નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સવારે જલ્દી ઉઠવું જોઈએ કેમ કે..

24 કલાકનો એક દિવસ અને એક દિવસમાં આપણે અનેક પ્રકારના કાર્યો કરીએ છીએ. દિવસે કાર્ય પૂર્ણ કર્યા બાદ રાત્રે આપણે થાકનો અનુભવ કરીએ છીએ. સારી તંદુરસ્તી માટે યોગ્ય સમય પર ઉંઘી જવું અને યોગ્ય સમય પર ઉઠી જવું ખૂબ જરુરી છે. ઉંઘ લેવાથી સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય છે અને એટલા માટે જ જલ્દી સુઈ જવું અને સવારે સૂર્યોગય પહેલા ઉઠી જવું યોગ્ય રહેશે.


પહેલાના સમયમાં સવારે જલ્દી ઉઠી જવાની પરંપરા હતી. રુષિ મુનીઓ અને વિદ્વાનો અનુસાર બ્રહ્મ મૂહુર્તમાં ઉઠવાનું મહત્વ વિશેષ દર્શાવવામાં આવ્યું છે. રાત્રે અંતિમ પ્રહરને બ્રહ્મ મૂહુર્ત કહેવામાં આવે છે. એ અનુસાર આ સમય સવારે ઉઠવાનો સર્વશ્રેષ્ઠ સમય છે.

એમ માનવામાં આવે છે કે સવારે જલ્દી ઉઠવાથી સૌંદર્ય, બુદ્ધિ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. સવારનું વાતાવરણ આપણી તંદુરસ્તી માટે ફાયદાકારક હોય છે. વાહનોમાંથી નીકળનારો ધુમાડો વાતવારણને પ્રદૂષિત કરે છે . તે આપણા શરીર અને મન બંનેને ફાયદો કરાવે છે. આયુર્વેદ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. શક્તિનો સંચાર પ્રાપ્ત થાય છે. આ જ કારણે આ સમયે વહેનારી વાયુ અમૃત સમાન માનવામાં આવે છે. આ ઉપરાંત અધ્યયન માટે તે સર્વોત્તમ માનવામાં આવે છે. કેમ કે રાત્રે આરામ બાદ સવારે આપણે જ્યારે ઉઠીએ ત્યારે મસ્તિષ્કમાં તાજગી રહે છે. ધાર્મિક કાર્ય પર બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવે છે. આ જ કારણે સવારે આરતી બાદ પૂજનનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા