નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

શિયાળામાં રાખો ખરતા વાળની સંભાળ

ધૂળ, પ્રદૂષણ અને બદલાતી લાઇફ સ્ટાઇલની અસર આપણા વાળ પર થાય છે. વળી, શિયાળામાં વાળને વધારે સાચવવા પડે છે. બેદરકારી રાખીએ તો વાળ ખરવા લાગે છે અને અકાળે સફેદ પણ થઇ જાય છે.

- શિયાળામાં વાળમાં તેલ નિયમિત નાખવું જરૂરી છે કારણ કે ત્વચાની જેમ વાળ પણ શુષ્ક અને નિસ્તેજ થઇ શકે છે.

- સતત તણાવ, અપૂરતી ઊંઘના કારણે પણ વાળ ખરવા લાગે છે. એટલે જ તણાવને દૂર રાખી પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

- બજારમાં મળતા ભેળસેળવાળા ખાદ્યપદાર્થો આપણા સ્વાસ્થ્ય અને સોંદર્ય બંને માટે નુકસાનકારક છે.

- આંબળા આપણી આંખ અને વાળ બંને માટે ફાયદાકારક છે. રાત્રે આંબળા, શિકાકાઇ અને અરીઠાના પાઉડરને પાણીમાં પલાળીને સવારે આ પાણીથી વાળ ધોવાથી વાળ ભરાવદાર અને કાળા થશે.

- ભીના વાળને ટુવાલથી જોરથી ઘસીને સાફ ન કરો. આનાથી વાળ વધારે તૂટે છે.

- ભીના વાળને પહેલાં મોટા દાંતિયાથી ઓળવા અને વાળમાંથી ગૂંચ નીકળી જાય પછી નાના દાંતાવાળા દાંતિયાથી ઓળવા. જેથી વધારે વાળ તૂટે નહીં.

- વાળની સુંદરતા વધારવા માટે સૌંદર્ય નિષ્ણાતો દેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનું સૂચન કરે છે. જેમાં મધ, દહીં, મુલતાની માટીનો ઉપયોગ ફાયદાકારક હોય છે. વાળ ધોવા માટે દહીં અને લીંબુથી સારી કોઇ વસ્તુ નથી.

- જો તમારા વાળ તૈલી ન હોય તો વાળમાં દહીં લગાવીને થોડી વાર રહેવા દો. પછી પાણીથી ધોઇ નાખો.

- કંડિશનરના બદલે અડધી ડોલ પાણીમાં બે ચમચી મધ ઉમેરી તેનાથી વાળ ધૂઓ.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા