નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પાઈનેપલનો ટુકડો તમારી Dry Skinમાટે બની જશે વરદાન




ગરમી શરૂ થઈ ગઈ છે તો ચાલો ઘેર બેઠા કરીએ સ્કીન કેર

- ત્વચા કોમળ અને મુલાયમ રહે એ માટે પાઇનેપલની એક સ્લાઇસની પેસ્ટ બનાવી તેમાં નારંગી કે લીંબુનો રસ મિકસ કરો અને ઘઉંનો લોટ ભેળવી આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો.
- શુષ્ક ત્વચા પર મેકઅપ કરતાં પહેલાં રૂના પૂંમડાંને ગ્લિસરીનવાળું કરી ચહેરા પર લગાવો. તે પછી ફાઉન્ડેશન લગાવો.
- લીંબુના રસમાં આંબળાનો પાઉડર ભેળવીને વાળમાં લગાવવાથી વાળ ઝડપથી વધે છે.
- જાયફળને પાણી સાથે ઘસી તેનો લેપ આંખની નીચે થયેલા કાળા કુંડાળા અને ચહેરા પરના કાળા ડાઘા પર લગાવવાથી ડાઘ દૂર થાય છે.
- તરબૂચનો ગર તૈલી ત્વચા પર લગાવવાથી ત્વચાની ચીકાશ દૂર થાય છે અને ચહેરો ફ્રેશ લાગે છે.
- ઉનાળામાં પણ જો તમારા હોઠ ફાટી જતાં હોય તો રોજ રાત્રે હોઠ પર ઓલિવ ઓઇલ લગાવવાથી તે કોમળ અને મુલાયમ બની જશે.
- ગાજરના નાના ટુકડા કરીને તેને બાફી લો. તેના માવાને ક્રશ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. શ્યામ ત્વચાના નિખાર માટે અત્યંત ઉપયોગી છે.
- કાચા પપૈયાને ક્રશ કરીને તેને ચહેરા અને ગરદન પર લગાવો. સૂકાઇ જાય એટલે તેને ધોઇ લો. આનાથી રોમછિદ્રોમાં ભરાયેલો મેલ નીકળી જશે.
- મુલતાની માટીમાં દહીં ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચા કાંતિવાન બનશે.
- ઉનાળામાં ત્વચા ટેન ન થઇ જાય તે માટે નિયમિત સનસ્ક્રીન લોશન લગાવવાનું રાખો

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ