નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

હાથવગું રાખો હેલ્થ આઇ-કાર્ડ

પહેલાં ઓળખપત્રમાં માત્ર બ્લડ ગ્રૂપની જાણકારી મહત્વની માનવામાં આવતી હતી. હવે બીજી અનેક બાબતોની જાણકારી સામેલ હોય તે જરૂરી છે. જ્યારે પણ તમે બહાર જાવ ત્યારે લાઇસન્સ કે બીજા કાગળોની સાથે હેલ્થ કાર્ડ પણ સાથે રાખો.

માધવી ઓફિસેથી આવી ત્યારે એને માથું સહેજ ભારે લાગતું હતું. અચાનક એને ચક્કર આવવા લાગ્યાં. એ ડોક્ટર પાસે ગઇ ત્યારે ડોક્ટરે એને પૂછ્યું કે તમને બ્લડપ્રેશરની તકલીફ છે? તમે ડાયાબિટીસનું ચેકઅપ કરાવ્યું છે? માધવી શું જવાબ આપે? પાંત્રીસ વર્ષની થઇ ત્યાં સુધીમાં ક્યારેય એણે બ્લડપ્રેશર મપાવ્યું નહોતું. ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવી સ્થિતિ આવીને ઊભી રહે છે. એવા સમયે મેડિકલ રેકોર્ડની જરૂર પડે છે. તમારું બ્લડગ્રૂપ (આરએચ ફેકટર સહિત), સુગર લેવલ કે બ્લડપ્રેશર વિશેની જાણકારીની. તમને કોઇ દવા કે કંઇ વસ્તુની એલર્જી તો નથી ને? ક્યારેક તો એવા સંજોગો ઊભા થતાં હોય છે કે આ બધા ચેકઅપ માટે પૂરતો સમય જ નથી હોતો. આથી દરેક માટે આ તમામ બાબતોની જાણકારી પહેલાંથી હોય એ જરૂરી છે.

તમને ડાયાબિટીસ નથી ને?

તમને અચાનક ચક્કર આવવા લાગે અને ગભરામણ અનુભવો તો ડોક્ટર પાસે જાવ અને ડોક્ટર પૂછે કે તમને ડાયાબિટીસ છે? ત્યારે તમે ચૂપ રહો તો તમે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યાં છો. શરીરમાં ગ્લુકોઝનું નિશ્વિત સ્તર હોય છે. તે ભૂખ્યા પેટે ૧૦૦ની અંદર અને ભોજનના બે કલાક બાદ ૧૪૦થી વધારે હોવું જોઇએ. શરીરમાં શર્કરાનું પ્રમાણ ઓછું એટલે કે હાઇપોગ્લાઇસિમિયા અને વધારે એટલે કે હાઇપર-ગ્લાઇસિમિયા બંને સ્થિતિ નુકસાનકારક છે. આ બંને સ્થિતિનો ઇલાજ અને દવાઓ અલગ છે તથા તેમાં પરેજી પણ જુદી જુદી પાળવાની હોય છે. તમને શાની તકલીફ છે અને તે માટે કઇ પરેજી પાળવાની તથા દવાની જરૂર છે તેની તમને જાણ હોવી જોઇએ.

તમે એલર્જિક તો નથી ને?

ઘણા લોકોને રિંગણા, કોઇ ફળ કે ભાજી ખાય કે તરત જ આખા શરીર પર ઝીણી ઝીણી ફોલ્લીઓ થઇ જાય છે અથવા તો ખંજવાળ આવે છે. ક્યારેક કેટલીક દવાઓની પણ આડઅસર થતી હોય છે. તમને પણ આવું થતું હોય તો સમજી લો કે તમે એલર્જિક છો. તમારી પાસે જે મેડિકલ કાર્ડ હોય તેમાં તમને કઇ કઇ વસ્તુઓ કે દવાઓની એલર્જી છે તે અંગે સ્પષ્ટ લખો કે કઇ દવા લેવાથી કે વસ્તુ ખાવાથી તમને કેવા પ્રકારની એલર્જી થાય છે. આમ કરવાથી જ્યારે ડોક્ટર તમારી સારવાર કરતાં હોય કે દવા લખી આપવાની હોય ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખશે.

તમારું બ્લડ ગ્રૂપ કર્યું છે?

તમારા શરીરની જાણકારી વિશે વાત કરીએ, તો આ એક બાબત એવી છે જેનો તમને ખ્યાલ હોવો જ જોઇએ. ભલે તમને સામાન્ય લાગે પણ આ માહિતી હોવી અત્યંત જરૂરી છે. તમારા લોહી વિશે તમને રજેરજની જાણકારી હોવી જોઇએ. તમારું બ્લડ ગ્રૂપ, તમારું આરએચ ફેકટર, હીમોગ્લોબિન કેટલું હોવું જોઇએ એ તો ખ્યાલ હોવો જ જોઇએ. ફિઝિશિયનની દ્રષ્ટિએ તમારું લોહી પોઝિટિવ છે કે નેગેટિવ તેની ખબર હોય એ પણ જરૂરી છે. તમે ક્યારેક બ્લડ ડોનેટ કરતાં હો, તો તમારા લોહીમાં હીમોગ્લોબિન પણ નિશ્વિત પ્રમાણમાં હોવું જોઇએ.

બ્લડપ્રેશરનું પણ ધ્યાન રાખો

એક સર્વે અનુસાર એશિયામાં દર ૧૦૦૦માંથી ૨૦૦ વ્યક્તિઓ અનિયંત્રિત બ્લડપ્રેશરનો ભોગ બનેલા છે. કોઇ પણ સ્વસ્થ વયસ્ક વ્યક્તિનું બ્લડપ્રેશર ૧૨૦/૬૦ હોય છે. ૧૪૦/૯૦થી વધારે હોય એ સ્થિતિને હાઇ બ્લડપ્રેશર અને ૯૦/૬૦થી નીચે હોય તેને લો બ્લડપ્રેશર માનવામાં આવે છે. આ બંને પ્રકારના બ્લડપ્રેશરમાં દવાઓ અને સારવાર જુદા જુદા હોય છે. તમારી કોઇ પણ પ્રકારની બિમારીની દવા લખતી વખતે ડોક્ટરને એ વાતનો ખ્યાલ હોવો જોઇએ કે તમારું બ્લડપ્રેશર નિયંત્રણમાં છે કે નહીં? એથી વિશેષ મહત્વની વાત એ છે કે આ બાબતનો તમને પોતાને પણ ખ્યાલ હોય એ જરૂરી છે.

કાર્ડમાં કઇ બાબતોની જાણકારી હોવી જોઇએ

બ્લડપ્રેશર
ડાયાબિટીસ
બ્લડ ગ્રૂપ
અસ્થમા
એલર્જી

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે