નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

દક્ષિણમુખી રસોઇથી સ્ત્રીમાં ગુસ્સો આવે

ઉત્તર મધ્યમાં પૂર્વ તરફ મુખ રાખીને પૂજા કરવાની વ્યવસ્થા અહીં છે. આ રીતે પૂજા કરવાથી ભૌતિકવાદી વિચારો વધે અને સમસ્યાઓ પણ ઘરમાં આવે.

ઘરમાં બેઠકરૂમ નૈઋત્યમાં હોવાથી ઘરમાં વાતાવરણ શાંતિભર્યું ન રહે, પરંતુ બેઠક વ્યવસ્થા યોગ્ય હોવાથી આની અસરો ઘટે. બેઠકરૂમનો આકાર વાયવ્ય ઉત્તર તરફ બહાર આવેલો છે. આના કારણે બાળકોની ચિંતા રહે. જનરેશન ગેપ પણ ગણી શકાય.

પ્લોટના ઇશાનમાં તુલસીના પાંચ છોડ, વાયવ્યમાં બીલીના બે છોડ તથા અગ્નિમાં ફૂલ દાડમના બે છોડ વાવવા. ગણેશજીને ગોળ ધરાવી ઘરના સદસ્યોએ લેવો. બુધવારે શિવમંદિરમાં દૂધ, દહીમાં કાચા તલ, મધ, ચોખા, પાણીથી અભિષેક કરી ૧ મુઠ્ઠી મગ અને ૧ રૂપિયો ધરાવી દેવા. ઘરમાં ચંદનનો ધૂપ કરવો.

માણસની અપેક્ષાઓ મૃગજળ સમાન છે. જે જોઇએ છે તે પામ્યા પહેલાં જ નવી અપેક્ષાઓ જાગવા લાગે છે. આનાથી જન્મે છે અસંતોષ. સંતોષમાં જ સાચું સુખ છે અને સાચું સુખ મળે છે હકારાત્મક ઊર્જાથી જે મળે છે વાસ્તુ નિયમોથી. આજે આપણે વાત કરીએ સુનીલભાઇના મકાનની. ઘરના લંબચોરસ આકારમાં ઇશાન ઉત્તર બહાર છે તે સારું કહેવાય પરંતુ આ જગ્યાએ ટોઇલેટ આવેલું હોવાથી તે શરીરના મધ્યભાગથી ઉપરના ભાગને લગતી બીમારી તથા માનસિક તણાવ આપી શકે છે.

આ ઉપરાંત વાયવ્ય પશ્ચિમનો ભાગ અંદરની તરફ છે, આનાથી માતૃસુખમાં ઓછપ આવે કાં તો ધનહાનિ કે હાડકાંને લગતી તકલીફ આવી શકે છે. ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણ મધ્યમાં છે. તેના કારણે પણ ખૂબ જ માનસિક તણાવ રહે. દક્ષિણના દરેક દ્વાર ખરાબ હોતાં નથી પરંતુ દક્ષિણમાં મધ્યમાં દ્વાર ન હોય તે યોગ્ય ગણાય.

ઘરમાં બેઠકરૂમ નૈઋત્યમાં હોવાથી ઘરમાં વાતાવરણ શાંતિભર્યું ન રહે, પરંતુ બેઠક વ્યવસ્થા યોગ્ય હોવાથી આની અસરો ઘટે. બેઠકરૂમનો આકાર વાયવ્ય ઉત્તર તરફ બહાર આવેલો છે. આના કારણે બાળકોની ચિંતા રહે. જનરેશન ગેપ પણ ગણી શકાય. વાયવ્યમાં બેડરૂમ હોઇ શકે પણ આ જગ્યાએ પશ્ચિમ તરફ માથું રાખીને સૂવાથી નાનું મગજ સતત કાર્યરત રહે છે. જેનાથી સારી ઊંઘ આવતી નથી. આજ રૂમમાં મંદિર પણ આવેલું છે. ઉત્તર મધ્યમાં પૂર્વ તરફ મુખ રાખીને પૂજા કરવાની વ્યવસ્થા છે. આ રીતે પૂજા કરવાથી ભૌતિકવાદી વિચારો વધે અને તેને લગતી સમસ્યાઓની અસર પણ ઘરમાં જરૂર આવે.

અન્ય એક બેડરૂમ ઇશાન તરફ આવેલો છે. આ રૂમમાં નાનાં બાળકોને રાખી શકાય. મોટી ઉંમરની વ્યક્તિ આ જગ્યાએ રહે તો તેના વિચારો બંધાઇ જાય છે આની અસર સમગ્ર પરિવાર પર પડે છે. આ મકાનને હકારાત્મક કરવા માટે સૂચન પછીના નકશા પ્રમાણે રચના કર્યા બાદ ઇશાનમાં પૂર્વની દીવાલ પર આછો ગુલાબી, નૈઋત્ય પશ્ચિમની દીવાલ પર આછો વાદળી, વાયવ્ય પશ્ચિમની દિવાલ પર આછો વાયોલેટ અને રસોઇઘરની પૂર્વની દીવાલ પર પોસ્ટલ યલો કલર લગાવવા જરૂરી છે.

પ્લોટના ઇશાનમાં તુલસીના પાંચ છોડ, વાયવ્યમાં બીલીના બે છોડ તથા અગ્નિમાં ફૂલ દાડમના બે છોડ વાવવા. ગણેશજીને ગોળ ધરાવી ઘરના સદસ્યોએ લેવો. બુધવારે શિવમંદિરમાં દૂધ, દહીમાં કાચા તલ, મધ, ચોખા, પાણીથી અભિષેક કરી ૧ મુઠ્ઠી મગ અને ૧ રૂપિયો ધરાવી દેવા. ઘરમાં ચંદનનો ધૂપ કરવો. પૂજાના રૂમની દક્ષિણની દીવાલ પર હળદર જેવા પીળા રંગનો પડદો લગાવી દેવો. બેઠકરૂમના સેન્ટર ટેબલ પર કાંસાના વાડકામાં પાણીમાં ગુલાબની પાંદડી રાખવી. ઘરની મધ્યમાં સંધ્યા સમયે સફેદ બલ્બ એક કલાક માટે ચાલુ રાખવો.

 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા