ્રમાણે વ્યાજ દરો નક્કી કરે છે. તેઓ પોતાના સુચનો સેન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટીને આપે છે જે તેની ઉપર અંતિમ નિર્ણય લે છે.

ઈપીએફઓના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે આ વર્ષે 9%વ્યાજ દેવાનો મુદ્દો સેન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટિઓ સામે રાખવામાં આવશે. આશા છે કે તેઓને તેની ઉપર કોઈ વાંધો નહીં હોય. ભારતભરના કર્મચારિયોના ત્રણ લાખ કરોડ રૂપિયા પ્રૉવિડેન્ટ ફંડમાં જમા છે અને તેને મુડી બજારમાં લગાવાને લઈને મોટેભાગે વિવાદો થતા રહે છે.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં