નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બહુ ઉપયોગી લીંબુ

 લીંબુને સ્વાસ્થ્યની કાળજી માટે ખૂબ ઉપયોગી અને ફાયદાકારક ગણવામાં આવે છે. તે સ્વાદમાં ખટમીઠું હોય છે. તે વરસાદી વાતાવરણમાં વધારે સારા ઊગે છે, પણ બારે માસ સરળતાથી મળી રહે છે.લીંબુમાંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્વ, તાંબુ, અને ફોસ્ફરસ જેવા તત્વોની સાથે પ્રોટીન, ચરબી, વિટામિન બી અને સી પણ યોગ્ય પ્રમાણમાં મળી રહે છે. લીંબુ શરીરના સ્વાસ્થ્ય અને ત્વચાની સુંદરતા માટે ખૂબ જ ઉપયોગી છે. કેવી રીતે અને ક્યારે તેનો ઉપયોગ શરીર અને ત્વચા માટે કરવો તે જાણીએ.

- લીંબુનું પાણી પ્રાત:કાળમાં પીવાથી પેટ સાફ થાય છે.

- લીંબુ તમારી ચયાપચયની ક્રિયાને સુધારે છે.

- વધારે ઊલટીઓ થતી હોય તો લીંબુ પર થોડું મીઠું અને મરી ભભરાવીને ચાટવાથી તકલીફ ઓછી થઇ જાય છે.

- લીંબુપાણી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ વધારે રહે છે.

- લીંબુના રસમાં થોડું મધ મેળવીને રોજ સવારે પીવાથી શરીરની ચરબી ઓછી થઇ જાય છે. આ રસનું સેવન કરવાથી સ્થૂળતાને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે.

- લીંબુના રસનો નિયમિત ઉપયોગ લોહીને શુદ્ધ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે.

- લીંબુનો રસ જખમ પરથી બેકટેરિયાને દૂર કરે છે અને જખમમાંથી વહેતા લોહીને પણ અટકાવે છે.

- ચહેરા પર થયેલા ખીલ અને ડાઘાને દૂર કરવા માટે તેના પર લીંબુનો રસ લગાવવાથી ડાઘ દૂર થાય છે.

- ખરજવું થયું હોય તો લીંબુનો રસ વધારે ફાયદાકારક છે.

- લીંબુની છાલ ઘસવાથી ચહેરા પરના કાળા ડાઘ, કોણી પરના ડાઘ, ઘૂંટણના ડાઘ દૂર થાય છે.

- લીંબુની છાલને સૂક્વીને તેનો પાઉડર બનાવી તેને મધમાં ભેળવીને ચહેરા પર ઘસવાથી ઉત્તમ સ્ક્રબનું કામ કરે છે.

- દૂધમાં લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચાની સુંદરતા નખિરે છે.

- લીંબુના રસમાં મલાઇ અને મુલતાની માટી ભેળવીને ચહેરા પર લગાવી, થોડી મિનિટ સુંધી રાખીને ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો. આનાથી ત્વચાની કાંતિ ખીલે છે.

આ રીતે લીંબુ સ્વાસ્થ્યની સાથોસાથ સૌંદર્ય માટે પણ અનેક રીતે ઉપયોગી નીવડે છે. જો તેનો યોગ્ય રીતે સમજીને ઉપયોગ કરવામાં આવે તો લાંબા સમય સુધી સુંદરતાને ટકાવી શકાય છે. બારે માસ મળતાં લીંબુનો લાભ શા માટે ન લેવો?

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા