નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફટાફટ ઉતારો 'મેંદુવડા'

 
 
3 વ્યક્તિઓ માટે બનાવો જિંજર મેંદુવડા

સામગ્રી
-2 કપ અડદની દાળ
-2 ટે. સ્પૂન સોજી
-1 ટે સ્પૂન જીણી સમારેલી કોથમીર
-7-8 લીલા મરચાં
-ટુકડો આદુ જીણું સમારેલુ
-1/2 કપ દહીં
-તળવા માટે તેલ

રીત

-અડદની દાળને 6 કલાક સુધી પલાળી રાખો બાદમાં તેને દહીં સાથે મિક્સ કરી અધકચરુ પીસી લો
-પિસેલી દાળમાં સોજી મેળવી તેને સારી રીતે ફેટી લો અને મીઠું ઉમેરો
-વ્યવસ્થિત રીતે આ મિક્સચર ફેટાઈ જાય એટલે તેમાં લીલુ મરચું, આદુ કટરમાં ક્રશ કરી ભેળવી લો
-હવે હથેળીમાં પાણી લગાવી આ ખીરાના મોટા મોટા ગોટા લઈ તેમાં વચ્ચે કાણું પાડી તેને ડીપ ફ્રાય કરો
-ગરમ ગરમ વડા તૈયર છે તેને નારિયળની ચટની સાથે સર્વ કરો

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ