નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

'પ્રેગ્નન્સી રહેતી કેમ નથી?’

સર, ડો.. શ્રેયા બોલું છું. હું છેલ્લા આઠ વર્ષથી અહીં ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. મોટે ભાગે સ્ત્રીઓના વ્યંધ્યત્વના પ્રશ્નોમાં હું સારું કામ કરું છું. આવા જ એક કેસ માટે મારે આપની સલાહ અને માર્ગદર્શન જોઇએ છે.’

‘શ્રેયાબહેન, તમે ખોટી વ્યક્તિને ફોન જોડી દીધો છે. હું તો આયુર્વેદનો વૈદ્ય છું. મારું ગાયનેક વિશેનું નોલેજ ઘણું ઓછું છે અને તેમાં પણ તમારા જેવા મોર્ડન વિજ્ઞાન ભણેલા ડોક્ટરને હું ખરેખર શું મદદરૂપ થઇ શકું? છતાં તમને યોગ્ય લાગતું હોય તો ચોક્કસ તમારા પેશન્ટ વિશે વાત કરીએ.’

‘મારી એક પેશન્ટ, ઉંમર આશરે ૩૪ વર્ષની છે. હું અત્યારે તેની પ્રાઇમરી સ્ટરીલિટી (શરૂઆતના તબક્કાનું વંધ્યત્વ) માટેની સારવાર કરું છું. દર્દીની ઉંમર, શરીરનું બંધારણને ધ્યાનમાં લઇએ તો કોઇ જ રોગ નથી. બહેન શરીરે મીડિયમ બાંધો ધરાવે છે. માસિકની કોઇ મોટી ફરિયાદ નથી. માસિક રેગ્યુલર છે. થોડું ઓછું આવે છે, પણ પેઇનફુલ નથી. ચાર-પાંચ વર્ષથી સારવાર ચાલે છે પણ હવે થોડી ડિપ્રેશનમાં આવી ગઇ હોય તેમ લાગે છે. મેં દર્દીના બધા ચેક-અપ કરાવી લીધા છે. બધા રિપોર્ટ નોર્મલ આવે છે.

બહેનના ગર્ભાશય, ઓવરીઝ અને ફેલોપિયન ટ્યૂબ બધું જ નોર્મલ છે, સ્ત્રીબીજ પણ નિયમિત રીતે બને છે અને છુટું પડે છે. ગર્ભાશયની અંદર પણ કોઇ પ્રોબ્લેમ નથી. બહેનના એચએસજી, ફોલિકયુલર સ્ટડી બધું નોર્મલ છે એટલે મેં તેમના હસબન્ડના શુક્રાણુને લગતા રિપોર્ટ પણ કરાવ્યા, તો તેમનામાં પણ કોઇ કારણ મળતું નથી. બધું જ નોર્મલ છે તો પ્રેગ્નન્સી રહેતી કેમ નથી તે સમજાતું નથી. હમણાં માર્ચ અને એપ્રિલમાં મેં બે વાર આર્ટિફિશિયલ રીતે પ્રેગ્નન્સી રહે તે માટે પણ પ્રયત્ન કર્યા. પણ સફળતા નથી મળી. હમણાં આ પેશન્ટને કોઇ વૈધ્યે કહ્યું છે કે તેનામાં પિત્તદોષ અને વાયુદોષ બગડેલા છે. તેની સારવાર કરાય તો રિઝલ્ટ મળે.

મારે આ પિત્તદોષ અને વાયુદોષની સારવાર શું છે તે જાણવું છે. હવે તમે માર્ગદર્શન આપો તો આ કેસમાં પરિણામ મળી શકે.’ ‘શ્રેયાબહેન, તમે બહુ સરળ ભાષામાં અતશિય અઘરો સવાલ પૂછી લીધો છે. વાત, પિત્ત અને કફ ત્રણ જાતની બાયોએનર્જીના બેલેન્સથી આપણું શરીર કામ કરે છે. આને ત્રિદોષ કહે છે. આ ત્રણમાંથી કોઇપણ એક અથવા વધારે દોષ વધઘટ થાય કે બેલેન્સમાં ન રહે તો રોગ થાય છે. આ ત્રિદોષ વિશે સમજતા વર્ષો નીકળી જાય તેમ છે.

તમારા કેસની વાત કરીએ તો સ્ત્રીબીજ બનવું, ઓવરીમાંથી નીકળવું, ફેલોપિયન ટ્યૂબમાં જવું, શુક્રાણુઓનું ગર્ભાશયમાં પ્રવેશવું અને સ્ત્રીબીજ સાથે ફલિત થવું, આ આખી પ્રક્રિયામાં આ બાયોએનર્જીનો રોલ છે. કેટલાય કિસ્સાઓમાં બધુ જ નોર્મલ હોય છતાં પણ ગર્ભધારણ ન રહે ત્યારે ડોક્ટરો પણ દર્દીને નસીબ પર કે ઇશ્ચર પર વિશ્વાસ રાખવાનું કહે છે. આવા કેસમાં અથવા તો સામાન્ય દર્દીઓ કે જેને પ્રેગ્નન્સી રહેવા માટેની કોઇ જ ફરિયાદ ન હોય તો પણ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા પહેલાં આયુર્વેદ કેટલીક સારવાર સજેસ્ટ કરે છે.

સારો પાક મેળવવા માટે બિયારણ (સ્ત્રીબીજ અને શુક્રાણુઓ), જમીન (ઓવરી, ગર્ભાશય તથા પ્રજનન અવયવો), ખાતર અને પાણી (પ્રજનન અવયવોને મળતું પોષણ અને શરીરના દોષ અને ધાતુઓનું બેલેન્સ) જેવા પરબિળો અગત્યના હોય છે. તમારા દર્દીને પંચકર્મ સારવારની વિરેચનકર્મ તથા બિસ્તકર્મ નામની બે સારવાર કરાવો. પિત્ત અને વાયુદોષને ફરીથી બેલેન્સમાં લાવવા માટે આ ઉત્તમ સારવાર છે. આ પતી જાય પછી તો લગભગ તમારે કશું નહીં કરવું પડે. શરીર અને મનથી જો હસબન્ડ-વાઇફ તંદુરસ્ત હોય તો ઇશ્ચરે પણ આશીર્વાદ આપવા જ રહ્યા.’‘

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા