નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અલવિદા 2010: હુલ્લડોના ભૂતે પીછો કર્યો, પણ મોદી રહ્યાં અટલ


>2002ના રમખાણોનું ભૂત 2010માં ધુણ્યું
>27 માર્ચે નરેન્દ્ર મોદીની એસઆઈટી દ્વારા પુછપરછ
>નરેન્દ્ર મોદીની 9 કલાક જેટલી પુછપરછ કરાય
>અમિત શાહનું સીબીઆઈના શિકંજા બાદ રાજીનામું
>સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે અમિત શાહની ધરપકડ
>સુવર્ણિમ ગુજરાતની ભવ્ય ઉજવણી
>સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં શાનદાર વિજય 
>ફરજિયાત મતદાન બિલમાં ગતિરોધ

વર્ષ 2002માં થયેલા ગુજરાતના રમખાણોનું ભૂત 2010માં પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો પીછો છોડતું ન હતું અને પહેલી વાર તેમને સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) સમક્ષ પુછપરછ માટે ઉપસ્થિત થવું પડયું, જ્યારે તેમના નજીકના સાથી અમિત શાહએ સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર મામલામાં સીબીઆઈની જાળમાં ફસાવવાને કારણે ગૃહ રાજ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટે બાધ્ય થવું પડયું હતું. 

પોતાની રચનાના 50 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે સુવર્ણિમ ગુજરાતની ઉજવણીમાં ભાજપ માટે આ વર્ષ પૂર્ણ થતાં સુધીમાં ખુશીઓ લાવ્યું છે. ભાજપે નગર નિગમ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય હાસિલ કર્યો અને એવો રિપોર્ટ આવ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં મોદીને પાક-સાફ ગણાવ્યા હતા. 

મોદી સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન અનિવાર્ય બનાવાયેલા વિધેયક પર રાજ્યપાલ કમલા બેનિવાલ સાથે ગતિરોધ ઉભો થયો હતો. આ બિલ રોકાય ગયું અને ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનતા વંચિત રહી ગયું કે જ્યાં છ નગરનિગમોની ચૂંટણીમાં ઈ-વોટિંગની વ્યવસ્થા કરવામાં આવી હોય. કોંગ્રેસના દિવંગત સાંસદ અહસાન જાફરીના વિધવા જાકિયા જાફરીની ફરીયાદ પર એસઆઈટીએ 27 માર્ચે બે સત્રમાં લગભગ 9 કલાક સુધી 60 વર્ષીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પુછપરછ કરી હતી. અહસાન જાફરીની 2002ના હુલ્લડો દરમિયાન ગુલબર્ગ સોસાયટીમાં હત્યા કરી દીધી હતી. એવું પહેલી વાર બન્યું છે કે જ્યારે 2002ના ગોધરાકાંડ બાદ થયેલા હુલ્લડોમાં સહઅપરાધના આરોપમાં મોદીને તપાસ એજન્સીને પોતાનો જવાબ આપવો પડયો હતો. એસઆઈટીએ મોદીની સાથે પુછપરછનો સમગ્ર રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રિમ કોર્ટને સુપ્રત કર્યો છે. 

મોદીએ આ પુછપરછને પોતાના જીવનનો સૌથી કપરો સમય ગણાવ્યો હતો. તે દરમિયાન મોદીના વિશ્વસનીય સહયોગી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની સીબીઆઈએ વર્ષ 2005માં થયેલા સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલામાં 25 જુલાઈએ ધરપકડ કરી હતી. તેમણે પોતાની ધરપકડના એક દિવસ પહેલા જ મોદીની કેબિનેટમાંથી રાજીનામું આપ્યં હતું. શાહ ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ હાલ મુક્ત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત નોંધાવી, તેના પછી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મોદીએ આ વર્ષે સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાત પર્યટનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે