નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

યાદશક્તિ કેવી રીતે વધે?

ઘણી વાર એવું લાગે છે કે હવે ઉંમર વધવાની સાથે યાદશક્તિ ઘટી રહી છે, કોઇ બાબત લાંબો સમય યાદ નથી રહેતી. આવું બને ત્યારે જો ખોરાકમાં થોડી કાળજી રાખીને યોગ્ય આહાર અને વિટામિન લઇએ તો યાદશક્તિ વધારી શકાય છે.

ઉંમરના વધવાની સાથે મોટી ઉંમરના લોકોની યાદશક્તિ ઓછી થવામાં વિટામિન ‘બી’ મહત્વનો ભાગ ભજવે છે. જેઓનું વિટામિન B12 ઓછું હોય તેમને અમુક શબ્દો જલદી યાદ આવતા નથી. ઉપરાંત, વિટામિન B9 (ફોલેટ) ઓછું હોય તેમની યાદશક્તિ ઓછી થઇ જાય છે. આથી જો ફોલેટ અને B12 ભેગાં કરીને લેવામાં આવે તો યાદશક્તિમાં વધારો થાય છે.

ફોલેટ શું છે?

ફોલેટ એક પ્રકારનું વોટર-સોલ્યુબલ વિટામિન છે, જે ખોરાકમાંથી મળી શકે છે. ફોલિક એસિડ એ ફોલેટનું સિન્થેટિક ફોર્મ છે, જે સપ્લિમેન્ટમાં મળે છે અને ફોર્ટિફાઇડ ખોરાકમાં ઉમેરવામાં આવે છે.
ફોલેટ નવા સેલ બનાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત સેલ ડિવિઝન DNA, RNAના સેલ્સ બનાવવા માટે પણ ઉપયોગી છે. લાલ રક્તકણો બનાવવા માટે ફોલેટ ઉપયોગી છે.

ફોલેટ શેમાંથી મળે?

લીલા પાંદડાવાળા શાકભાજી (પાલક, મેથી), ફળ જેવાં કે નારંગી, સૂકા બીન્સ, વટાણા વગેરેમાંથી ફોલેટ મળે છે.

વિટામીન B12

જ્યારે શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ઇ૧૨ નથી મળતું, ત્યારે તેની ડેફિશિયન્સી ઊભી થાય છે. વિટામિન B12ની ડેફિશિયન્સીથી મગજની યાદશક્તિ ઓછી થાય છે. દૂધ અને દૂધમાંથી બનાવવામાં આવેલી વસ્તુઓમાંથી B12 સૌથી વધુ મળે છે અને જ્યારે ફોલેટ અને B12થી ભરપૂર વાનગી બનાવવામાં આવે એટલે કે લીલાં શાકભાજી અને દૂધમાંથી બનાવેલી વાનગી ભેગી બને જેમ કે, પાલક-પનીરનું શાક અથવા ફ્રુટનો શ્રીખંડ, તો તે મગજના કોષોને ઘણો ફાયદો કરે છે.

આ ઉપરાંત, વધુ પડતા સ્ટ્રેસ અને ઓબેસિટી પણ મગજના પોષણને અસર કરે છે. જેમ ઉંમર વધતી જાય છે, તેમ બ્રેઇન પાવર ઓછો થતો લાગે છે.

મગજને હળવું અને શાંત રાખવા આટલું કરો

- બને તેટલા પ્રમાણમાં હેલ્ધી ખોરાકનો ઉપયોગ કરો.

- મન શાંત રાખો અને સ્ટ્રેસથી દૂર રહો.

- કોઇ પણ મિટિંગમાં અથવા પરીક્ષા આપવા જતાં પહેલાં ત્રણ મિનિટ માટે ચ્યૂઇંગ-ગમ ચાવવામાં આવે તો સ્ટ્રેસ ઓછો થાય છે.

- હળવું સંગીત સાંભળવાથી મન શાંત થાય છે.

- મગજને ફિટ રાખવા માટે નિયમિત કસરત કરો. કસરતથી endorphins થાય છે. ચાલવાથી, એરોબિક કસરતથી બ્રેઇન પાવર વધે છે.

- દિવસની શરૂઆત હેલ્ધી નાસ્તાથી કરો. જેમાં દૂધ, દૂધમાંથી બનાવેલી વસ્તુ, આખા અનાજનો ઉપયોગ કરો.

બ્રેઇન પાવર વધારવા આટલું કરો.

- દિવસમાં ૩ થી ૪ વખત ઊંડા શ્વાસ લઇને બહાર કાઢો. જેથી મગજને લોહી મળી રહે.

- વધુ પડતા ચરબીવાળા ખોરાક લેવાના ટાળો. નિકોટિન, આલ્કોહોલથી દૂર રહો.

- નવું-નવું શીખવાનો પ્રયત્ન કરો. નવું શીખતાં રહેવાથી તે માટે નવા ટશિ્યુ બને છે જે મગજને મદદરૂપ થાય છે.

- કામ કરવા હાથની આંગળીનો, વેઢાનો ઉપયોગ કરો. જેમ કે, ભરતકામ કરો, સિતાર વગાડો, લોટ બાંધો, તમારા ગમતાં કામ કરો.

- ક્રોસ પઝલ, સુડોકુ, રુબિક કયુબ, ચેસ વગેરે રમો. તેનાથી માનસિક કસરત થાય છે.

- ખૂબ હસો, હસતાં જ રહો. તેનાથી તમારો મૂડ સારો રહેશે અને મગજ પણ શાંત રહેશે.

શું ખાશો?

બ્રેઇન બુસ્ટર્સ, પાવરફૂડ, ફ્લેકસ સીડઝ, અખરોટ, ઓમેગા-૩ ફેટી એસિડ વધુ ધરાવે છે. તે ઉપરાંત, દિવસ દરમિયાન ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારો. ખાસ કરીને પાલક અને જુદા જુદા રંગોવાળા શાકભાજીનો ઉપયોગ કરો. આ બધા એન્ટિઓક્સિડન્ટ છે અને ઇમ્યુન સીસ્ટમ માટે જરૂરી છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા