નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સમજવાની જવાબદારી જે સમજે એને શિરે જ!

 
જે બિન્દાસ્ત જીવે છે એને સંબંધનું કોઇ ટેન્શન નથી અને જે સમજે છે એને સમજવાનું મોટું કામ હોય છે.

એક હતી ચકી અને બીજી એક હતી ચકી. બંને જીગરજાન બહેનપણી. આપણે એકને ‘ચકી’ કહીશું અને બીજીને ‘મકી’. એક દિવસ ચકી-મકી ડ્રેસ ખરીદવા બહાર જાય છે અને કમનસીબે બંનેને એક જ ડ્રેસ ગમી જાય છે. ચકી મન મોટું રાખીને મકીને કહે છે: તું રાખી લે, હું ફરી ક્યારેક ખરીદી લઇશ! ધીમે ધીમે સંબંધની પેટર્ન એવી બનવા લાગે છે કે ચકી એટલે સમજદાર અને મકી એટલે મનફાવે એવું કરી શકવાનો પરવાનો ધરાવનાર! મકીને વિશ્વાસ હોય કે કોઇપણ ઘટના બનશે તો ચકી સમજદાર છે એટલે વાંધો નહીં આવે. થાય છે એવું કે ક્રમશ: ચકીને સમજદારીનો ભાર લાગવા માંડે છે.

સમજી સમજીને એ બરાબર સમજી ગઇ હતી કે સમજવાથી સંબંધ તો ટકી શકે છે, પણ ટકાવવાની જવાબદારી જાણે એને શિરે જ ન હોય! એક બીજી વાત પણ ચકી જેવા લોકો માટે કહેવાય છે, ‘એ તો સમજદાર છે... એ સમજી જશે!’ જાણે કે સમજદારને બે દંડા વધારે! મોટાભાગના સંબંધોમાં કે જ્યાં એકને શિરે સમજવાની જવાબદારી અને બીજાને હિસ્સે બેધડક વર્તન કરવાની છુટ મળેલી હોય છે એ સંબંધ, ભલે દિલનો હોય તો પણ, એક પ્રકારનો અસંતુલિત તો છે જ. કારણ કે જે બિન્દાસ્ત જીવે છે એને સંબંધનું કોઇ ટેન્શન નથી અને જે સમજે છે એને સંબંધ જીવવા કરતાં સમજવાનું મોટું કામ હોય છે.

સમજનારા ને સમાજ ‘સારા’ માણસનું લેબલ લગાડી દે પછી એ ‘સારા’ માણસના બૂરા દિવસો શરૂ થઇ જાય છે. ભાઇ-બહેનમાં જે મોટું હોય એને સતત કહેવામાં આવે ‘તું મોટો છેને, તું સમજદાર છે, તારે સમજવું જોઇએ!’ અને જો કદાચ મોટાની સમજ ‘ફરેલી’ હોય તો નાનાએ સમજવાની જવાબદારી ઉઠાવવી પડે છે, અને એવે સમયે વાક્ય રચનામાં પરિવર્તન આવી જાય છે. ‘ભલે તું નાનો છે પણ સમજદાર છે, એ મોટો છે પણ ઢગો છે.’

પછી તો સમજદારને પણ ‘સમજદાર’નું લેબલ ખૂબ ગમવા માંડે છે. ચાર જણ એની તારીફ કરે કે ‘એ તો તમે સમજદાર હતા એટલે ઘર બચી ગયું બાકી તમારા ભાઇ-ભાંડુઓ જેવા તમે થવા ગયા હોત તો તમારું કુટુંબ વેરણ છેરણ હોત.’ આવા સંજોગોનાં એ જણમાં ‘સમજદારી’નામનું ઇગો તત્વ ભરપૂર માત્રામાં ખીલે છે. હવે એ ઇગો એવું સ્વરૂપ ધારણ કરે છે કે કોઇપણ પ્રસંગોએ સમજવાની જવાબદારી એ ઉઠાવી લેવા તત્પર થઇ જાય છે.

કુદરતે રચના જ કંઇક એવા પ્રકારની કરી છે કે બે સમજદારનો ભેટો જલદી કરાવતી નથી. જો બંને સમજદાર એક જ જગ્યાએ મળી જાય તો બે નાસમજનું શું થશે એવી ચિંતા કદાચ તારણહારને સતાવતી હોય! સમજદાર લાખ નક્કી કરે કે આવતી કાલથી સમજવાની હડતાલ અને ના-સમજી સ્ટાર્ટ તો પણ વધી વધીને બપોર સુધીમાં આ ઘટનાક્રમ ચાલશે. અને બિચારો ના-સમજ સમજવાની પ્રતજિ્ઞા કરે તો પણ એનાથી એ બનતું જ નથી. એવું નથી કે સમજદાર હંમેશાં સમજદાર હોય છે અને ના-સમજ હંમેશાં ના-સમજદાર હોય છે અને ના-સમજ હંમેશાં ના-સમજ રહે છે.

સમજદાર ‘ના’ નથી પાડી શકતા અને આ મજબૂરી એમને પુષ્કળ સ્ટ્રેસ આપનારી સાબિત થાય છે. ‘સ્મિતાબહેન સમજદાર’ ને નોકરીમાં બોસ કામ વધુ આપે કેમ કે એમના ઉપર વિશ્વાસ છે કે સ્મિતાબહેન ના નહીં પાડે! ઘરે સાસુ ‘અણસમજપ્ત જેઠાણીને કશું કહેશે નહીં એટલે અહીં કહેશે કારણ કે સાસુ સમજે છે કે સ્મિતાબહેન જ એમને સમજશે! પતિદેવને ખબર છે કે એ સમજદાર છે એટલે ગુસ્સો કરશે નહીં એટલે જમવાની ચાર મિનિટ અગાઉ કહી શકશે કે ‘હું જમીને આવ્યો છું!’ અને પાડોશીઓ ભજનના કાર્યક્રમમાં કે પાપડી વણવા બોલાવશે, સ્મિતાબહેન કોઇને ના પાડી શકે નહીં કારણ ‘સ્મિતાબહેન સમજદાર’ છે.

સમજદારીનું સાયન્સ સમજ્યા પછી એટલું જરૂર સમજાય છે કે સમજદારના મિત્ર-સ્નેહી થવું સારું! વિન્સેન્ટ વાન ગોગનો ભાઇ આ મહાન ચિત્રકારને આજીવન સમજે છે અને સાચવે છે એવી વાત ‘ધ લસ્ટ ફોર લાઇફ’ વાંચીએ એટલે સામે આવે અને આપણી લગ્ન-વિષયક જાહેરાતોમાં પણ હોય છે જ ન કે ‘જોઇએ છે સુશીલ, સમજદાર...’ અને હદ ત્યારે થાય છે જ્યારે ‘સમજદાર’ પૂરે ઘર કો સમજદારીના રંગે રંગી દેવા મથે છે! પતિ સ્વના મા-બાપને સમજે એનો અર્થ એ તો નથી જ કે પત્નીએ પણ એ રીતે જ સમજી લેવાનું!

સમજદારીની વાતમાંથી એટલું સમજાય છે કે માન્યું કે દરેકનો એક એટિટ્યૂડ હોય છે, માન્યું કે સમજદાર લાખ કોશિશ કરવા છતાં ‘ના-સમજદાર’ નથી જ થઇ શકવાનો તેમ છતાં પણ જો તમે ‘સમજદાર’ના લેબલના શિકાર બનતાં હો, તમારી સમજદારીથી તમારી નજીકના લોકોએ સહન કરવાનું આવતું હોય તો તમારી સમજદારીની સમજની પુન: સમીક્ષા કરવાની જરૂર ખરી. અને સમજી સમજીને ‘બોર’ થઇ જઇએ ત્યારે ફોર અ ચેન્જ ‘નફ્ફટ’ થઇ જવામાં લાભ જ થશે. તમને તો થશે જ, તમારા સંબંધને પણ થશે જ કારણ કે ત્યારે જ તો સામેવાળાને તમારી સમજદારીનો અહેસાસ થશે. ગોટ ઇટ?

ચલતે ચલતે:‘મારી જો શીખ લ્યો- હરીન્દ્ર દવે

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે