નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

જ્યારે તમારા મગજની કમાન છટકે ત્યારે આટલું કરો


ક્રોધ ન કરવો એમ તો બધા ધર્મો કહે છે. ક્રોધ આવે ત્યારે એકથી સો સુધી ગણવું એમ પણ કહેવાય છે, પરંતુ આ બધું કહેવું આસાન છે.

ક્રોધ અત્યંત પ્રબળ શક્તિ છે. હાઈ વોલ્ટેજ વીજ કરંટથી એ કમ નથી, પરંતુ એમાં લાગણીઓ સંડોવાયેલી છે એટલે અંકુશમાં લેવો પડે. ક્રોધ શરીર અને મનમાં જે ઉત્પાત મચાવે છે એ કોઈ ભૂકંપના વિનાશથી ઓછો નથી હોતો.

આ રોજની ઘટના છે : કોઈએ અપશબ્દો કહ્યા કે કોઈએ અપમાન કરી નાખ્યું કે ઘરમાં કોઈ કીંમતી ચીજ ભૂલથી તૂટી ગઈ અને તમે એકદમ ક્રોધિત થઈ ગયા. આવી સ્થિતિમાં તમે શું કરશો? તમારાથી કમજોર વ્યક્તિ પર એ ક્રોધ ઉતારશો કે તમારી અંદર ક્રોધને દબાવી દેશો? ઘરના લોકો ડરીને કહેશે કે લો, ફરી આની કમાન છટકી... દૂર રહો એનાથી.

ક્રોધ અત્યંત પ્રબળ શક્તિ છે. હાઈ વોલ્ટેજ વીજ કરંટથી એ કમ નથી, પરંતુ એમાં લાગણીઓ સંડોવાયેલી છે એટલે અંકુશમાં લેવો પડે. ક્રોધ શરીર અને મનમાં જે ઉત્પાત મચાવે છે એ કોઈ ભૂકંપના વિનાશથી ઓછો નથી હોતો. શરીરની કેટલીક બીમારી અને પરેશાની ક્રોધના ખોટા ઉપયોગને કારણે પેદા થાય છે. ક્રોધથી ધેરાયેલો માણસ લાચાર જેવો બની જાય છે, એટલે જ ક્રોધ ન કરવો એમ તો બધા ધર્મો કહે છે.

ક્રોધ આવે ત્યારે એકથી સો સુધી ગણવું એમ પણ કહેવાય છે પરંતુ આ તોફાનને રોકવાનો આ યોગ્ય ઉપાય નથી. ક્રોધ ભભૂકી ઊઠે છે ત્યારે માણસ કંઈ સમજવા-વિચારવાની સ્થિતિમાં નથી રહેતો. ક્રોધ એક આદિમ ઊર્જા છે અને એને રૂપાંતરિત કરતા એનો સર્જનાત્મક-હકારાત્મક ઉપયોગ થઈ શકે છે. જે ક્રોધ અભિષાપ લાગે છે એ વરદાનરૂપ સિદ્ધ થઈ શકે છે.

ઓશોએ ક્રોધને રૂપાંતરિત કરવાના કેટલાક ઉપાય બતાવ્યા છે, પરંતુ એને માત્ર વાંચવાથી કામ નહીં ચાલે. એનો પ્રયોગ કરવો પડશે. તમે અનુભવશો કે ક્રોધનો તાપ જતો રહ્યો છે અને શુદ્ધ ઊર્જા રહી ગઈ છે. ઓશો કહે છે કે સૌથી પહેલા ક્રોધ પર લેબલ લગાડો કે એ સારો છે કે ખરાબ છે. ક્રોધ આવે ત્યારે જાણો કે અંદર એક ઊર્જા જાગી છે, એનો કંઈક ઉપયોગ કરો, નહીં તો એ ઘાતક બની જશે.

તમે બીજા કોઈ માણસ પર એ ગુસ્સો ઉતારશો તો એ ક્યારેક એનો બદલો લેશે. ક્રોધ વધુ ક્રોધ લાવે છે અને એનો કોઈ અંત નથી. તમે ક્રોધને અંદર જ દબાવી દેશો તો તમારી અંદર ઘા પડી જશે એ એ ઘા પણ ખતરનાક છે. એ તમને રુગ્ણ કરી નાખશે, તમારા જીવનમાંથી ખુશી નિચોવી નાખશે. આથી ક્રોધને ન તો બીજા કોઈ પર ફેંકો કે ન પોતાની ભીતર દબાવો પણ ક્રોધને રૂપાંતરિત કરો.

ધૃણા, ક્રોધ, ઇર્ષ્યા જાગે ત્યારે આ શક્તિઓનો સદુપયોગ કરો. ત્યારે તમને ખબર પડશે કે સુખ શું હોય છે. ક્રોધ કર્યા પછી હંમેશાં પસ્તાવો થાય છે. માણસ દર વખતે નક્કી કરે છે કે હવે બીજી વાર ક્રોધ નહીં કરું પરંતુ આ પસ્તાવો તો ક્રોધ થઈ ગયો એની અણીને થોડી બુઠ્ઠી કરે છે એટલું જ. ક્રોધ તો જ્યાં અને જેટલો છે ત્યાં અને તેટલો જ રહે છે.

એટલે ઓશોનો બીજો ઉપાય છે કે ક્રોધને ન છોડો, માત્ર પશ્ચાત્તાપને છોડી દો. પશ્ચાત્તાપ ફરીથી ક્રોધ કરવાની તૈયારી છે. પશ્ચાત્તાપ છોડી દેશો તો ક્રોધ નહીં કરી શકો, કેમકે પશ્ચાત્તાપ વગર ક્રોધને ભૂલવો અશક્ય છે. તમે એટલો નિશ્ચય કરી લો કે હું પસ્તાઈશ નહીં. અલબત્ત, ક્રોધ એટલી મોટી આગ છે કે એની સાથે જીવવું કોઈ રીતે શક્ય નથી. ક્રોધની સાથે રહેવા માંડો તો એ પોતાની મેળે જ ઓછો થવા લાગશે. ક્રોધ આવે ત્યારે એક પ્રયોગ કરો : અંદર ક્રોધ ઊકળવા લાગે તો ઘરની બહાર નીકળી જઈ બગીચામાં કોદાળીથી દોઢ-બે ફૂટનો ખાડો ખોદી કાઢો.

તમને ભારે આશ્ચર્ય થશે કે ખાડો ખોદતાં ખોદતાં ક્રોધ અદ્રશ્ય થઈ ગયો. શું થયું? જે ક્રોધ કોઈને મારવા માટે ઉત્સુક થઈ ઊઠેલો એ તમારા હાથમાં ઊતરી આવ્યો અને તેનો ઉપયોગ કરી લેવાયો. આ ઉપાય શક્ય ન હોય તો બીજો વિકલ્પ એ છે કે દોડીને ઘરના ત્રણ-ચાર ચક્કર મારી આવો. પાછા આવો ત્યારે તમને ચોક્કસ લાગશે કે તમે હળવા થઈ ગયા છો અને બહાર ધસી આવેલો ક્રોધ જઈ ચૂક્યો છે. એથી શું થશે? ક્રોધ કરવાથી જે દુ:ખ ઉત્પન્ન થવાનું હતું એ હવે નહીં થાય. બીજા પર ક્રોધ ફેંકીને તમે પ્રતિક્રિયાઓની જે શૃંખલા શરૂ કરો એ તો તમને ખૂબ જ પરેશાન કરી નાખશે. એનાથી બચવા માટે તમે ક્રોધને દબાવી દેશો તો તમારી ભીતરના સ્રોતો ઝેરી થઈ જશે. ક્રોધ ઝેર છે.

એનાથી તમારા જીવનનું સુખ ધીરેધીરે સમાપ્ત થતું જાય છે. પ્રસન્નતા ખોવાઈ જાય છે. તમે હસશો તો પણ એ જુઠું હશે. એ હાસ્યનું કંપન પ્રાણ સુધી નહીં પહોંચે. આજકાલ તમે જુઓ છો કે લોકો દિલ ખોલીને હસી પણ નથી શકતા, કેમકે ક્રોધ જેવી નકારાત્મક ભાવો ઐમના પર બોજ બનીને બેઠો છે. આ બોજને મન પરથી ઉતારીને ફેંકવો પડશે. તમે ક્રોધને તમારી અંદર દબાવીને સુખી થઈ જ ન શકો, કેમકે ક્રોધ ઊકળી ઊઠવા માટે તૈયાર થશે, ભેગો થશે. તમે ગમે ત્યારે, ગમે તે દિવસે ફાટી શકો છો.

એક સીમા સુધી તમે આ જ્વાળામુખી પર બેઠા રહી શકશો પરંતુ કોઈને કોઈ દિવસે તો વિસ્ફોટ થશે જ. બન્ને ખરતનાક છે. ક્રોધના રૂપાંતરનો કીમિયો જ ક્રોધની ઊર્જાને હકારાત્મક કાર્યમાં જોડી થઈ શકે છે. ક્રોધ જાગે ત્યારે થોડું નાચી લો. ક્રોધ જાગે ત્યારે નાચવાનો પ્રયોગ કરી તો જુઓ. ક્રોધ જાગે ત્યારે ક્રોધભર્યું ગીત ગાઈ જુઓ.

ક્રોધ જાગે ત્યારે ચાલવા નીકળી પડો. ક્રોધ જાગે ત્યારે કોઈ શારીરિક-માનસિક કામમાં ગુંથાઈ જાવ.એમને એમ ન બેસો, કેમકે જે ઊર્જા પેદા થઈ છે એનો ઉપયોગ કરવાનો છે. તમે થોડી વારમાં જ અનુભવશો કે એક સૂત્ર મળી ગયું છે, એક ચાવી મળી ગઈ છે કે જીવનના બધા નિષેધાત્મક-નકારાત્મક ભાવનો ઉપયોગ કરી શકાય છે. રસ્તામાંના પથ્થરોનો પણ બુદ્ધિમાન વ્યક્તિ પગથિયાં તરીકે ઉપયોગ કરી લે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે