નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ડરબનમાં ઈતિહાસ રચવાથી ભારત ત્રણ ડગલા દૂર

- ભારત પ્રથમ દાવ: 205
- દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવ: 131
- ભારત બીજો દાવ: 228
- લક્ષ્મણ સદી ચૂક્યો, 96 રને બન્યો સ્ટેઈનનો શિકાર

- દક્ષિણ આફ્રિકા બીજો દાવ: 182/7
ડરબન ટેસ્ટ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાએ ધીમ પરંતુ મક્કમ રમત શરૂ કરી હતી. જો કે શ્રીસંતે દિવસની શરૂઆતમાં જ કાલિકને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી છે.

હાલમાં દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે 182 રન બનાવી લીધા છે. હાલમાં એશ્વેલ પ્રિન્સ 28 અને પોલ હેરિસ 7 રને રમતમાં છે.
ડરબન ટેસ્ટમાં ચોથા દિવસે ભારતીય બોલરોએ તેમનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા ભારતના વિજયની આશાઓ ઉજળી બનાવી છે. ચોથા દિવસે ભારતને જીત માટે સાત વિકેટની જરૂર હતી. તેમાં પણ જેક કાલિસ નામનો પહાડ ભારતની જીત માટે અંતરાય બનશે તેવી આશંકા હતી. પરંતુ શ્રીસંતે દિવસની શરૂઆતમાં જ સેહવાગના હાથમાં કેચ આઉટ કરાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. કાલિસ 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

શ્રીસંતે કાલિસને શિકાર બનાવ્યા બાદ હરભજન સિંહે ડિવિલિયર્સને પોતાની ફિરકીમાં લપેટી લીધો હતો. ડિવિલિયર્સ અંગત 33 રને ભજ્જીના બોલે એલબીડબ્લ્યૂ થયો હતો. આમ ભારતને બે મોટી વિકેટ મળી જતા તેના વિજયની આશાઓ વધુ મજબૂત બની છે.

શ્રીસંત-ભજ્જીની તરખાટ બાદ વારો હતો ઝહિરના ઝંઝાવાતનો. ઝહિર ખાને માર્ક બાઉચર અને ડેલ સ્ટેઈનને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને બે ઝટકા આપ્યા હતા. બાઉચરે 1 અને સ્ટેઈને 10 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતે બીજા દાવમાં શરૂઆતી આંચકાઓ બાદ વેરી વેરી સ્પેશિયલ લક્ષ્મણની ૯૬ રનની અદભૂત ઇનિંગની મદદથી ભારતની ટીમ ૨૨૮ રનનો સ્કોર કરી શકી હતી. જેમાં પ્રથમ દાવની ૭૪ રનની લીડ ઉમેરતા આફ્રિકાને જીતવા માટે ૩૦૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો.

- ભારતીય બોલરો ફરી વખત ઝળક્યા

આફ્રિકાએ શરૂઆતમાં સારી બેટિંગ કર્યા બાદ શ્રીસંતના પેસ એટેકનો સુકાની સ્મિથ અને આધારભૂત બેટ્સમેન અમલા શિકાર બન્યા હતા. જ્યારે ટર્બોનેટરે દ.આફ્રિકન ઓપનર પીટરસનને પેવેલિયન પરત મોકલી દીધો હતો. ત્રીજા દિવસના અંતે દ.આફ્રિકાએ ત્રણ વિકેટના ભોગે ૧૧૧ રન બનાવી લીધા છે. આ મેચ જીતવા આફ્રિકાને હજુ ૧૯૨ રનની જ્યારે ભારતને ૭ વિકેટની જરૂર છે.

- દક્ષિણ આફ્રિકા બીજો દાવ

જીતવા માટે ૩૦૩ રનનો પીછો કરતા બેટિંગમાં ઊતરેલા દ.આફ્રિકાના ઓપનર સુકાની સ્મિથ અને પીટરસને ખૂબ જ સારી શરૂઆત આપી હતી. જોકે ૬૩ રનના કુલ સ્કોરે શ્રીસંતની બોલિંગમાં સુકાની સ્મિથ (૩૭) ધોનીને કેચ આપી બેઠો હતો. ત્યાર બાદ પીટરસન (૨૬) ટર્બોનેટરનો શિકાર બન્યો હતો. ભારત માટે મુશ્કેલી સર્જનાર અમલા પણ ખાસ કશું કરી શક્યો ન હતો અને શ્રીસંતના આઉટ સ્વિંગ બોલ પર ૧૬ રનના વ્યક્તિગત સ્કોરે ધોનીને કેચ આપી બેઠો હતો.

ત્યાર બાદ ક્રિઝ પર ઊભેલા આફ્રિકાના આધારભૂત બેટ્સમેન કાલીસ અને ડી વિલિયર્સે ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. બંને બેટ્સમેનોએ સંયમ સાથે ક્રિઝના બંને છેડા સાચવી રાખ્યા હતા. ખરાબ પ્રકાશના લીધે રમત વહેલી બંધ થઇ ત્યારે ક્રિઝ પર કાલીસ ૧૨ અને ડી વિલિયર્સ ૧૭ રન બનાવી ઊભા હતા. મેચ બંધ રહી ત્યારે આફ્રિકાની ટીમે ત્રણ વિકેટના ભોગે ૧૧૧ રન બનાવી લીધા હતા.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે