નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં ગાબડાં, 50 થી 55% મકાનો ખાલી


 
- અમદાવાદમાં 50 થી 55 ટકા મકાનો ખાલી પડ્યા છે
- સેટેલાઇટમાં અત્યારે 35 ટકા, થલતેજમાં 10 ટકા, સાયન્સ સીટી રોડ પર 50 ટકા, સોલા રોડ પર 45 ટકા જેટલાં મકાનો ખાલી - બોપાલમાં તો 70 થી 75 ટકા,ઘૂમામાં 35 ટકા મકાનો ખાલી પડ્યા છે
- ઊંચા ભાવો, હોમલોનના દરો ઊંચા તેમજ વધતી મોંઘવારીના લીધે ગ્રાહકો ખરીદી માટે આગળ આવતા નથી
- બ્રોકરોને ત્યાં ઇન્કવાયરી નહિવત
- ખરેખર ખરીદનાર વર્ગને હાલ બિલ્ડરો 15 થી 20 ટકા ડિસ્કાઉન્ટની સાથો સાથ કેટલીક આકર્ષક ઓફરો પણ કરી રહ્યા છે
 
અમદાવાદના વિકાસની દેશભરમાં ચર્ચા થઇ રહી છે. અમદાવાદમાં ચોતરફ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગોનો ગઢ ઉભા થઇ રહ્યા છે પરંતુ આ તેના પર અત્યારે બ્રેક લાગી ગઇ હોય તેવા સમાચાર માર્કેટમાંથી મળી રહ્યા છે. રિઅલટી માર્કેટ મંદી તરફ આગળ વધી રહ્યું છે.

સેટેલાઇટ, બોપલ, ઘૂમા, ગોતા-થલતેજ, સોલારોડ, ભૂયંગદેવ, ઘાટલોડિયા, આંબાવાડી, નારણપુરા, એલિસબ્રીજ, નહેરૂનગર, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં વેચાણમાં મોટા ગાબડા આવ્યા છે. કેટલાંય બિલ્ડરોના મકાનો ખાલી છે. જૂના અને નવા અમદાવાદની સાથે આજુબાજુના વિસ્તારનો સમાવેશ કરીને કહીએ તો અમદાવાદમાં 50 થી 55 ટકા મકાનો ખાલી પડ્યા છે.

સેટેલાઇટમાં અત્યારે 35 ટકા, બોપાલમાં તો 70 થી 75 ટકા, થલતેજમાં 10 ટકા, સાયન્સ સીટી રોડ પર 50 ટકા, સોલા રોડ પર 45 ટકા જેટલાં મકાનો ખાલી છે, જ્યારે એસ.પી.રિંગરોડની પેલી બાજુ તો જાણે ડેવલપર્સોએ કામ રોકી જ દીધું છે. કારણ કે માર્કેટમાં કોઇ લેવાલ જ નથી.

આ અંગે અમદાવાદ બ્રોકર સાથે વાત કરતાં કહ્યું કે ઊંચા ભાવો, હોમલોનના દરો ઊંચા તેમજ વધતી મોંઘવારીના લીધે ગ્રાહકો ખરીદી માટે આગળ આવતા નથી. અમદાવાદમાં નવી સ્કીમોની સાથો સાથ રિસેલમાં પણ ખાસ લેવાલી નથી. મને યાદ છે કે તેજીના સમયમાં દિવસની 25 થી 30 ઇન્કવાયરી આવતી હતી, તેની જગ્યાએ હાલ માંડ 3 થી 4 ઇન્કવાયરી આવી રહી છે.

બોપલ-ઘૂમાવાળા તો પટ્ટો જાણે ખાલી જ પડ્યો છે. અહીંના પ્રોપર્ટી માર્કેટ અંગે કહેવાય છે કે 'ક્વોલિટી ઓફ લાઇફ' ન હોવાથી એટલે કે ગટર, રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ વગેરેની વ્યવસ્થિત સુવિધા ન હોવાના લીધે ગ્રાહકો ત્યાં જઇ રહ્યા નથી. તેમજ એક વર્ગ એવું પણ માની રહ્યું છે કે બોપલ તો હવે ગીચ થઇ ગયું છે. તદઉપરાંત અહીંનું પાણી ક્ષારવાળું હોવાથી લોકો અહીંથી દૂર ભાગી રહ્યા છે. ઘૂમામાં પણ 35 ટકા મકાનો ખાલી પડ્યા છે.
 
હાલ બિલ્ડરો ભલે એમ કહેતાં હોય કે અમે ડિસ્કાઉન્ટમાં મકાનો આપતા નથી, પણ ખરેખર ખરીદનાર વર્ગને હાલ બિલ્ડરો 15 થી 20 ટકા ડિસ્કાઉન્ટની સાથો સાથ કેટલીક આકર્ષક ઓફરો પણ કરી રહ્યા છે.

આ અંગે સેટેલાઇટના બ્રોકર સાથે વાત કરતાં કહ્યું કે મકાનોના ભાવ આસમાને, બેંક લોનની મુશ્કેલીઓ, ઊંચા વ્યાજદરો અને વધતી મોંઘવારીના લીધે અહીં મકાનો વેચાય રહ્યા નથી. અત્યારે ગ્રાહકોની ઇન્કવાયરી જ નથી, અમે સાવ નવરા બેસી રહ્યા છીએ. એમ કહીએ તો પણ ચાલે.

ત્યારે આંબલી-બોપલમાં બ્રોકરેજનું કામ કરનાર સાથે વાત કરતાં જણાવ્યું કે પ્રોપર્ટી માર્કેટમાં મંદી જબરજસ્ત દેખાઇ રહી છે. માર્કેટમાં ખાસ પૈસો ફરતો દેખાતો જ નથી. બીજું એક કારણ કે મધ્યમ વર્ગના લોકો માટે મકાનો ખાસ જોવા મળતા જ નથી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા