નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હારી ગયો સદ્દામ, રેતીમાં જ દફન રહ્યાં લડાકુ વિમાનો


ઈરાકના ભૂતપૂર્વ શાસક સદ્દામ હુસેનને આજના જ દિવસે(30 ડિસેમ્બર 2006) તેના દ્વારા કરવામાં આવેલા યુદ્ધ અપરાધોના ગુનામાં બગદાદમાં ફાંસી પર ચડાવી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અમેરિકા દ્વારા 20મી માર્ચ 2003ના રોજ ઈરાક પર રાસાયણિક અને જૈવિક હથિયારો હોવાના આરોપસર હુમલો કરવામાં આવ્યો હતો. 

અમેરિકા દ્વારા ઈરાક પર કરવામાં આવેલા હુમલાના થોડા દિવસ બાદ ઈરાકી સેનાએ અમેરિકન લશ્કર સામે પોતાના હથિયારો હેઠા મુકી દીધા હતાં. પરંતુ આજે પણ સદ્દામ હુસૈન અને તેના સૈન્ય અંગે ચોંકવનારી માહિતી સામે આવી રહી છે. 

એવું જ એક રહસ્ય છે ઈરાની વાયુ સેનાનું. કહેવામાં આવે છે કે લડાઈ આખરી ચરણમાં હોવા છતાં સદ્દામ હુસેને અમેરિકા સામે ઈરાનની હવાઈ તાકાતનો ઉપયોગ કર્યો ન હતો. લડાઈ સમાપ્ત થયા બાદ જ્યારે અમેરિકન લશ્કર રાસાયણિક અને જૈવિક હથિયારો તપાસવા માટે નીકળી ત્યારે તેના હાથમાં કંઈક એવી વસ્તુ આવી હતી જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. 

છ જુલાઈ, 2003ના રોજ જૈવિક હથિયારની શોધમાં નીકળેલા અમેરિકન લશ્કરને બગદાદના પશ્ચિમ સ્થિત તક્કદુમ એર ફિલ્ડમાં રેતીમાં દફન કરવામાં આવેલા લગભગ 30 લડાકુ MIG 25 મળ્યાં હતાં. આ વાતની પુષ્ટિ ખુદ અમેરિકન રક્ષા વિભાગ દ્વારા છ ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી, તેની સાથે રેતીમાંથી બહાર કાઢવામાં આવેલા લડાકુ વિમાનોની તસવીરો પણ પ્રગટ કરવામાં આવી હતી. 

જો કે સદ્દામ હુસેનના મોત અને અમેરિકાની ઈરાક પર જીતના આટલા વર્ષો બાદ પણ એ રહસ્ય પરથી પડદો ઉચકાયો નથી કે શા માટે આ લકાડુ વિમાનોને રેતીમાં દાંટીને રાખવામાં આવ્યા હતાં.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ