નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ટ્વિટર હવે કહેશે, બોસ, તમે બીમાર પડવાના છો!

એક નવાં અધ્યયન પરથી જાણવા મળ્યું છે કે અભિવ્યક્તિનું મજબૂત પ્લેટફોર્મ બની ચૂકેલી માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર, આઠ દિવસ પહેલા જ તમને જણાવી દેશે કે તમે બીમાર પડવાના છો કે નહીં. 

ડેલી મેલના એક રિપોર્ટ પ્રમાણે, રોચેસ્ટર વિશ્વવિદ્યાલયના સંશોધકોએ 'હીટ મેપ'નો ઉપયોગ કરીને, પહેલેથી જ ન્યૂયૉર્કમાં ફ્લૂનાં વિસ્તારને ઓળખવાની શરૂઆત કરી દીધી છે. તેના ભાગરૂપે, એવા લોકો પાસેથી જાણકારી મેળવવામાં આવી રહીં છે, જેમણે બીમાર થવાની ફરિયાદ કરી હોય.

વિશ્વવિદ્યાલયના એડા સડિલેક અને તેમની ટીમે, વર્ષ 2010માં એક મહિના સુધી, ન્યૂયૉર્કના 6 લાખ યૂઝર્સનાં 44 લાખ જીપીએસ ટેગ ટ્વિટનું વિશ્લેષણ કર્યું. 

તેમણે પોતાનાં કમ્પ્યૂટરને તાલીમબદ્ધ કર્યા, જેનાથી તે સ્વસ્થ વ્યક્તિનાં ટ્વિટની અવગણના કરે અને અસ્વસ્થ વ્યક્તિઓને શોધી શકે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત