નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સ્નાન પછી જ ભોજન કેમ?

આપણા શાસ્ત્રમા વગર સ્નાન કર્યા ભોજન કરવુ વર્જિત બતાવવામા આવ્યુ છે. શાસ્ત્રોમાં લખવામા આવ્યુ છે કે - અસ્નાયી સમલં ભુત્કે! એનો અર્થ છે કે સ્નાન કર્યા વગર ભોજન કરવુ મળ ખવા બરોબર છે.

આમ તો વર્તમાન સમયમાં એ વાતો પર ધ્યાન કરવામા નથી આવતુ પરંતુ આ તથ્યની પાછળ ન માત્ર ધાર્મિક પરંતુ વૈજ્ઞાનિક કારણ છે. વૈજ્ઞાનિકના મત મુજબ સ્નાનથી શરીરના દરેક ભાગને નવુ જીવન પ્રાપ્ત થાય છે. શરીરમા પાછલના દિવસનુ એકત્ર બધા પ્રકારનુ મેલ સ્નાન અને દાંતણથી સાફ થઈ જાય છે તથા શરીર માટે પુષ્ટિવર્ધક હોય છે.

જ્યારે સ્નાન પહેલા કંઈ પણ ખાવાથી આપણી જઠરાગ્નિ તેને પચાવવામા લાગી જાય છે. સ્નાન કરવાથી શરીર શીતળ થઈ જાય છે જેનાથી પેટની પાચન શક્તિ મંદ થઈ જાય છે. આના કારણે આપણુ આંત્રશોધ નબળુ પડી જાય છે, કબજિયાત થઈ શકે છે તથા અન્ય ઘણા પ્રકારના રોગ થઈ શકે છે. એટલા માટે સ્નાન પહેલા ભોજન કરવુ વાર્જિત માનવામા આવ્યુ છે.

જરૂરી હોય તો શેરડીનો રસ, પાણી, દુધ, ફળ અને ઔષધિ સ્નાન પહેલા લઈ શકાય છે કેમ કે આમા પાણીની માત્રા વધારે હોય છે જેનાથી જડપથી પચી જાય છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા