નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

જાણો તમારી જાતને...

 
કેટલીક વાર નાની નાની બાબતો પણ આપણને આપણા વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે. આપણે કેવી રીતે રહીએ છીએ, કામ કરીએ છીએ, ઘરના સભ્યો સાથે કેવી રીતે વર્તીએ છીએ વગેરે બાબતો પરથી જણાય છે કે આપણામાં કઇ ટેવ સારી છે અને કઇ ખરાબ? તમે પણ આવી કેટલીક બાબતોનો વિચાર કરીને તમારા વ્યક્તિત્વને જાણી શકો છો...

દરેક વ્યક્તિને શિસ્તમાં રહેવાનું પસંદ હોય છે. તમે જોતાં હશો કે શિસ્તબદ્ધ જીવન જીવવાથી કેટલા બધા લાભ થાય છે. ક્યારેક સવારે ઊઠતાં મોડું થઇ ગયું તો ચા-નાસ્તાથી લઇને ઓફિસે પહોંચવામાં પણ મોડું થઇ જાય છે અને બોસનો ઠપકો સાંભળવો પડે છે. એવી જ રીતે અચાનક મહેમાન આવી ચડે અને ઘરમાં ક્યાંક ટોવેલ પડ્યો હોય, તો ક્યાંક બાળકોના કપડાંના ઢગલા પડ્યા હોય તો ઘર કેવું અવ્યવસ્થિત લાગે છે. એટલું જ નહીં, તમારી ઇમેજ પણ કેવી ખરાબ ઊભી થાય છે. તેના બદલે ઘરમાં દરેક સભ્યને શિસ્તબદ્ધ જીવન જીવવાની આદત પાડી હોય તો આવું કંઇ બનવાની સંભાવના રહેતી નથી. એ માટે સૌપ્રથમ તમારે તમારી જાતને શિસ્તબદ્ધ બનાવવી પડે. તમે જ જો વહેલાં ઊઠીને સમયસર કામ પૂરું કરતાં હશો, તો ઘરના દરેક સભ્યોને આવી ટેવ પડશે.

શિસ્તની દ્રષ્ટિએ તમે તમારી જાતને દસમાંથી કેટલા અંક આપવાનું પસંદ કરશો? એક મિનિટ, કોઇ પણ નિર્ણય કરતાં પહેલાં અહીં આપેલા કેટલાક સવાલોના જવાબ તમારા મનમાં જ નક્કી કરો...

- શું તમે સવારે વહેલાં ઊઠી જાવ છો કે તમારા મોડા ઊઠવાને કારણે બધાં કામમાં મોડું થાય છે અને ઘરનું વાતવરણ પણ બગડે છે?

- બાથરૂમમાં મૂકેલી વસ્તુઓ, સાબુ, શેમ્પૂ, ટોવેલ વગેરે તેની ચોક્કસ જગ્યાએ હોય છે કે ગમે ત્યાં પડેલાં હોય છે? ગીઝર વધારે સમય સુધી ચાલુ રહે અથવા નળમાંથી પાણી વહ્યા કરે એવી ભૂલો તમારાથી મહિનામાં કેટલી વાર થાય છે?

- છાપાં વાંચ્યા પછી તેને બરાબર ગડી વાળીને ઠેકાણે મૂકો છો કે નહીં?

- તમારા ઘરમાં ટીવી, રેડિયો જેવા સાધનો કોઇ જોતું કે સાંભળતું ન હોય તો પણ ચાલુ રહે છે?

- સવારે ચા-નાસ્તો મોડા તૈયાર થવાથી ઘણી વાર બધાંને ખાધા-પીધા વિના જ ઘરેથી નીકળી જવું પડે છે?

- બાળકો માટે લંચબોક્સમાં શું નાસ્તો ભરવો તે નક્કી કર્યું ન હોવાથી તેમને સ્કૂલે લંચબોક્સ લીધા વિના જવું પડે છે?

- કોઇ અગત્યના ડોકયુમેન્ટ કે કંઇ જરૂરી વસ્તુની જરૂર પડે ત્યારે તે શોધવા માટે તમારે ખૂબ શોધખોળ કરવી પડે છે?

- બચત કરવાની લાલચમાં આવીને તમે ફેરિયા પાસેથી બિનજરૂરી વસ્તુઓ ખરીદીને પછી પસ્તાવ છો?

- મોટા ભાગે વધારે પડતી રસોઇ બનાવવાની ટેવના લીધે તમારે ઘણી વાર વધેલી રસોઇ ફેંકી દેવી પડે છે?

- ક્યારેક વધેલી રસોઇ ફ્રીજમાં મૂકી હોય તો બીજા દિવસે તે ભૂલી જાવ છો અને તે ખરાબ થઇ જાય ત્યાં સુધી ફ્રીજમાં જ પડી રહે છે?

- કોઇ વાર ગેસ પર દૂધ ગરમ કરવા મૂકર્યું હોય અને પાડોશી સાથે વાતો કરવામાં દૂધ ઊભરાઇ જાય છે?

- અચાનક મહેમાનો ઘરે આવી પહોંચે ત્યારે ઘર અવ્યવસ્થિત હોવાથી તમારે મહેમાનો સામે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે?

- તમારે ક્યાંય બહાર જવાનું હોય ત્યારે તમે સમયસર પહોંચી જાવ છો કે મોટા ભાગે મોડા પડો છો?

- તમે દિવસમાં મોટા ભાગનો સમય બહેનપણીઓ કે સંબંધીઓ સાથે ફોન પર ગપ્પાં મારવામાં પસાર કરો છો?

- પતિના કપડાં ધોવામાં નાખો ત્યારે તેમના પેન્ટના ખિસ્સાંમાં પૈસા કે કાગળ રહી નથી જતાં તે જોયા વિના જ ધોબીને આપી દો છો?

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે