નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લીંબુનાં ઘરેલું ઉપાયો અપનાવો અને મેળવો આ રોગમાં ફાયદો



 

લીંબુ વધારે ફાયદાકારક અને ગુણકારી છે. લીંબુંના રોજના પ્રયોગથી ત્વચા સુંદર થઈ જાય છે. જો તમે કોઈ સ્કીન પ્રોબ્લેમ્સથી પરેશાન છો તો ગભરાવો નહીં. કેટલાક સરળ આયુર્વેદિક ઉપાય જેનાથી તમારા સ્કીન પ્રોબ્લેમ્સ થઈ જાય છે દૂર....

- સ્નાનના પાણીમાં લીંબુ નિચોવીને સ્નાન કરવાથી અને સ્નાનથી પહેલા લીંબુ કાપીને શરીર પર મસળવાથી ત્વચાનો રંગ નિખરી ઉઠશે.

- લીંબુ અને સંતરાની છાલને સુકવીને બરાબર પીસી લો. આ પાઉડરમાં દૂધ નાખી, ઘાટો લેપ બનાવો. ચહેરા કે પૂરા શરીર પર મસળો તો ખીલ અને કરચલી અને દાગ મટે છે. પૂરા શરીર પર લેપ કરશો તો ત્વચાનો રંગ સાફ અને ચમકદાર હોય છે. ત્વચા રેશમ જેવી ચીકણી થઈ જાય છે.

- મધમાં લીંબુ નીચોવીને ચહેરા પર લગાવી મસળો અને થોડીવાર પછી ધોઈ નાખો.

- લીંબુના રસમાં તુલસીના પાન પીસી લો. ચહેરા પર લેપ કરો. સુકાઈ ગયા પછી ધોઈ નાખો.

- લીંબુનો રસ, વેસણ, મધ અને મેંદો બધું 1-1 ચમચી લઈલો. થોડા પણી સાથે ચોળી લો, ચહેરા પર ખૂબ સારી રીતે મસળો. સતત થોડા દિવસ પ્રયોગ કરવાથી ચહેરાના બીનજરૂરી વાળ દૂર થઈ જાય છે.

- નખ પર લીંબુ રગડવાથી નખ ચમકદાર અને સ્વસ્થ રહે છે.

- લીંબુનો રસ, જવ, બાજરો અને ચોખાનો લોટ તથા હળદર પાંચેય 1-1 ચમચી લઈ, જરાક એવું જૈતુનનું તેલ મેળવી ઘટો રગડો કરી ચહેરા પર અને આખા શરીર પર લગાવી મસળો. થોડીવાર પછી ધોઈ લો કે સ્નાન કરી લો. ચામડીનો રંગ નિખરવા લાગશે.



Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત