નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે ગભૉશયનું પ્રત્યારોપણ થશે

વિજ્ઞાનીઓએ મહિલાઓમાં ગભૉશય પ્રત્યારોપણ કરવામાં સફળતા હાંસલ કરી છે. જે મહિલાઓમાં જન્મથી ગભૉશય નથી અથવા કોઇ રોગને કારણે ગભૉશય કાઢી નાખવું પડ્યું છે, એવી મહિલાઓ માટે આ ટેક્નિક આશાનું કિરણ છે. આ સંશોધન જર્નલ ઓફ ઓબ્સ્ટેટ્રિકસ એન્ડ ગાયનોકોલોજીમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સ્વિડનના ગોટનબર્ગ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અને ટીમનું નેતૃત્વ કરી રહેલા મેટ્સ બ્રેનસ્ટ્રોમે ઉંદરો, ઘેટાં અને ડુક્કરોમાં સફળ પ્રત્યારોપણ કર્યા બાદ માનવીઓમાં તેની સફળતાનો દાવો કર્યો છે. વર્ષ ૨૦૦૦માં સાઉદી અરેબિયામાં મહિલામાં પ્રથમ ગભૉશય પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, પરંતુ તે નિષ્ફળ નીવડ્યું હતું.બ્રેનસ્ટ્રોમે જણાવ્યું કે, આગામી વર્ષ સુધીમાં વિશ્વના ૧૦માંથી ૧હોસ્પિટલમાં ગભૉશય પ્રત્યારોપણ કરી શકાશે, પરંતુ આ પ્રત્યારોપણ અસ્થાયી હશે, કારણ કે એક કે બે વાર ગર્ભધારણ કર્યા પછી તેને શરીરમાંથી કાઢી નાખવું પડશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !