નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વેજીટેબલ બિરયાની



3 વ્યક્તિઓ માટે બનાવો વેજીટેબલ બિરયાની

સામગ્રી:

2 કપ બાસમતી રાઈસ
1 કપ મિક્સ શાકભાજી (કોબીચ, બટાટા, ગાજર, ફણસી),
150 ગ્રામ લીલા વટાણા
3 ડુંગળી, ઝીણી સમારેલી
4 ટમેટા ઝીણા સમારેલા
2 લીલા મરચા, ઝીણા સમારેલા
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
2 ટીસ્પૂન તજ અને શાહજીરુ
4 નંગ લવિંગ
1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર
1/2 કપ દહીં
4 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન રાઈ દાણા
3 ટેબલસ્પૂન ડ્રાય ફ્રૂટ્સ (કાજૂ-કિસમિસ)
મીઠું, સ્વાદઅનુસાર

રીત:
- સૌ પહેલા રાઈસ (ચોખા)ને બરાબર ધોઈ લો.
-પછી પાણી અને થોડા મીઠા સાથે પ્રેશર કુકરમાં બાફી લો.
-તેની સાથે કાજૂ-કિસમિસ પણ ઉમેરો.
- બધા જ શાકભાજીને નાના ટુકડામાં સમારો. તે દરેકને અલગ અલગ રીતે તેલમાં તળી લો.
-લીલા વટાણાને પણ શેકી લો.
- હવે રાઈના દાણા, લીલા મરચા, તજ, શાહજીરુ, લવિંગ, મરીનો પાવડર ઉમેરીને 1/2 મિનીટ સુધી સાંતળો
-પછી તેમાં ડુંગળી ઉમેરો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો.
-તેમાં મીઠું અને લાલ મરચાનો પાવડર ઉમેરીને બરાબર પકાવો.
-હવે તેમાં ઝીણા સમારેલા ટમેટા ઉમેરો.
-હવે દહીં ઉમેરીને બરાબર હલાવો. ત્યારબાદ તળેલા શાકભાજી ઉમેરો.
-હવે તેમાં બાફેલા રાઈસ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
-તેને હળવા હાથે મિક્સ કરો જેથી ચોખાના દાણા ભાંગી ન જાય. 3 મિનીટ સુધી પકાવો.
-વેજીટેબલ બિરયાનીને સર્વિંગ ડિશમાં કાઢો.
-તેને ડ્રાયફૂટ્સ અને લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.
 
 
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !