નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બનાવો ચટાકેદાર, 'મેથીનો મસાલો'
















 
ચટાકેદાર મેથીનો મસાલો

સામગ્રી:-

1 કપ મેથીના કુરિયા
2 ચમચા રાઈનાં કુરિયા
1 ચમચી હળદર
2 મોટા ચમચા સરસવનું તેલ અથવા દિવેલ
1/4 કપ મીઠુ
ચપટી હિંગ જોઈતા
2 કપ મરચું

રીત:-

-મીઠાંને એક તવામાં પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી શેકી લો.
-ત્યાર બાદ એક મોટી તપેલી લઈ શેકેલા મીઠાંને પાથરી દો.
-મેથીનાં કુરિયાને એક ચમચી દિવેલ અથવા સરસવનાં તેલમાં આછા તાપે બે મિનિટ શેકવા.
-આ શેકેલા મેથીના કુરિયાને તપેલીમાં મૂકેલાં મીઠાંની ઉપર પાથરો
-આ પ્રમાણે રાઈનાં કુરિયાને શેકીને મેથીનાં કુરિયાની ઉપર પાથરો
-તેમાં થોડી હળદર અને ઉપર હિંગ ઉમેરો
-એક વાડકામાં 2 ચમચા સરસવનું તેલ અથવા દિવેલ ગરમ કરવું.
-આ ગરમ થયેલું તેલ હિંગ પર રેડવું અને તરત જ ઢાંકી દેવું.
-પાંચ મિનિટ બાદ આ મિશ્રણ મિક્સ કરી લેવું
-આ મિશ્રણ એકદમ ઠંડુ પડે તેમાં મરચું ભેળવો.
-લ્યો તૈયાર છે ચટાકેદાર મેથીનો મસાલો, આ આપ કોઈપણ વસ્તુ સાથે ખાવામાં વાપરી શકો છો

નોંધ -આ મસાલો કેરીનું ખાટું અથાણું બનાવવા પણ ઉપયોગી છે.
-આ મસાલો ખાખરા પર ઘી લગાડી ખાવામાં ઉપયોગ લઈ શકાય છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા