નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ઘેર બેઠાં ‘સ્પા’ ટ્રીટમેન્ટથી સ્વસ્થ રહો

એમ કહેવાય છે કે, લગભગ પાંચ હજાર વર્ષોથી આયુર્વેદ ઉપચાર લોકો કરે છે અને બ્રહ્માજીએ આયુર્વેદની ભેટ આપી છે. હવે આયુર્વેદ માત્ર પ્રાકૃતિક ઉપચારો સુધી જ સીમિત નથી. તેમાં ઘણો બદલાવ આપ્યો છે. આયુર્વેદમાં બચાવ અને ઉપચાર બંને છે. જો તમારૂં પેટ સાફ તો તમને કોઈ રોગ નથી, એ સિઘ્ધાંતમાં આયુર્વેદ માને છે.
ભારતમાં સ્પાનો મતલબ છે, વિવિધ પ્રકારના મસાજ, સ્નાન, યોગ, મેડિટેશન તથા પ્રાકૃતિક ભોજનથી શરીરની તાણ તથા થાક ઘટાડવી. તેમાં મુખ્યત્વે પંચકર્મ પર ભાર મૂકવામાં આવે છે. શરીરનું આંતરિક અને બાહ્ય સૌંદર્ય એકબીજા સાથે જોડાયેલા છે. તે બધા જ બીનસ્વાસ્થ્યપ્રદ પદાર્થોને શરીરની બહાર કાઢીને સ્વાસ્થ્ય સુધારે છે. ભૂખ વધારે છે તથા પાનચક્રિયાને નિયંત્રિત કરે છે. આ ઉપચારમાં આપવામાં આવતી સુવિધાઓના માઘ્યમથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને માનસિક તાણ દૂર થાય છે. જેમાં સોના બાથ, સ્ટીમ, ટરકીશ બાથ, બોડી રેપ્સ, હાઈડ્રોથેરપી, વિચી શાવર્સ, મસાજ, વર્કઆઉટ, એક્સરસાઈકલ, સ્ટેપર્સ, બેંચપ્રેસ, વજન ઉપાડવું વગેરેનો સમાવેશ થાય છે.
પરંતુ આ સ્પા થેરપીનો ઉપયોગ બધાના ખિસ્સાને પરવડતો નથી. એટલે આપણે થોડા ઘરગથ્થુ ઉપચારો વડે ઘરે બેઠા સ્પાની સારવાર મેળવી શકવાના નુસ્ખા જાણીએ.
ઓલીવ ઓઈલથી ત્વચામાં તાજગી
ઓલીવ ઓઈલ એટલે જૈતુનનું તેલ ઘણા હર્બલ તેલ અને મોઈશ્ચરાઈઝરમાં નાંખવામાં આવે છે. ઓલીવ ઓઈલનો સૌંદર્ય નિખારવામાં ઉપયોગ
* ચમકદાર વાળ માટે ઘરે બેઠા કંડીશ્નર બનાવો ૨ ઓલિપ્સ (જૈતુન) ૧ ઈંડાની સફેદી અને થોડુ ઓલીવ ઓઈલ.
* જો તમને ખોડો હોય તો, વાળના મૂળમાં શેમ્પૂ કરતાં પહેલા ઓલીવ ઓઈલથી મસાજ કરો.
* ત્વચાને યુવાન બનાવી રાખવા રાતના સૂતા પહેલાં ત્વચા પર ઓલીવ ઓઈલથી માલિશ કરો. તેનાથી ફેશિયલ પણ કરી શકાય. તે માટે એવોકાડો તથા ઓલીવ ઓઈલ જોઈએ. એવોકાડોને છૂંદીને તેમાં ૧/૨ કપ ઓલીવ ઓઈલ ભેળવો. આનાથી ૧૫ મિનિટ ત્વચા પર મસાજ કરવાથી ફાયદો થશે.
* ખરબચડા નખ પર ઓલીવ ઓઈલનો મસાજ કરવાથી નખ સારા થઈ જશે.
* ખીલની સમસ્યા દૂર કરવા ૧૦ ટીપાં ઓલીવ ઓઈલ અને ૧૦ ટીપાં લવેન્ડર ઓઈલ મિક્સ કરીને લગાડો. જરૂર ફાયદો થશે.
મધ ઃ મધનું પણ સૌંદર્ય વધારવામાં મહત્વનું સ્થાન છે. અને મધ લગભગ પ્રત્યેક ઘરમાં હોય છે.
* ઠંડી ઋતુમાં દૂધમાં મધ નાંખીને તો પીવું જોઈએ. પરંતુ તે ત્વચાને યુવાન બનાવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી ત્વચા સૌમ્ય અને મુલાયમ બને છે.
* ૧/૨ કપ મધમાં ૧/૪ કપ ઓલીવ ઓઈલ ભેળવીને વાળમાં મસાજ કરો. આનાથી વાળ પર થર જામી જશે શાવર કેપ પહેરીને ૧/૨ ક્લાક રહેવા દો. ત્યાર બાદ શેમ્પૂ કરો. વાળ એકદમ મુલાયમ બની જશે.
* ક્લીન્સીંગ સ્ક્રબ પણ ઘરે બેસીને બનાવી શકાય છે. ૧ મોટી ચમચી મધ ૨ ચમચા બદામનો ભૂકો, ૧/૨ ચમચી લીંબુનો રસ ભેળવીને હળવા હાથે ચહેરા પર મસાજ કરો. પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો.
* ચહેરાની ત્વચા ઢીલી પડી ગઈ હોય તો ૧ મોટો ચમચો મધ, ૧ ઈંડાનો સફેદ ભાગ, ૧ નાની ચમચી ગ્લીસરીન અને થોડો લોટ લઈને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા તથા ગળા પર લગાડો. ૧૦ મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ નાંખો.
* ચહેરાને ટોનઅપ કરવા માટે ૧ મોટો ચમચો મધ, ૧ મસળેલું સફરજન ભેળવીને લગાડો. ૧૫ મિનિટ રહેવા દો અને ઠંડા પાણીથી મોઢું ધોઈ લેવું.
* ચહેરાને કોમળ બનાવવા માટે ૨ મોટા ચમચા મધનાં ૨ નાની ચમચી દૂધ ભેળવો. આ મિક્સરને ચહેરા તથા ગળા પર લગાડો અને હુંફાળા પાણીથી ધોઈ નાંખો.
* ત્વચાને મુલાયમ અને મખમલી અનુભવ થાય તે માટે ૧/૪ કપ મધ નહાવાના પાણીમાં ભેળવો. આખોદિવસ સુગંધ આવશે.
* ૧/૨ કપ ઓટ્સ, બાસમતી અથવા બ્રાઉન ચોખાનો, તથા પાઉડર મિલ્ક, ૩ નાની ચમચી લીલી ચા તથા ૧/૨ ચમચી નારિયેળ અથવા વેનીલા એક્સટ્રેક્ટ લઈને મિક્સરમાં મિક્સ કરો. આને પાતળા કપડામાં બાંધીને દોરીની મદદથી બાલ્દીની ઉપર લટકાવો અને ગરમ પાણીનો નળ ખોલો. પોટલી બાલ્દીમાં અડધી ડુબેલી હોવી જોઈએ. આ પોટલીને વચ્ચે વચ્ચે નિચોવો. અને પછી પાણીને ઠંડુ થવા દો. ૧૫ થી ૩૦ મિનિટ પોટલી તેમાં ડુબેલી રહેવા દો. પછી સ્નાન કરો.
* ૧/૨ કપ એપ્સમ સૉલ્ટ, ૧/૨ કપ સી સૅાલ્ટ, ૧/૨ કપ કુલ ક્રીમ દૂધ તથા ઓટમીસ મિક્સ કરો. એસંશિયલ ઓઈલના થોડા ટીપાં ભેળવી હુંફાળા ગરમ પાણીમાં ૧/૨ કપ આ મિક્સને ભેળવો.
* પાતળા કપડામાં સુકો અથવા તાજા ફુદીનાના પાન, તેજપત્તા, ૧ નાની ચમચી નાળિયેરનું તેલ તથા બદામનું તેલ ભેળવો. આનેે ગરમ પાણીમાં નાંખીને નહાવું.
* પાંચ ટીપાં લેવેન્ડર એસેંશિયલ ઓઈલને ૧ કપ દૂધમાં ભેળવો. અને તેને નહાવાન પાણીમાં નાંખવું.
* રૂને ઠંડા દૂધમાં બોળી નિચોવીને આંખ પર ૧૦ મિનિટ રાખો. ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો.
લીંબુ
લીંબુના રસથી મગજ તથા શરીરને રાહત મળે છે. તથા તેમાં રહેલા કુદરતી એસેંશિયલ ઓઈલથી સ્ફૂર્તિ પણ મળે છે.
* સવારના લીંબુનો મસાજ કરવાથી આખો દિવસ તાજગી રહે છે. ૩ ટીપાં ઓલીવ ઓઈલ અથવા બદામના તેલમાં ભેળવો. અને આ મિક્સરને હાથ પગ પર લગાડો.
* તૈલી ત્વચા માટે લીંબુનો રસ અને પાણી ભેળવીને લગાડો. ઈંડાની સફેદીમાં લીંબુનો રસ ભેળવીને લગાડવાથી ડાઘ જતા રહેશે.
* હાથ-પગની કડક થઈ ગયેલી ત્વચા પર લીંબૂુ ઘસો. કાળાશ જશે. માથામાં લીંબુ ઘસવાથી ખોડો જશે.
શિકાકાઈ
શિકાકાઈને પાણીમાં ભેળવીને વાળને સ્વચ્છ કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં પીએચ બેલેન્સ ઓછું હોય છે. એટલે વાળમાં જરૂરી તેલ રહે છે. તેના પાવડરથી વાળમાં જમા થયેલી ગંદકી જલ્દી દૂર થાય છે.
* ઘરમાં શિકાકાઈને કાપીને ૨ નાના ચમચા આમળા અને મેથીને સાથે મેળવો. તેમાં સુકા મીઠા લીમડાના પાન તથા હિબિસકસના ફૂલ મેળવો. થોડા પાણીમાં ભેળવીને સ્કેલ્પ પર લગાડો. આનાથી વાળ વધશે અને ઠંડક મળશે.
* આમળાથી વાળનો રંગ ઘેરો થાય છે.
* શિકાકાઈમાં એસ્ટ્રીજન્ટ તત્વ હોય છે. એટલે ખોડામાંથી રાહત મળે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે