નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ક્યારે કરવી જોઈએ ઘરની સફાઈ?

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘર સાફ અને સ્વચ્છ રહે. ઘરમાં કોઈ પણ પ્રકારની ગંદકી, ધૂળ-માટી ન હોય. ઘરનું વાતાવરણ મનને શાંતિ આપનારું હોય. જ્યારે આપણે વધુ કામથી થાકનો અનુભવ કરીએ ત્યારે એ જોઈને આપણું મન શાંત થઈ જાય.



એવામાં જરુરી છે ઘરની સાફ- સફાઈ. આ સંબંધમાં વિદ્વાનો માને છે કે ઘરની સફાઈ સવારે કરવી જોઈએ. રાત્રે આ કાર્ય શુભ માનવામાં નથી આવતું.


દરરોજ ઘરની સાફ- સફાઈ કરવી જોઈએ. પોતું કરવું જોઈએ. સામાન્ય રીતે દરેક ઘરમાં સવારે સ્નાન પહેલા સાફ-સફાઈ થઈ જતી હોય છે. ધર્મશાસ્ત્રોમાં સાંજે કે રાત્રિના સમયે ઘરમાં સાફ સફાઈ કરવી નિષેધ માનવામાં આવે છે.


આ જ કારણે ઘરમાં કચરાને લીધે બિમારી ફેલનારા કિટાણુ રહે છે જે સફાઈ દરમ્યાન આપણા શરીર પર ચોંટી જાય છે. આ કિટાણુ શરીર માટે હાનિકારક છે. સવારે સફાઈ કર્યા બાદ ઘરના દરેક સદસ્ય સ્નાન કરે છે. જેનાથી શરીર પર લાગેલા કિટાણુ સાફ થઈ જાય છે. આ કિટાણુઓથી બીમારી ફેલાવવાની સંભાવના છે. પરંતુ જો રાત્રે સફાઈ કરવામાં આવે તો કિટાણુઓ ઘરના સદસ્ય પર ચોંટી જાય છે. રાત્રે મોટા ભાગે લોકો નહાતા પણ નથી આ સમયે આ કિટાણુઓ આપણી તંદુરસ્તી માટે જોખમી છે. તેનાથી બચવા માટે રાત્રિના સમયે સાફ સફાઈ કરવી નિષેધ માનવામાં આવે છે.


Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા