નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સંતાન પ્રાપ્તિ-ઉપાય-નિવારણ


સંતાનસુખથી વંચિત દંપતીઓ માટે સંતાનસુખ પ્રાપ્તિના ઉપાયો...

(૧) ગર્ભાધાન માટે અનુકૂળ સમય-સૌ પ્રથમ ગર્ભાધાન માટે અનુકૂળ સમયની પસંદગી કરવી જોઇએ. વૈદિક કાળમાં ગર્ભાધાનની શુદ્ધ ભાવનાથી સમાગમ કરવામાં આવતો હતો.

(૨) પુત્ર કે પુત્રી સંતાન-ઋતુકાળની રાત્રિઓ દરમિયાન બેકી રાત્રિએ સમાગમ કરવાથી પુત્રી જન્મે છે તેવો ભગવાન મનુનો મત છે. સમાગમ સમયે લગ્ન-ગુરુ-સૂર્ય-ચંદ્ર એકી રાશિ અને એકી નવમાંશમાં હોય તો પુત્ર જન્મે છે અને બેકી રાશિ અને બેકી નવમાંશ હોય તો પુત્રી જન્મે છે તેમ કેટલાક જ્યોતિષાચાર્યોનો મત છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પુરુષના વાય અને સ્ત્રીના એક્સ રંગસૂત્રનું સંયોજન થતાં પુત્ર જન્મે છે અને પુરુષના એક્સ અને સ્ત્રીના એક્સ રંગસૂત્રનું મિલન થાય તો પુત્રી જન્મે છે.

(૩) બાળક ક્યારે જન્મે?- સમાગમ સમયે સિંહ-કન્યા-તુલા-વૃશ્વિક-કુંભ અને મીન પૈકી કોઇ પણ લગ્ન ચાલતું હોય તો બાળકનો જન્મ રાત્રે થાય અને મેષ-વૃષભ-મિથુન-કર્ક-ધન અને મકર લગ્ન પૈકી કોઇ પણ લગ્ન ચાલતું હોય તેવા સમયે સમાગમ કરેલ હોય તો બાળકનો જન્મ દિવસે થાય તેમ કેટલાક જ્યોતિષાચાર્યોનું માનવું છે.

(૪) ગર્ભાધારણના નિયમો કોને લાગુ પડે?-ગર્ભાધારણના યોગોના ઉપરોકત નિયમો સંતાન ઉત્પન્ન કરવાની શારીરિક ક્ષમતા ધરાવતાં દંપતીને જ લાગુ પડે છે.

(૫) સંતાનસુખ અવરોધના ઉપાયો-સર્વપ્રથમ કુંડલીનું ગહન અધ્યયન કરી કયા ગ્રહના કારણે-કયા યોગને કારણે સંતાનસુખમાં અવરોધ ઊભો થાય છે તે નક્કી કરવું. મહર્ષિ પરાશર કહે છે તે મુજબ ઔષધ ચિકિત્સા, રત્ન ચિકિત્સા અને મંત્ર ચિકિત્સા એવા ત્રણ પ્રકારના પ્રયત્નો દ્વારા સંતાનની પ્રાપ્તિ થઇ શકે છે.

આ સિવાય સંતાનસુખની પ્રાપ્તિના ઉપાયો નીચે મુજબ છે:

(અ) જે ગ્રહના કારણે સંતાનસુખમાં અવરોધ પેદા થયો હોય તે ગ્રહની શાંતિવિધિ કરાવવી અને તે ગ્રહના જાપ કરવા. સંતાનસુખ અવરોધક ગ્રહ બુધ-શુક્ર કે ચંદ્ર હોય તો શિવ અભિષેક કરવો. શિવપૂજન કરવું. સંતાનસુખ અવરોધક ગ્રહ ગુરુ હોય તો મંત્ર-યંત્ર અને ઔષધિ ઉપચાર કરવો. સંતાનસુખ અવરોધક ગ્રહ શનિ-મંગળ-સૂર્ય-રાહુ કે કેતુ હોય તો કુળદેવતા કે કુળદેવીની પૂજા કરવી.

(આ) સર્પદોષના કારણે સંતાનસુખ ન મળતું હોય તો તેની નિવૃત્તિ માટે ગ્રહશાંતિ પ્રયોગ અને પુત્રેષ્ટિ યજ્ઞનું આયોજન કરવું.

(ઇ) રુદ્રાભિષેક અને લક્ષચંડી યજ્ઞથી પણ સંતાન થાય છે.

(ઈ) સંતાનસુખ માટે સંતાન ગોપાલ મંત્ર ઘણો જ પ્રચલિત અને પ્રસિદ્ધ છે. આ મંત્ર નીચે મુજબ છે:

ઓમ ર્શ્રી હ્રીં કલીં ગ્લૌ...દેવકીસુતગોવિન્દ વાસુદેવ જગત્પતેદેહિ મેતનયં કૃષ્ણ ત્વામહં શરણાગત:ઉપરોકત મંત્રના ત્રણ લાખ જાપ કરવા.

સંતાનસુખ માટે અન્ય સંતાન ગોપાલમંત્ર નીચે મુજબ છે:

ઓમ નમો ભગવતે જગત્પ્રસૂતયે નમ:ઉપરોકત મંત્રના એક લાખ જાપ પછી દશાંશ હવન કરવો.

વાસુપુત્ર શ્રીકૃષ્ણ મંત્ર પણ સંતાનસુખ ને આપનારો છે.

ઓમ કલીં ગોપાલવેષધરાય વાસુદેવાય હુંફટ્સ્વાહા

ઉપરોકત મંત્રના એક લાખ જાપ પછી દશાંશ હવન કરવો.

(ઉ) એક સંતાન થયા પછી ગર્ભધારણ ન થાય તેવી કાકવંધ્યા સ્ત્રી માટે નીચેનો મંત્ર લાભપ્રદ છે:

ઓમ નમ: શક્તિરુપાય મમગૃહે પુત્રં કુરુ કુરુ સ્વાહા

ઉપરોકત મંત્રના પ્રતિદિન ૧૦૮ જાપ કરવા. ૨૧ દિવસ સુધી આ પ્રમાણે જાપ કરવા તથા પુષ્ય નક્ષત્ર અને રવિવારના યોગ હોય ત્યારે અશ્વગંધાનું મૂળ લાવીને તેનું ચૂર્ણ બનાવી ભેંસના દૂધમાં ૧થી દોઢ તોલો ભેળવીને સંતાન ઇચ્છુક સ્ત્રીએ દરરોજ પીવું.

(ઊ) વિષ્ણુસહસ્ર નામના પાઠથી પણ સંતાનસુખ મળે છે :

(એ) વિઘ્નહર્તા ગણેશના ‘સંકટનાશન સ્તક્ષેત્ર’, ‘વિઘ્નહરસ્તક્ષેત્ર’, ‘ગણેશ અથર્વશીર્ષમ્’નો પાઠ, સંકટ ચતુર્થીના દિવસે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરીને, કરવાથી સંતાનસુખ મળે છે.

(ઐ) ભગવાન શ્રીકૃષ્ણના ગોવિંદ-દામોદર-સ્તક્ષેત્ર ‘કરાર વિંદેન પદારવિંદ’નું પારાયણ કરવાથી સંતાન પ્રાપ્ત થાય છે.

(ઓ) વાલ્મીકિ રામાયણના બાલકાંડના સર્ગ ૧૫-૧૬ અને ૧૮નો પાઠ કરવાથી ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય.

(ઔ) ‘નવચંડી યજ્ઞ’થી સંતાનસુખ મળે છે.

(અં) પતિ-પત્ની બંનેએ ચાંદીમાં ચાર રતીનું મોતી તથા સોનામાં ચાર રતીનું પોખરાજ ધારણ કરવું.

(અ:) અન્યના આશીર્વાદ અને અનુગ્રહથી સંતાનસુખ મળે છે તેથી બીજાના આશીર્વાદ અને કૃપા આપણને મળે તેવાં દાન-પુણ્યાદિ કાર્યો કરવાં. સંતાનસુખ ઇચ્છુક દંપતીઓમાંથી તેમની કુંડળીને અનુરૂપ ઉપાય શ્રદ્ધાપૂર્વક અપનાવે તો સંતાનસુખ અવશ્ય મળે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે