નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ન્હાતા પહેલા કેમ જમવું ન જોઈએ?

તમે ઘણીવાર તમારા ઘરના વડીલો કહેતા સાંભળ્યા હશે કે, ન્હાતા પહેલા જમવું ન જોઈએ. જો કે આજે આધુનિક સમયમાં આ વાતો ઉપર ધ્યાન નથી આપવામાં આવતું, પરંતુ આ તત્થની પાછળ માત્ર ધાર્મિક કારણો જ નહીં વૈજ્ઞાનિક કરાણો પણ રહેલા છે. વિજ્ઞાન પ્રમાણે સ્નાનથી શરીરના પ્રત્યેક અંગને નવું જીવન પ્રાપ્ત થાય. છે.

શરીરમાં વિતેલા દિવસનો બધા પ્રકારના મેલ સ્નાન અને બ્રશ કરવાથી સાફ થઈ જાય છે તથા શરીરમાં એક નવી જ તાજગી અને સ્ફૂર્તિ આવે છે, જેનાથી સ્વાભાવિક રીતે જ ભૂખ લાગે છે. તે સમયે કરવામાં આવતા ભોજનનો રસ આપણા શરીર માટે પુષ્ટિવર્ધક હોય છે, જ્યારે સ્નાન પહેલા આપણે કંઈક ખાઈએ તેને આપણી જઠરાગ્નિ તેને પચાવવા લાગી જાય છે.

ખાધા પછી સ્નાન કરવાથી શરીર ઠંડુ થઈ જાય છે, જેનાથી પેટની પાચન શક્તિ મંદ થઈ જાય છે. આ કારણે આપણા આંતરડા પાચનશક્તિ નબળી પડે છે, કબજીયાતની ફરિયાદ રહે છે તથા અન્ય અનેક પ્રકારના રોગો થઈ જાય છે. એટલે સ્નાન કર્યા પહેલા ભોજન કરવું નિષેધ કરવામાં આવ્યું છે. જરૂરિયાત હોય તો શેરડીનો રસ, પાણી, દૂધ, ફળ અને દવાઓ સ્નાન કરતા પહેલા લઈ શકાય. કારણ કે તેમાં પાણીની માત્ર વધુ હોય છે જે ઝડપથી પચી જાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!