નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

શિયાળામાં સ્વાસ્થ્યકારી આમળાં

આમળાંમાં નારંગી કરતાં વીસ ગણું વધારે વિટામિન સી રહેલું છે અને તેની વાનગી બનાવો તો પણ તેમાં ઘટાડો થતો નથી.

આમળાં એ કુદરતની માણસને આપેલી અમૂલ્ય ભેટ છે. આપણે વર્ષોથી એના અદ્ભુત ગુણોનો લાભ લઇએ છીએ અને ઘણી દવાઓમાં પણ આમળાંનો ઉપયોગ થાય છે. મુરબ્બા, અથાણાં અને ચ્યવનપ્રાશ ઉપરાંત આમળાં અનેક દેશી ઉપચારનાં પણ કામ કરે છે. શિયાળુ ખોરાક તરીકે જાણીતી દરેક વસ્તુઓમાં આમળાંમાં સૌથી વધુ વિટામિન ‘સી’ આવેલું છે. નારંગી કરતાં આમળાંમાં ૨૦ગણું વિટામીન ‘સી’ આવેલું છે અને મજાની વાત એ છે કે તેને રાંધવાથી પણ વિટામીન ‘સી’ નાશ પામતું નથી. કોઇ પણ જાતના ચામડીના દદોઁ માટે આમળાં આશીર્વાદ સમાન છે.

આમળાંમાં ૮૦ ટકા ભાગ પાણીનો છે. તે ઉપરાંત તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, મિનરલ અને વિટામિન રહેલાં છે. વિટામિન અને મિનરલ્સમાં ખાસ કરીને કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટિન, વિટામિન સી અને વિટામિન બી કોમ્પલેકસ આવેલા છે.

- કોલેસ્ટેરોલ આપણા શરીરમાં ખૂબ જ Important Componant છે. શરીરમાં આવેલું લીવર તેનો મુખ્ય સ્ત્રોત છે. ન વપરાતું કોલેસ્ટેરોલ શરીરમાં લોહીમાં જમા થાય છે જે હાઇ કોલેસ્ટેરોલનું કારણ બને છે અને હાર્ટએટેક પણ આવે છે. આમળાંમાં રહેલું વિટામિન ‘સી’ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. સવારે ભૂખ્યા પેટે આમળાં અથવા આમળાંનો પાઉડર લેવાથી કોલેસ્ટેરોલ ઓછું થાય છે.

લાઇફસ્ટાઇલ ડીસીઝમાં અત્યારે સૌથી વધુ પ્રમાણમાં એસિડિટી છે. ઘણા લોકો તો ઉજાગરા કરીને, ગળ્યાં, તળેલાં ખાદ્યપદાર્થો તેમ જ ટેન્શન લઇને એસિડિટી કરે છે. પછી તે મટાડવા વધારે આઇસક્રીમ ખાઇને વજન પણ વધારી દેતાં હોય છે. વધુ પડતાં ટેન્શનવાળી જિંદગીમાં ચા, કોફીનું સેવન વધતું જ જાય છે. આ બધું જ એસિડિટી માટે જવાબદાર છે અને તેના કારણે વધુ પડતો ગુસ્સો, દુ:ખ અને ડિપ્રેશન પણ આવતાં હોય છે

આમળાં વિટામીન ‘સી’ ધરાવે છે માટે વાઇરલ ફીવર અથવા સ્વાઇન ફ્લૂમાં પણ પ્રતિકારક તરીકે ગુણકારી છે.જ્યારે વધુ પડતી એસિડિટીથી બળતરા થતી હોય, ત્યારે ૧ ચમચી આમળાંનો પાઉડર દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે. દૂધ સાથે ન લેવાય તો ફક્ત પાણી સાથે લેવાથી પણ ફાયદો થાય છે.

તમારા વાળની સુંદરતા માટે, ધોળા થતા વાળ માટે પણ આમળાં ખૂબ જ ઉપયોગી થાય છે. અત્યારે વધુ પડતા પોલ્યુશનથી વાળની તકલીફો વધતી જાય છે. બજારમાં મળતાં લગભગ દરેક શેમ્પૂ અને વાળ વધારવાના તેલમાં આમળાં હોવાનું જણાવવામાં આવે છે. આમળાંનો પાઉડરને લોખંડના વાસણમાં પાણીથી પલાળી રાખીને વાળ ધોવાથી વાળને કાળા કરવાનું અને કન્ડિશનરનું કામ કરે છે. આમળાંનાં આટલાં બધા ગુણ વાંચીને તેના ઉપર તૂટી પડવાની જરૂર નથી. અતિ સર્વથા વર્જ્યેત તે પ્રમાણે જરૂર પૂરતાં જ આમળાંનું સેવન કરવું જોઇએ.

આમળાં શરીર માટે ગુણકારી છે એ જાણી તેને અવનવી રીતો બનાવવામાં આવે છે. જો હાઇ બ્લડપ્રેશર અથવા ઓબેસિટીનો પ્રોબ્લેમ હોય તો આમળાંને આથીને અથવા મુખવાસના રૂપમાં ન વાપરતાં આમળાંનો રસ કાઢીને અથવા સૂકાં આમળાંનો ભૂકો લઇ શકાય છે. અહીં જો તાજાં આમળાંનો રસ કાઢવામાં આવે તો દિવસના ૨થી ૩ ચમચા આમળાંનો રસ લઇ શકાય છે.

આમળાંમાંથી બનાવવામાં આવતું ચ્યવનપ્રાશ જો ડાયાબીટિસ અથવા ઓબેસિટી ન હોય તો લઇ શકાય છે. ચ્યવનપ્રાશ બનાવવા માટે વાપરવામાં આવતા વસાણાં જો ચોખ્ખા હોય અથવા ઘરે બનાવેલાં હોય તો શિયાળા દરમિયાન સ્વાસ્થ્ય સારું રહે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે