નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાળકને શિખવાડો ખિસ્સાખર્ચની જવાબદારી

મની મેનેજમેન્ટ અનેક વખત મોટાની સાથે જ બાળકો માટે પણ મુશ્કેલી બની જતું હોય છે પરંતુ જો સમજદારી સાથે આ વાતને શિખવાડમાં આવે તો નુકસાન ભોગવવાનો વારો આવતો નથી.

ખિસ્સાખર્ચ અંગે નિષ્ણાતો જુદો-જુદો મત ધરાવે છે, જેમકે બાળકોને ખિસ્સાખર્ચ આપવો જોઈએ કે નહીં, ક્યારે અને કેટલો આપવો જોઈએ વગેરે વગેરે. કેટલાક વાલીઓ એવું માને છે કે બાળકોને ખિસ્સાખર્ચ ન આપવો જોઈએ તો વળી કેટલાક એવું માને છે કે બાળકોને યોગ્ય દિશાનિર્દેશ દ્વારા પૈસાનું મહત્વ અને તેનો સાચો ઉપયોગ શિખવાડી શકાય છે.

ક્યારે અને કેટલો ખિસ્સાખર્ચ
બાળકો જ્યારે ઘરની બાહાર થોડો સમય પસાર કરવા લાગે, જેમકે ટ્યુશન કલાસ, સ્પોર્ટ્સ એક્ટિવિટી વગેરે તો તેમને ખિસ્સાખર્ચ આપવો જોઈએ. સમયાનુસાર તેમાં વધારો પણ કરતાં રહેવું જોઈએ. સાઈકોલોજિસ્ટ ડૉ.. રીના રાજપૂત જણાવે છે કે, 8-10 વર્ષનાં બાળકોને ખિસ્સાખર્ચ આપવો ઉચિત નથી. આપણે તેમને જવાબદારી શિખવાડવા માગતા હોઈએ છીએ પરંતુ બાળક પોતાનો ખર્ચ કરતાં શીખે છે. ટીનએજ બાળકે જવાબદારી અને પોતાના પર ખર્ચનું સંતુલન રાખવું જરૂરી છે. ખિસ્સાખર્ચ આપવાથી બજેટિંગ શીખવાની સાથે બજારથી પણ તેઓ વાકેફ બનશે.

પોકેટ મની આપતાં પહેલા
- ખિસ્સાખર્ચ આપવાનું શરુ કરતાં પહેલાં બાળકને પૈસાનું મહત્વ સમજાવો જેથી ખિસ્સામાં પૈસા આવતાં પહેલા તેના મનમાં કેટલીક બાબતો સ્પષ્ટ થઈ જાય.
- તેણે કેટલા પૈસા ખર્ચવા જોઈએ અને કેટલી બચત કરવી જોઈએ તેની તાલીમ આપો.
- બાળકનું બેન્કમાં બચત ખાતું ખોલાવો, જેથી તે કેટલીક રકમ તેમાં જમા કરાવી શકે.
- બાળકને તેની ઉંમર અને જરૂરિયાત અનુસાર ખિસ્સાખર્ચ આપો.

પોકેટમનીના ફાયદા
- તેનાથી બાળકોમાં નિર્ણય લેવાની ક્ષમતા વધે છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
- પૈસાનો યોગ્ય રીતે ખર્ચ કરવાની ટેવ વિકસે છે.
- પ્રાથમિકતા નક્કી કરવાનું શીખે છે કે કર્યો ખર્ચ ક્યારે કરવો જરૂરી છે.
- બેન્ક એકાઉન્ટ ખોલાવવાથી તે બેન્કની કાર્યવાહીથી માહિતગાર બને છે.

બચતની ટેવ પાડો
કુલ ખિસ્સાખર્ચમાંથી ઓછામાં ઓછા ૨૫ ટકા બચત કરવાનું શિખવાડૉ. એક નક્કી કરેલા સમય બાદ એ રકમમાંથી બાળકને ખર્ચ કરવાની છુટ પણ આપો.
રકમ બચાવ્યા બાદ ઇનામ સ્વરૂપે તેને થોડા પૈસા જરૂર આપો, તેનાથી તેને વધુ બચત કરવાનો શોખ જાગશે.
મિત્રો અને પરિવારના સભ્યોના જન્મદિવસ કે બીજા પ્રસંગે ગિફ્ટ કે ગ્રીટિંગ કાર્ડની ખરીદી પોતાના ખિસ્સા ખર્ચમાંથી કરવાનું બાળકને શીખવાડૉ.
જો બાળક મોટો હોય અને ખિસ્સા ખર્ચ પેટે વધુ રકમ આપતા હો તો ઘરની કોઈ વસ્તુ ખરીદવા તેના ખિસ્સાખર્ચનો ઉપયોગ કરવાનું શિખવાડૉ.
બાળકનું બેન્ક એકાઉન્ટ ખોલાવો અને તેના ખિસ્સાખર્ચમાંથી કેટલીક રકમ દર મહિના તેમાં જમા કરાવો. તેનાથી બાળકને
નાની ઉંમરમાં બેન્કિંગની તાલીમ મળશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !