નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જોઈન્ટ્સમાં થતાં દુખાવાને દૂર કરતી અસરદાર ટિપ્સ

આજની આ ફાસ્ટ લાઈફમાં સાંધાના દુખાવ થવાની મુશ્કેલીઓ તો રહેતી જ હોય છે તેવામાં જો આપની પાસે ઘરગથ્થુ ઉપાય હોય તો તમને તેનાથી રાહત મળી શકે છે. સામાન્ય એક્સરસાઇઝની સાથે જો આ ઉપાયો પણ આજમાવામાં આવે તો ઘણી સમસ્યા દૂર થઈ શકે છે.


તો અજમાવી જુઓ આ અસરકારક ઉપાય




-મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ 8 - 10 દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલા અંગો છૂટા પડે છે. અને હાથે પગે થતી કળતર પણ મટે છે.

-આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનાંથી માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે, ડોક રહી ગઈ હોય તો તે પણ મટે છે.

-સરસિયાના તેલમાં કપુર મેળવી માલિસ કરવાથી દુખતા સાંધા, ગરદન જકડાઇ જવી તથા સંધિવાના દર્દમાં આરામ થાય છે.

-સૂંઠ અને ગોખરું સરખે ભાગે લઇ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.


-પગના ગોટલા ચઢી જાય તો, કોપરેલ તેલ ગરમ કરી માલિસ કરવાથી આરામ થાય છે.



-તલના તેલમાં હિંગ અને સૂંઠ નાંખી સહેજ ગરમ કરી, માલિસ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો અને શરીર જકડાઇ જવામાં રાહત થાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !