નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં ગાબડાં, 50 થી 55% મકાનો ખાલી


 
- અમદાવાદમાં 50 થી 55 ટકા મકાનો ખાલી પડ્યા છે
- સેટેલાઇટમાં અત્યારે 35 ટકા, થલતેજમાં 10 ટકા, સાયન્સ સીટી રોડ પર 50 ટકા, સોલા રોડ પર 45 ટકા જેટલાં મકાનો ખાલી - બોપાલમાં તો 70 થી 75 ટકા,ઘૂમામાં 35 ટકા મકાનો ખાલી પડ્યા છે
- ઊંચા ભાવો, હોમલોનના દરો ઊંચા તેમજ વધતી મોંઘવારીના લીધે ગ્રાહકો ખરીદી માટે આગળ આવતા નથી
- બ્રોકરોને ત્યાં ઇન્કવાયરી નહિવત
- ખરેખર ખરીદનાર વર્ગને હાલ બિલ્ડરો 15 થી 20 ટકા ડિસ્કાઉન્ટની સાથો સાથ કેટલીક આકર્ષક ઓફરો પણ કરી રહ્યા છે
 
અમદાવાદના વિકાસની દેશભરમાં ચર્ચા થઇ રહી છે. અમદાવાદમાં ચોતરફ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગોનો ગઢ ઉભા થઇ રહ્યા છે પરંતુ આ તેના પર અત્યારે બ્રેક લાગી ગઇ હોય તેવા સમાચાર માર્કેટમાંથી મળી રહ્યા છે. રિઅલટી માર્કેટ મંદી તરફ આગળ વધી રહ્યું છે.

સેટેલાઇટ, બોપલ, ઘૂમા, ગોતા-થલતેજ, સોલારોડ, ભૂયંગદેવ, ઘાટલોડિયા, આંબાવાડી, નારણપુરા, એલિસબ્રીજ, નહેરૂનગર, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં વેચાણમાં મોટા ગાબડા આવ્યા છે. કેટલાંય બિલ્ડરોના મકાનો ખાલી છે. જૂના અને નવા અમદાવાદની સાથે આજુબાજુના વિસ્તારનો સમાવેશ કરીને કહીએ તો અમદાવાદમાં 50 થી 55 ટકા મકાનો ખાલી પડ્યા છે.

સેટેલાઇટમાં અત્યારે 35 ટકા, બોપાલમાં તો 70 થી 75 ટકા, થલતેજમાં 10 ટકા, સાયન્સ સીટી રોડ પર 50 ટકા, સોલા રોડ પર 45 ટકા જેટલાં મકાનો ખાલી છે, જ્યારે એસ.પી.રિંગરોડની પેલી બાજુ તો જાણે ડેવલપર્સોએ કામ રોકી જ દીધું છે. કારણ કે માર્કેટમાં કોઇ લેવાલ જ નથી.

આ અંગે અમદાવાદ બ્રોકર સાથે વાત કરતાં કહ્યું કે ઊંચા ભાવો, હોમલોનના દરો ઊંચા તેમજ વધતી મોંઘવારીના લીધે ગ્રાહકો ખરીદી માટે આગળ આવતા નથી. અમદાવાદમાં નવી સ્કીમોની સાથો સાથ રિસેલમાં પણ ખાસ લેવાલી નથી. મને યાદ છે કે તેજીના સમયમાં દિવસની 25 થી 30 ઇન્કવાયરી આવતી હતી, તેની જગ્યાએ હાલ માંડ 3 થી 4 ઇન્કવાયરી આવી રહી છે.

બોપલ-ઘૂમાવાળા તો પટ્ટો જાણે ખાલી જ પડ્યો છે. અહીંના પ્રોપર્ટી માર્કેટ અંગે કહેવાય છે કે 'ક્વોલિટી ઓફ લાઇફ' ન હોવાથી એટલે કે ગટર, રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ વગેરેની વ્યવસ્થિત સુવિધા ન હોવાના લીધે ગ્રાહકો ત્યાં જઇ રહ્યા નથી. તેમજ એક વર્ગ એવું પણ માની રહ્યું છે કે બોપલ તો હવે ગીચ થઇ ગયું છે. તદઉપરાંત અહીંનું પાણી ક્ષારવાળું હોવાથી લોકો અહીંથી દૂર ભાગી રહ્યા છે. ઘૂમામાં પણ 35 ટકા મકાનો ખાલી પડ્યા છે.
 
હાલ બિલ્ડરો ભલે એમ કહેતાં હોય કે અમે ડિસ્કાઉન્ટમાં મકાનો આપતા નથી, પણ ખરેખર ખરીદનાર વર્ગને હાલ બિલ્ડરો 15 થી 20 ટકા ડિસ્કાઉન્ટની સાથો સાથ કેટલીક આકર્ષક ઓફરો પણ કરી રહ્યા છે.

આ અંગે સેટેલાઇટના બ્રોકર સાથે વાત કરતાં કહ્યું કે મકાનોના ભાવ આસમાને, બેંક લોનની મુશ્કેલીઓ, ઊંચા વ્યાજદરો અને વધતી મોંઘવારીના લીધે અહીં મકાનો વેચાય રહ્યા નથી. અત્યારે ગ્રાહકોની ઇન્કવાયરી જ નથી, અમે સાવ નવરા બેસી રહ્યા છીએ. એમ કહીએ તો પણ ચાલે.

ત્યારે આંબલી-બોપલમાં બ્રોકરેજનું કામ કરનાર સાથે વાત કરતાં જણાવ્યું કે પ્રોપર્ટી માર્કેટમાં મંદી જબરજસ્ત દેખાઇ રહી છે. માર્કેટમાં ખાસ પૈસો ફરતો દેખાતો જ નથી. બીજું એક કારણ કે મધ્યમ વર્ગના લોકો માટે મકાનો ખાસ જોવા મળતા જ નથી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે