નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બાળકોને વસ્તુ જ નહીં, સમય પણ આપો

 
મા-બાપ સંતાનને માગ્યા પહેલાં આપી દે છે અને પછી તેના વર્તનની ફરિયાદ કરે છે. આ વળી કેવું?

પહેલાંનાં જમાનામાં બેથી વધારે બાળકો ક્યારે અને કેવી રીતે મોટા થઇ જતાં તેની ખબર પડતી નહીં. આજે બાળકોને વસ્તુ મળે છે, સમય નહીં.

મા-બાપને તો તે મેળવતા ચોક્કસ તકલીફ પડી જ હોય છે પણ તેનો અહેસાસ બાળકને હોતો નથી એટલે તેના વપરાશમાં સાવચેતી પણ જોવા મળતી નથી. કેટલાક મા-બાપની ફરિયાદ હોય છે બાળક રમકડાં હજુ તો દિવસ બદલાય તે પહેલાં જ તોડી નાખે છે.

બદલાતો સમય, બદલાતો જમાનો, બદલાતું મોરલ, બદલાતા પ્રશ્નો, બદલાતા ઉકેલો. દુનિયામાં કશું શાશ્વત નથી. દરેક પળે બધું બદલાયા કરે છે. માણસ બદલાય છે. બાળકો બદલાય છે. બાળકોની માંગણીઓ બદલાય છે. તેમના પ્રશ્નો પણ સમય સાથે-જમાના સાથે બદલાતા જ રહ્યા છે અને રહેશે. વીસ વર્ષ પહેલાંની વાત કરીએ. તે સમયે બાળકને બે-ત્રણ ભાઇ-બહેનો હોય. વળી કાકા અને ફોઇ કે મામા-માસી તો ઘણાબધા જ હોય તેવી સ્થિતિ હતી. એટલે વેકેશનમાં મામા, કાકાના ઘરે જવું એ ખૂબ સામાન્ય બાબત હતી અને બીજા આપણા ઘરે આવે તે પણ સામાન્ય બાબત હતી. આજે એવું લાંબું વેકેશન કોઇના ઘરે જવાનું કે કોઇ આપણા ઘરે આવે તેવું રહ્યું નથી.

પહેલાં ઘરમાં ઘણાં બાળકો હોવાથી પોતાની જરૂરિયાત માટે તેણે પહેલ કરવી પડતી. ભાગમાં આવતી વસ્તુઓ, કપડાં કે ખાવાની વસ્તુઓ જો ઝડપ મારીને લઇ લેવામાં કાચો પડે તો વસ્તુ ખોવાનો વારો આવતો. આમાં વસ્તુના સીલેકશન કરતાં પણ વસ્તુ મળવી એ વધારે અગત્યનું થઇ જતું. જમવાની બાબતમાં પણ તેના વધારે લાડકોડ ચાલતા નહીં. જો તેમ કરવા જાય તો બીજા ભાઇ-બહેનો કે કાકા-મામાના બાળકો કંઇ હાથમાં આવવા જ ન દે. આ બધા બાળકોમાં ક્યારેય શું ભાવે છે? કયા શાક ખાય છે? ખાવા માટે પાછળ પાછળ ફરવું પડે તેવા પ્રશ્નો ઉપસ્થિત થતા જ નહીં. અહીં હંમેશાં હોડ રહેતી.

આજે મા-બાપને માંડ એક-બે બાળક હોય ત્યારે તે વીઆઇપી બની જાય છે અને તેની દરેક નાની વસ્તુઓનું મૂલ્યાંકન મોટાઓ વડે હંમેશાં થયા જ કરતું હોય. જેના કારણે તેની જરૂરિયાતની વસ્તુઓ કદાચ તે માગે તે પહેલાં અને વધારે મળી જાય છે. કદાચ મા-બાપે પોતે નથી મેળવ્યું એટલે બાળકને તે માગે તે પહેલાં અપાવવા જાય છે. જરૂરિયાત કરતાં વધારે અપાવે છે. જેથી બાળકને તેની કિંમત સમજાતી નથી.

મા-બાપને તો તે મેળવતા ચોક્કસ તકલીફ પડી જ હોય છે પણ તેનો અહેસાસ બાળકને હોતો નથી એટલે તેના વપરાશમાં સાવચેતી પણ જોવા મળતી નથી. કેટલાક મા-બાપની ફરિયાદ હોય છે બાળક રમકડાં હજુ તો દિવસ બદલાય તે પહેલાં જ તોડી નાખે છે. તેનું મૂલ્ય એટલા માટે નથી કે તે સરળતાથી થોકબંધ માત્રામાં લાવવામાં આવે છે. બાળકની માંગ પૂરી ન કરી શકાય તેવી હોય તો ખેંચાઇને પૂરી કરવાની જરૂર નથી.

ખાવાની બાબતમાં પણ મા-બાપની ફરિયાદ હોય છે. ઘણી વાર બધી વસ્તુઓ બાળકને પોતે જ ખવડાવતાં નથી અને તેનો ટેસ્ટ ડેવલપ થતો નથી. આ સંજોગોમાં બાળક નાનું હોય ત્યારે જ બધી જ વસ્તુઓ ખવડાવવામાં આવે તો તે આગળ જતાં બધું જ બરાબર ખાતો થઇ જાય છે. અહીં પણ ઘરમાં ઘણા બાળકો સાથે મોટા થતાં હોય ત્યાં આવા પ્રશ્નો જવલ્લે જ જોવા મળે છે.

આજકાલ ઘણા કુટુંબમાં પિતા ઘણો વખત ઘરની બહાર કામકાજ માટે રહે છે. આથી જ્યારે થોડા સમય માટે ઘરે આવે ત્યારે તેને બધું જ બાળકને આપી દેવું હોય છે આથી તે બાળક માટે ઢગલો રમકડાં, મોંઘી ભેટ લેતા આવે છે. પછી બાળકને વધારે સારો સમય આપવાની જરૂર છે કારણ કે બાળકના ઉજજવળ ભવિષ્ય, તેના વિકાસ માટે, વ્યક્તિત્વઘડતર માટે કામ આવે તેવી બાબત છે. શરૂઆતમાં સમયના ભોગે પૈસા પાછળની દોટ હોય છે. જ્યારે ભાન થાય ત્યારે પૈસા હોય પણ જેના માટે પૈસા ભેગા કર્યા હોય તેને સમય ન હોય.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા