નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

જાણો આ સફેદ ઝેરના ફાયદા-ગેરફાયદા


 











જો કસરત ન કરતાં હો અને ખાંડવાળા પીણાં પીતાં હો,તો અઠવાડિયામાં અડધો કિલો વજન વધી શકે છે

વધુ પડતી ખાંડ દાંત માટે ખૂબ જ નુકસાનકારક છે. દાંતમાં થતી કેવિટી માટે ખાંડ જવાબદાર છે. આ ઉપરાંત બિસ્કિટ, ચોકલેટ, કેક વગેરે જેમાં ખાંડ અને સ્ટાર્ચ બંને હોય, તે દાંત માટે બહુ જ નુકસાનકારક છે. કેવિટીને દૂર રાખવો જરૂરી છે કે આપણે ખોરાકમાં કાર્બોદિત પદાર્થો લઇએ.

ગમે તે હોય તો પણ ખાંડ વજન વધારવા માટે કારણભૂત તો ચોક્કસ છે જ. આમ તો તેલ અથવા ઘીમાં ખાંડ કરતાં વધુ કેલેરી આવેલી છે, પરંતુ રિફાઇન્ડ ખાંડ ખાવાથી શરીરમાં તેનો સ્ટોરેજ ઝડપથી થઇ જાય છે અને એ તો હકીકત છે કે ખાંડવાળી વાનગીઓમાં કેલેરી પુષ્કળ આવેલી છે.

નાનાથી માંડી અને વૃદ્ધો સુધી દરેકનું ગળપણ પ્રત્યેનું ખેંચાણ અનોખું જ રહ્યું છે. આપણે ત્યાં સરેરાશ કેટલી ખાંડનો વપરાશ થાય છે તે તો કદાચ કહેવું અઘરું છે, પરંતુ જે પ્રમાણે મીઠાઇની દુકાનો ખુલતી જાય છે અને ત્યાં જે ભીડ હોય છે તે જોઇને આપણે લોકોનો ગળપણ પ્રત્યેનો પ્રેમ જાણી શકીએ છીએ. તે ઉપરાંત ચોકલેટ અને કેકનું પણ ધૂમ વેચાણ થાય છે. આઇસક્રીમ માટે તો એમ કહેવાય છે કે કોઇ આઇસક્રીમ દુનિયામાં ત્યારે જ ચાલે જ્યારે તેને ગુજરાતીઓ પાસ કર્યો હોય. કોઇ પણ નવા આઇસક્રીમ સૌથી પહેલાં ગુજરાતમાં મૂકાય છે.

શું ખાંડ ખરેખર ખરાબ છે? ખાંડનો સૌથી મોટો ગુનો એ છે કે તેનાથી ડાયાબીટિસ થાય છે. શું ડાયાબીટિસ ફક્ત ખાંડથી જ થાય છે? જેઓ ખાંડ લેવાનું બંધ કરે તેમને શું ડાયાબીટિસમાં રાહત થાય છે? ખરેખર તો ગુજરાતીઓ દેશમાં સૌથી વધુ તેલનો વપરાશ કરે છે અને ઓછામાં ઓછો વપરાશ અનાજ પાછળ કરે છે.

ખાવાની ખોટી રીતભાત અને અનિયમિત જીવનશૈલીને કારણે આજે ગુજરાતીઓમાં ડાયાબીટિસનું પ્રમાણ વધતું જાય છે. કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય એવા ખોરાકથી તમારો ‘glycemin Index’ વધે છે. આવા ખોરાકમાં ખાંડ ઉપરાંત વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને ચોખા આવી જાય છે. એવું માનવામાં આવે છે કે જો High glycemin food જેમ કે, મેંદો કે ખાંડ વધુ પ્રમાણમાં વાપરો તો ડાયાબીટિસ કે હાઇ બ્લડપ્રેશર થઇ શકે છે.

ગમે તે હોય તો પણ ખાંડ વજન વધારવા માટે કારણભૂત તો ચોક્કસ છે જ. આમ તો તેલ અથવા ઘીમાં ખાંડ કરતાં વધુ કેલેરી આવેલી છે, પરંતુ રિફાઇન્ડ ખાંડ ખાવાથી શરીરમાં તેનો સ્ટોરેજ ઝડપથી થઇ જાય છે અને એ તો હકીકત છે કે ખાંડવાળી વાનગીઓમાં કેલેરી પુષ્કળ આવેલી છે. જેમ કે, ઠંડા પીણાંની ૩ બોટલ જો પાણીના બદલે લેવામાં આવે તો તેમાં તમે શરીરમાં લગભગ ૪૫૦ કેલેરી એક્સ્ટ્રા નાખી દો છે.
જો એ રેગ્યુલર ખોરાક ખાય અને કસરત વ્યવસ્થિત ન કરતાં હોય તો આવા વ્યક્તિ રોજના ૩ બોટલ ઠંડા પીણાંની લે તો અઠવાડિયાનું અડધો કિલો વજન વધારે છે. આપણી વાનગીઓ બનાવવાની રીત જ એવી છે કે જ્યાં ખાંડ આવે ત્યાં તેલ, ઘી વધુ આવે જ. જેમ કે બિસ્કિટ, કેક, આઇસક્રીમ, ચોકલેટ વગેરે બધામાં જ ખાંડ અને ફેટનું પ્રમાણ વધારે આવે જ છે.
આ ઉપરાંત, No fat or No Sugar વાળી વસ્તુઓ દરેક વખત ખાવાલાયક નથી હોતી. જેમ કે, No Fat વાળી વસ્તુઓમાં સ્વાદ માટે વધુ ખાંડનો ઉપયોગ થાય છે, તે જ રીતે No Sugar વાળી મીઠાઇ કે ચોકલેટમાં Sugar Substitues આવે છે જે નુકસાનકારક હોય છે.
વધુ પડતી ખાંડ દાંત માટે ખૂબ જ નુકસાનકારક છે. દાંતમાં થતી કેવિટી માટે ખાંડ જવાબદાર છે. આ ઉપરાંત બિસ્કિટ, ચોકલેટ, કેક વગેરે જેમાં ખાંડ અને સ્ટાર્ચ બંને હોય, તે દાંત માટે બહુ જ નુકસાનકારક છે. કેવિટીને દૂર રાખવો જરૂરી છે કે આપણે ખોરાકમાં કાર્બોદિત પદાર્થો લઇએ. આનાથી મોંમાં ઉત્પન્ન થતાં રસ ખાંડ અને સ્ટાર્ચને દાંતમાં જમા થતાં રોકે છે. બાળકો જ્યારે વધુ ખાંડ લે છે ત્યારે તેઓ વધુ પડતાં એક્ટિવ થઇ જાય છે અને તોફાન કરે છે. વધુ પડતાં ખાંડવાળા પીણાં બાળકોને હાઇપર એક્ટિવ બનાવી શકે છે.
ઘણા લોકો માને છે કે કસરત કરતાં પહેલાં અથવા પછી જો ખાંડવાળા પીણાં પીવામાં આવે તો તે વધુ એનર્જી આપે છે. જે દરેક વખતે સાચું નથી કારણ કે શરીરને એનર્જી સ્નાયુ અને લીવરમાં સ્ટોર થયેલું ગ્લુકોઝ આપે છે. કસરતના પહેલાં કલાકમાં કાર્બોદિત પદાર્થો (ખાંડ નહીં.) જે કસરતના અમુક કલાક પહેલાં લેવામાં આવ્યા હોય તે એનર્જી આપે છે. ફક્ત મેરેથોન જેવી રમતમાં એ જ સમયે ખાંડ લેવામાં આવે તો મદદરૂપ થાય છે.
ટૂંકમાં, ખાંડથી શરીરને સ્વાદ સિવાય કોઇ ખાસ ફાયદો નથી. સમતોલ આહાર જેટલો જરૂરી છે એટલી જ સમતોલ માત્રામાં ખાંડ પણ જરૂરી છે. ખાંડ જો ફક્ત સ્વાદ પૂરતી અથવા દિવસની ૧-૨ ચમચી લેવામાં આવે તો સ્વાદ સંતોષે છે અને નુકસાનકારક નીવડતી નથી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે