નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બાળક ગુમ ન થઇ જાય તે અંગે માતા-પિતાએ ખાસ જાણવા જેવું

 
આજકાલ જે રીતે બાળકો ગુમ થવાનાં કિસ્સા સાંભળવા મળે છે, તેના લીધે ઘણી વાર પ્રશ્ન થાય કે આપણા બાળકો કેટલાં સુરક્ષિત છે?

વાલીએ પોતાનાં બાળકોને સમજાવવું જોઇએ કે તેઓ ગમે ત્યાં જાય, તો તેમને જાણ કરીને જાય. એટલું જ નહીં, બાળકને એક ઓળખપત્ર પણ આપી રાખવું જોઇએ જેથી કોઇને મળે તો તેને ઘરે મોકલી શકે.

‘બચપન બચાવો આંદોલન’ નામની એક સંસ્થાએ તાજેતરમાં દેશમાં ગુમ થતાં બાળકો ઉપર એક અભ્યાસ કરી ચોંકાવનારી વિગતો બહાર પાડી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના ૩૯૨ જિલ્લામાં કરવામાં આવેલો આ અભ્યાસ બતાવે છે કે જાન્યુઆરી ૨૦૦૮થી જાન્યુઆરી ૨૦૧૦ સુધીના સમયગાળામાં લગભગ ૧,૧૭,૪૮૦ બાળકો ગુમ થયાં છે. એવી જ રીતે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પણ જણાવ્યું છે કે ૨૦૦૪થી ૨૦૦૫ દરમિયાન ૪૪,૦૦૦ બાળકો દર વર્ષે ગુમ થાય છે. જેમાંથી ચોથા ભાગનાં મળી આવતાં નથી. તાજેતરમાં આપણે જોયું કે એક નાની બાળકી ઘરમાંથી કોઇ પ્રસંગમાં ગઇ અને ત્યાંથી ગુમ થઇ ગઇ.

બાળકીની શોધ હજુ પણ ચાલુ છે. પ્રશ્ન એ છે કે આપણા બાળકો કેટલાં સુરક્ષિત છે અને એમની સુરક્ષા માટે કોણ જવાબદાર છે?બાળકોની કાળજી અને રક્ષણ લેવાની પ્રાથમિક જવાબદારી તેના પરિવારની છે અને વિશેષ જવાબદારી સરકારની આવે છે. જેને સંવિધાનમાં ખાસ કહેવામાં આવ્યું છે કે રાજ્યે બાળકોની સુરક્ષાની વ્યવસ્થા કરવી એ તેની ફરજ છે. બાળક તો પોતાનું ધ્યાન રાખી શકે તેટલું સમજદાર હોતું નથી અને એટલે જ બાળકનું ધ્યાન રાખવાની જવાબદારી મા-બાપ, પરિવાર, શાળા, પોલીસ અને સમાજની થઇ પડે છે.

ગુમ થયેલ બાળકને શોધવા પોલીસ અને મીડિયા એટલે કે છાપાંવાળા, મેગેઝિનવાળા અને ટેલિવિઝનવાળા ચોક્કસ મદદરૂપ થાય છે, પરંતુ ઘણી વાર અથાગ પ્રયત્ન કરવા છતાં ગુમ થયેલ બાળક મળી આવતું નથી. ઉપર જણાવેલ સંસ્થાએ જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એમાં એવું પણ નીકળ્યું છે કે બાળકોનું અપહરણ કરીને તેમને બીજા રાજ્યોમાં લઇ જઇને મજૂરી અથવા ભીખ મગાવવાના કાર્યમાં અથવા શારીરિક શોષણના ભોગ બનાવાય છે. ઘણી વાર બાળકોને રીતસરનું અપહરણ કરીને પરદેશ પણ મોકલી દેવામાં આવતાં હોય છે. આ બધાં બાળકોને તકલીફમાંથી ઉગારવાના પ્રયત્નો નિષ્ફળ નીવડે છે અને એટલે જ માતા-પિતા અને શાળા સંચાલકોએ ધ્યાનમાં રાખવા જેવી થોડી વાત બાળકોને ગુમ થતાં અટકાવી શકે છે.

સૌથી પહેલું તો મા-બાપે તેમનાં બાળકોને પોતાની નજરથી દૂર કરવા ન જોઇએ એટલે કે તેમના ઉપર સતત નજર રાખવી જોઇએ. તેને ઘરમાં, ગાડીમાં, બજારમાં અથવા કોઇ પણ પ્રસંગે ગયા હોય તો ત્યાં તેને એકલું મૂકવું ન જોઇએ. પોતાના બાળકને સુરક્ષિત રહેવા માટે હંમેશાં કહેતાં રહેવું જોઇએ. પોતાના બાળકનો લેટેસ્ટ ફોટોગ્રાફ હોવો જોઇએ અને તેનું વજન, ઊંચાઇ, આંખનો કલર અને શરીર પર કોઇ ઓળખચહિ્ન હોય તેની જાણકારી હોવી જોઇએ. બાળકના મિત્રના સરનામાં, તેના મા-બાપનાં નામ અને બાળક જ્યાં જ્યાં જતું હોય ત્યાંના ફોન નંબર હોવા બહુ જ જરૂરી છે.

બાળકને પણ હંમેશાં તેની જોડે એક ઓળખપત્ર જેવું આપી રાખવું જોઇએ. જેમાં એની બધી જ વિગતો હોય અને બાળકને સતત કહેતાં રહેવું જોઇએ કે અજાણી વ્યક્તિ જોડે ક્યારેય વાત ન કરે કે અજાણી વ્યક્તિ પાસેથી તે ગમે તે વસ્તુ આપે તો ન લે. બાળકને એટલું પણ શીખવવું જોઇએ કે હંમેશાં ગ્રૂપમાં જ રહે, એકલું ન રહે અને જો કોઇ અજાણી વ્યક્તિ નજીક આવે કે હાથ પકડે તો ગભરાયા વગર જોરશોરથી બૂમાબૂમ કરવી જોઇએ જેથી આજુબાજુની વ્યક્તિ મદદ માટે દોડી આવે. આ રહી સામાન્ય વાતો પણ અચૂક સુરક્ષા પૂરી પાડે તેવી વાતો છે.

સૌથી અગત્યની વાત એ છે કે જેવું તમને લાગે કે તમારું બાળક મળતું નથી તો તાત્કાલિક એક પણ મિનિટ બગાડ્યા વગર ટી.વી./મીડિયામાં તેનો ફોટો આપી દો અને છાપાંમાં પણ તાત્કાલિક ફોટો આપી દો જેથી કોઇ જુએ તો તમને જાણ કરે. સાથેસાથે પોલીસ સ્ટેશને મિસિંગ રિપોર્ટ લખાવો અથવા એફ.આઇ.આર. લખાવવાનો આગ્રહ રાખો જેથી પોલીસ ત્વરિત ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી શકે. બાળક ગુમ થવાના કિસ્સામાં સમયસર વર્તવું એ બહુ જ મોટી વાત છે કારણ કે ત્રણ-ચાર કલાકના ફેરમાં પણ બાળક ક્યાંયનું ક્યાંય પહોંચી જાય છે.

શાળાના સંચાલકોએ પોતાને ત્યાં આવતાં બાળકોની પૂરેપૂરી માહિતી રાખવી જોઇએ અને શાળાની આસપાસ અજાણી વ્યક્તિઓને જોતાં તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઇએ, શાળાના ચોકીદારો વ્યવસ્થિત હોવા જોઇએ અને જ્યારે પણ બાળક શાળામાં ન આવે તો શાળાના સંચાલકે કે શિક્ષકે બાળકના મા-બાપનો સંપર્ક કરી ખાતરી કરી લેવી જોઇએ કે બાળક ઘરે સુરક્ષિત છે. આ અંગે સંલગ્ન પાસાં અંગે આવતા અંકે વાત કરીશું.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે