નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

પત્નીની પેશન પતિનું ટેન્શન

વર્ક હોલિક પત્ની ઓફિસનું કામ ઘરે લાવે અને પતિનો સમય ચોરી લે ત્યારે પતિનો પારો આસમાને જાય. જોકે મતભેદને મનભેદમાં પરિણમવા ન દેવામાં સમજદારી છે. મળીએ, કેટલાક સમજદાર દંપતીને...

જમાનો બદલાયો છે. પહેલાં પતિમહાશય ઓફિસનું કામ ઘરે લાવીને કરતાં તો પત્ની નાકનું ટીચકું ચડાવીને બેસી જતી, પરંતુ હવે ઘણાં ઘરમાં સ્થિતિ આનાથી વપિરીત જોવા મળે છે. આજની આધુનિક સ્ત્રીઓ કારકિર્દીલક્ષી બની હોવાથી હવે તે પણ ઓફિસનું કામ ઘરે પૂરું કરવા લાવતી હોય તેવા દ્રશ્યો નવા નથી રહ્યા. સમયનો તકાજો પણ એવો છે કે પતિ-પત્ની બંને માટે નોકરી કરવી ફરજિયાત બની ગયું છે. ઓફિસમાં આઠ-દસ કલાક કામ કર્યા પછી એ કામનું ભારણ ઘરે પણ લઇને આવવાનું હોય ત્યારે વ્યક્તિની પરિસ્થિતિ તો વણસે જ છે પણ સાથે જ ઘરની અન્ય વ્યક્તિઓને પણ તેનો ભાર લાગવા લાગે છે.

ઓફિસનું કામ ઘરે લઇ જઇને કરીએ એટલે ઘરનાં બીજા કામ અટવાઇ જાય છે, ખોરવાઇ જાય છે. આવા ભારણ વચ્ચે પતિ-પત્ની વચ્ચે મતભેદ થાય છે. બીજું, સતત કામની વ્યસ્તતા વ્યક્તિને કુટુંબીજનોથી દૂર કરી નાખે છે. સામાજિક પ્રસંગોમાં સતત વધતી ગેરહાજરી સમાજ અને સગા-સંબંધીઓથી દૂર કરે છે. ઘરમાં બાળકો પણ આ વ્યસ્તતાના ભાર નીચે દબાતાં જાય છે. આ સંજોગોમાં પતિ-પત્ની બંને જો થોડીઘણી બાંધછોડ કરવા તૈયાર થાય તો કામના ભારણને પરિણામે ઊભા થતાં મતભેદને મનભેદમાં રૂપાંતરિત થતાં અટકાવી શકાય છે.

ઘરના અને બાળકોના કામ અટકી જાય છે

મારી પત્ની સરયુબાળા એક ઇન્શ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે. અત્યારના સમયમાં કામ એટલું વધી ગયું છે કે ઘરે લઇ જ જવું પડે. તેને ઓફિસનું કામ ઘરે લાવવાનું ઘણું ઓછું રહે છે. તેમ છતાંય કેટલીક વાર એ કામ ઘરે લાવે ત્યારે ઘર અને બાળકોના કામ અટકી જાય છે. ઓફિસની વાતો પણ ઘરે ન કરતાં હોઇએ ત્યારે ઓફિસનું કામ લઇને જઇએ ત્યારે ઘણી તકલીફો ઊભી થતી હોય છે. ફેમિલીને સાચવી નથી શકાતું, સામાજિક પ્રસંગોમાં હાજરી નથી આપી શકાતી, જેવી ઘણી તકલીફો ઊભી થાય છે.’

આ અંગે સરયુબાળાબહેન કહે છે, ‘હું તો ક્યારેક જ કામ ઘરે લાવું છું, પણ એમનું તો કાયમનું છે. રવિવારે મોટા ભાગે એ કંઇ કામ લઇને જ બેઠા હોય એટલે ઘણી વાર મતભેદ થઇ જાય. પણ અંતે એકબીજાને સમજીને રહેવું, પણ કામ કરવા જેટલું જ જરૂરી છે.’- સરયુબાળા મુકેશભાઇ ગોસ્વામી, અંકલેશ્વર

વાસ્તવિકતા સ્વીકારી લઈએ છીએ

‘મારી પત્ની આશા પ્રાયમરી સ્કૂલમાં શિક્ષિકા છે. તેને ઘણી વાર પ્રગતપિત્રક તૈયાર કરવા કે પેપર તપાસવા જેવી કામગીરી વધારે હોય, તો તે એનું કામ ઘરે લઇ આવે છે. ઘણી વાર મેં ફિલ્મ જોવાનો કે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય અને તેના કામને લીધે કેન્સલ થાય ત્યારે મનમાં બે ઘડી ગુસ્સો આવી જાય છે પણ પછી હું એની પરિસ્થિતિ અને જવાબદારી સમજીને એને મદદરૂપ થાઉં છું.’ આશાબહેન કહે છે, ‘આ બાબતને લઈ અમારે થોડાક મતભેદ થાય છે, પણ અંતે વાસ્તવિકતા સ્વીકારી લઈએ છીએ.’-આશાબહેન અતુલભાઇ વ્યાસ, ભાવનગર.

નવા દિવસે નવી શરૂઆત

‘હેમાંગિની શિક્ષિકા છે. ઘણી વાર કામ લઇને બેઠી હોય અને તે જ સમયે મેં વિચાર્યું હોય કે આજે ફિલ્મ જોવા જઇએ. તેને કામ વધારે હોય એટલે તે ના પાડી દે. ‘ના’ પાડે એટલે મનમાં નકારાત્મકતા ઉત્પન્ન થાય. આવું ઘણી વખત બને છે. આજે કામનું ભારણ વધી ગયું છે એટલે કર્યા વગર છુટકો નથી.’

હેમાંગિની કહે છે, ‘કૃણાલ પણ ઘણી વાર ઓફિસનું કામ લઇને બેસી જાય તો કલાકોના કલાકો સુધી ઊભા ન થાય. ત્યારે ગુસ્સે થઇ જવાય છે છતાં ‘નવા દિવસે નવી શરૂઆત’ની જેમ જીવન ગોઠવાઇ ગયું છે.’- હેમાંગિની કૃણાલ પટેલ,અમદાવાદ.

ઘર અને ઓફિસ બંને કામને વહેંચી લો

- ઓફિસનું કામ ઘરે લઇ જવાનું બને તેટલું ટાળવું.

- ઘરે જઇને ઓફિસનું કામ કરવાનું હોય તો તેના અમુક કલાક નક્કી કરી રાખો.

- ઘરમાં ઓફિસના કામના ભારણને કારણે ગુસ્સો કરવાનું ટાળો. ગુસ્સો કરવાથી ઘરનું વાતાવરણ ભારે બની જશે અને તમે ઘર કે ઓફિસના કોઇ પણ કામમાં ધ્યાન આપી શકશો નહીં.

- બાળકોને પણ નિશ્વિત સમય આપવાનું રાખો. તેમની સાથે રોજ થોડો સમય વિતાવવો વધારે જરૂરી છે.

- અઠવાડિયે કે પંદર દિવસે એક વખત ઘરના બધાંએ ફરવા જવાનું રાખવું, જેથી તમને પણ નવું વાતાવરણ મળે અને બાળકોને પણ મજા આવે.

- પતિ ઘરના કામમાં પણ પત્નીને મદદરૂપ થઇ શકે છે.

- પતિ-પત્નીએ રોજ એકાદ કલાક પણ એકબીજા સાથે વાતચીત કરવી જોઇએ.

- સામાજિક પ્રસંગોમાં જઇ ન શકાયું હોય, તો ફોન પર વાતચીત કરી શકાય અને પછી તમારી અનુકૂળતાએ મળવા જઇ શકાય.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા