નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દુર્લભ યોગ-2011: 20 વર્ષ બાદ આમને-સામને શનિ-ગુરુ

2011માં એક મોટા દુર્લભ યોગ સર્જાઈ રહ્યો છે. લગભગ 20 વર્ષ બાદ ગુરુ અને શનિ આમને સામને આવી રહ્યા છે. જ્યોતિષીઓ માને છે કે આ યોગ સારો નથી, તેમાં અનેક પ્રકારના નુક્સાનની આશંકા છે. આમ તો આ યોગ માર્ચ 2011માં બનશે પરંતુ તેની અસર 3 મહિના પહેલાથી શરુ થઈને 3 મહિના બાદ સુધી રહેશે. આ દરમ્યાન શનિ કન્યા રાશિ અને ગુરુ પોતાની રાશિ મીનમાં જ રહેશે.

બંને ગ્રહોની પ્રતિયુતિ 180 ડિગ્રી અંશની રહેશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે આ યોગ બને છે ત્યારે દેશમાં મોટી અને ભીષણ ઘટનાઓ બને છે.

આ યોગની અસર અનેક પ્રકારે થાય છે. ન્યાયપાલિકા પર પણ તેની અસર થાય છે. આ ક્ષેત્રમાં અનેક મોટા પરિવર્તન થાય છે. દેશમાં આતંકવાદી ગતિવિધીઓ પણ વધે છે. આ યોગ વિમાન દુર્ઘટનાનો પણ સંકેત કરે છે.

પંડિત એસએન વ્યાસના કહેવા પ્રમાણે આ યોગ માર્ચ 2011 સુધી ચાલશે. દેશની રાજનીતિમાં તેના લીધે મોટી ઉથલ પાથલ આવશે. કોઈ મોટા રાજનેતાની મૃત્યુ પણ આવી શકે છે. આ યુતિની અસર 29 જાન્યુઆરી થી શરુ કરીને 29 જૂન સુધી રહેશે.

આ દરમ્યાન રુતુ પણ અનિશ્ચિત રહેશે. નવા વર્ષમાં જનતામાં મોંઘવારીથી થોડો સમય રાહત મળશે. વસ્તુઓના ભાવ ઘટતા- વધતા રહેશે. અનેક મોટી વિમાન દુર્ઘટના તથા રેલ ઘટના સર્જાઈ શકે છે. રુતુમાં વરસાદની વધઘટ કે દેશને નુક્સાન થવાની સંભાવના છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ