નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ખૂલી રહ્યો છે ગૂગલનો ઇ -બુકસ્ટોર

જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તે ગૂગલના ઇ-બુકસ્ટોરને વિશ્વભરમાં આગામી વર્ષના પ્રથમ ત્રિમાસમાં જ લોન્ચ કરવામાં આવશે. જોકે અમેરિકામાં તો આ વર્ષના અંતભાગમાં જ તે લોન્ચ થઇ જશે. વોલ સ્ટ્રીટ જર્નલવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઇ-બુક વેચવા માટે ગૂગલ સ્વતંત્ર પુસ્તક વેચાણકર્તા અને પ્રકાશકો સાથે વાટાઘાટોમાં વ્યસ્ત છે.

આ વ્યવસ્થા સંપન્ન થતાં ગ્રાહકો સીધા ગૂગલ પાસેથી પુસ્તક ખરીદી શકશે. ગ્રાહક મલ્ટિપલ ઓનલાઇન રિટેલર્સ પાસેથી પણ ઇ-બુક ખરીદી શકશે. માનવામાં આવે છે કે ડિજિટલ પુસ્તક બજારમાં ગૂગલના પ્રવેશ સાથે આ બજારમાં જેમનો દબદબો છે .એવી એમેઝોન અને એપ્પલ જેવી કંપનીઓ સામે ખતરો સર્જાશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે