નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

છોડો પેટ્રોલ-ડિઝલની ચિંતા, આવી ગઇ પાણીથી ચાલતી કાર!

પાણીથી ચાલતી આ કારમાં પેટ્રોલ કરતાં પણ વધુ એવરેજ મેળવી શકાશે
પાણીથી ચાલતી આ કારમાં પેટ્રોલ કરતાં પણ વધુ એવરેજ મેળવી શકાશે. પેટ્રોલની સતત વધતી કિંમતોની વચ્ચે હવે તમારી કાર પાણીથી ચાલી શકશે. તે પણ પાણીથી ચલાવીને તમે તમારી કારમાં પેટ્રોલથી વધુ એવરેજ મેળવી શકશો. 

આ ચોંકાવનારી વાતને વાંચીને હવે તમે વિચારતા રહેશો કે આખરે એવું કંઇ રીતે શક્ય છે, પરંતુ જનાબ પાણીથી ચાલતી કારની શોધ થઇ ચૂકી છે. પાણીના ટીપાથી ફર્રાટા ભરવાનું આ કામ એક એન્જિનિયરની શોધનું પરિણામ છે.

પાકિસ્તાનના એક એન્જિનિયર દ્વારા કરવામાં આવેલી શોધે દુનિયાભરમાં વાહ વાહ મેળવી છે. રજૂ છે આ શોધ પર એક ફોટો ફીચર - 


પાણીની ટીપાંથી ફર્રાટા ભરવાનું આ કામ એક એન્જિનિયની શોધનું પરિણામ છે.


પાણીથી ચલાવીને તમે તમારી કારમાં પેટ્રોલથી વધુ એવરેજ મેળવી શકશો.


અહેમદને પૂરી સુરક્ષ અપાશે અને આ પ્રકારની કાર બનાવનારને તેમના ફોર્મ્યુલાને સુરક્ષિત રખાશે.


અહેમદે પહેલાં શાહને પોતાની અનોખી શોધ અંગે કહ્યું હતું અને પછી તેને કેન્દ્રીય મંત્રીમંડળની પાસે લઇ જવામાં આવી. જ્યાં ઉપ-સમિતિ દ્વારા તેના પર વિચાર કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રદર્શન દરમ્યાન શાહે પણ આ કારને ચલાવી.


એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાણીને ઇંધણના રૂપમાં ઉપયોગ કરનાર આ પદ્ધતિ એક એવી ટેકનિક છે, જેમાં 'હાઇડ્રોડજન બાંડિંગ' અને એક્વા પાણીથી નિર્મિત હાઇડ્રોજન ગેસથઈ કાર ચલાવાય છે.


પાણીથી ચાલતી આ કારને જોઇને પ્રત્યક્ષ જોનારા અચંબામાં પડી ગયા હતા. ત્યારે મંત્રીમંડળની ઉપ સમિતિએ આ 'વોટ ફયુઅલ કીટ પ્રોજેક્ટ'ની પ્રશંસા કરી.


વકારે ઇંધણના રૂપમાં પાણીનો ઉપયોગ કરીને પોતાની કાર ચલાવી. વકારનું કહેવું હતું કે કારોના ઇંધણના રૂપમાં પેટ્રોલ અને સીએનજીની જગ્યાએ પાણીનો ઉપયોગ કરીને ચલાવી શકાય છે.


સમાચાર પત્ર 'ડોન'ના મતે પાકિસ્તાનના એક એન્જિનિયર વકાર અહેમદે રાજધાની ઇસ્લામાબાદમાં સંસદો, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓની સામે પોતાની પાણીથી ચાલતી કારનું પ્રદર્શન કર્યું.


પાકિસ્તાનના એક એન્જિનિયર વકાર અહેમદે એક એવી કાર બનાવી છે, જે પેટ્રોલની જગ્યાએ પાણીથી ચાલે છે. તેને નજરે જોનારાઓ તો આશ્ચર્યમાં જ મૂકાઇ ગયા છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

દંપતીને સાત જન્મનાં સાથી બનાવે છે આ સાત પગલાં