નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ધૂમ્રપાનની આદત છોડવાનો આ છે સૌથી સરળ નુસખો?



ગ્રીન ટીનાં ફાયદાકારક તત્વો ઉપર થયેલા એક સંશોધન દ્વારા જાણવાં મળ્યું છે કે, ધૂમ્રપાન કરનારા લોકો માટે ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના સેવનથી ધૂમ્રપાન કરનાવી આદત ધીમે-ધીમે છૂટતી જાય છે.

- એલ થિયાનિન નામનું એમીનો એસિડ તત્વ, તણાવમાંથી મુક્તિ અપાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે.
- ધૂમ્રપાન છોડ્યા બાદ ગ્રીન ટીનું સેવન, ફેફસાને પહોંચેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદરૂપ બને છે.


માલાબાર કેન્સર સેન્ટર ખાતે, કોમ્યુનિટી ઓન્કોલોજી વિભાગના અદ્યાપક ડૉ. ફ્સાં ફ્લિપિનું કહેવું છે, "ચીનમાં થયેલા એક નવા રિસર્ચ પરથી જાણવાં મળ્યું છે કે, ગ્રીન ટીમાં મળી આવતું એલ થિયાનિન નામનું એમીનો એસિડ તત્વ, તણાવમાંથી મુક્તિ અપાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે."

ડૉ. ફ્લિપિનું કહેવું છે કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિને, ગ્રીન ટીનું સેવન કરવાથી તેવો જ તૃષ્ટિગુણ મળે છે, જેવો સિગારેટ કે બીડી પીતા સમયે તેને મળતો હોય છે.

કોચીનની લેકશોર હોસ્પિટલના કેન્સર વિભાગ સાથે જોડાયેલા થૉમસ વર્ગીઝનું કહેવું છે, "ધૂમ્રપાન છોડ્યા બાદ ગ્રીન ટીનું સેવન, ફેફસાને પહોંચેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદરૂપ બને છે. તેનાથી ફેફસાનું કેન્સર થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે."

તેમણે જણાવ્યું કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે. તેમનામાં વિટામીન સી અને ઈ, તેમજ કેલ્શિયમ, ફ્લોટ, ઓમેગા, ફૈટી એસિડ વગેરેનો પણ અભાવ થઈ જવાથી, કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. ગ્રીન ટીમાં રહેલું એન્ટી ઓસ્કિડેન્ટ, શરીરના ઓક્સિડેન્ટમાં સંતુલન બનાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !