નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બાળકોને વસ્તુ જ નહીં, સમય પણ આપો

 
મા-બાપ સંતાનને માગ્યા પહેલાં આપી દે છે અને પછી તેના વર્તનની ફરિયાદ કરે છે. આ વળી કેવું?

પહેલાંનાં જમાનામાં બેથી વધારે બાળકો ક્યારે અને કેવી રીતે મોટા થઇ જતાં તેની ખબર પડતી નહીં. આજે બાળકોને વસ્તુ મળે છે, સમય નહીં.

મા-બાપને તો તે મેળવતા ચોક્કસ તકલીફ પડી જ હોય છે પણ તેનો અહેસાસ બાળકને હોતો નથી એટલે તેના વપરાશમાં સાવચેતી પણ જોવા મળતી નથી. કેટલાક મા-બાપની ફરિયાદ હોય છે બાળક રમકડાં હજુ તો દિવસ બદલાય તે પહેલાં જ તોડી નાખે છે.

બદલાતો સમય, બદલાતો જમાનો, બદલાતું મોરલ, બદલાતા પ્રશ્નો, બદલાતા ઉકેલો. દુનિયામાં કશું શાશ્વત નથી. દરેક પળે બધું બદલાયા કરે છે. માણસ બદલાય છે. બાળકો બદલાય છે. બાળકોની માંગણીઓ બદલાય છે. તેમના પ્રશ્નો પણ સમય સાથે-જમાના સાથે બદલાતા જ રહ્યા છે અને રહેશે. વીસ વર્ષ પહેલાંની વાત કરીએ. તે સમયે બાળકને બે-ત્રણ ભાઇ-બહેનો હોય. વળી કાકા અને ફોઇ કે મામા-માસી તો ઘણાબધા જ હોય તેવી સ્થિતિ હતી. એટલે વેકેશનમાં મામા, કાકાના ઘરે જવું એ ખૂબ સામાન્ય બાબત હતી અને બીજા આપણા ઘરે આવે તે પણ સામાન્ય બાબત હતી. આજે એવું લાંબું વેકેશન કોઇના ઘરે જવાનું કે કોઇ આપણા ઘરે આવે તેવું રહ્યું નથી.

પહેલાં ઘરમાં ઘણાં બાળકો હોવાથી પોતાની જરૂરિયાત માટે તેણે પહેલ કરવી પડતી. ભાગમાં આવતી વસ્તુઓ, કપડાં કે ખાવાની વસ્તુઓ જો ઝડપ મારીને લઇ લેવામાં કાચો પડે તો વસ્તુ ખોવાનો વારો આવતો. આમાં વસ્તુના સીલેકશન કરતાં પણ વસ્તુ મળવી એ વધારે અગત્યનું થઇ જતું. જમવાની બાબતમાં પણ તેના વધારે લાડકોડ ચાલતા નહીં. જો તેમ કરવા જાય તો બીજા ભાઇ-બહેનો કે કાકા-મામાના બાળકો કંઇ હાથમાં આવવા જ ન દે. આ બધા બાળકોમાં ક્યારેય શું ભાવે છે? કયા શાક ખાય છે? ખાવા માટે પાછળ પાછળ ફરવું પડે તેવા પ્રશ્નો ઉપસ્થિત થતા જ નહીં. અહીં હંમેશાં હોડ રહેતી.

આજે મા-બાપને માંડ એક-બે બાળક હોય ત્યારે તે વીઆઇપી બની જાય છે અને તેની દરેક નાની વસ્તુઓનું મૂલ્યાંકન મોટાઓ વડે હંમેશાં થયા જ કરતું હોય. જેના કારણે તેની જરૂરિયાતની વસ્તુઓ કદાચ તે માગે તે પહેલાં અને વધારે મળી જાય છે. કદાચ મા-બાપે પોતે નથી મેળવ્યું એટલે બાળકને તે માગે તે પહેલાં અપાવવા જાય છે. જરૂરિયાત કરતાં વધારે અપાવે છે. જેથી બાળકને તેની કિંમત સમજાતી નથી.

મા-બાપને તો તે મેળવતા ચોક્કસ તકલીફ પડી જ હોય છે પણ તેનો અહેસાસ બાળકને હોતો નથી એટલે તેના વપરાશમાં સાવચેતી પણ જોવા મળતી નથી. કેટલાક મા-બાપની ફરિયાદ હોય છે બાળક રમકડાં હજુ તો દિવસ બદલાય તે પહેલાં જ તોડી નાખે છે. તેનું મૂલ્ય એટલા માટે નથી કે તે સરળતાથી થોકબંધ માત્રામાં લાવવામાં આવે છે. બાળકની માંગ પૂરી ન કરી શકાય તેવી હોય તો ખેંચાઇને પૂરી કરવાની જરૂર નથી.

ખાવાની બાબતમાં પણ મા-બાપની ફરિયાદ હોય છે. ઘણી વાર બધી વસ્તુઓ બાળકને પોતે જ ખવડાવતાં નથી અને તેનો ટેસ્ટ ડેવલપ થતો નથી. આ સંજોગોમાં બાળક નાનું હોય ત્યારે જ બધી જ વસ્તુઓ ખવડાવવામાં આવે તો તે આગળ જતાં બધું જ બરાબર ખાતો થઇ જાય છે. અહીં પણ ઘરમાં ઘણા બાળકો સાથે મોટા થતાં હોય ત્યાં આવા પ્રશ્નો જવલ્લે જ જોવા મળે છે.

આજકાલ ઘણા કુટુંબમાં પિતા ઘણો વખત ઘરની બહાર કામકાજ માટે રહે છે. આથી જ્યારે થોડા સમય માટે ઘરે આવે ત્યારે તેને બધું જ બાળકને આપી દેવું હોય છે આથી તે બાળક માટે ઢગલો રમકડાં, મોંઘી ભેટ લેતા આવે છે. પછી બાળકને વધારે સારો સમય આપવાની જરૂર છે કારણ કે બાળકના ઉજજવળ ભવિષ્ય, તેના વિકાસ માટે, વ્યક્તિત્વઘડતર માટે કામ આવે તેવી બાબત છે. શરૂઆતમાં સમયના ભોગે પૈસા પાછળની દોટ હોય છે. જ્યારે ભાન થાય ત્યારે પૈસા હોય પણ જેના માટે પૈસા ભેગા કર્યા હોય તેને સમય ન હોય.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે