નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ના હોય! મધનાં આટલાં બધાં ફાયદા છે,જાણો..

 
- મનુકા વૃક્ષના ફુલમાંથી બનતું આ મધ દરેક દર્દનું અક્સીર ઈલાજ છે

કહેવાય છે ને કે કલ્પવૃક્ષની નીચે બેસીને કરવામાં આવેલી દરેક ઈચ્છા પુરી થાય છે. પણ આજસુધી આવા કોઈ વૃક્ષની ખોજ થઈ જ નથી. પણ હાલમાં જ એક એવા વૃક્ષ વિશે શોધ થઈ છે જેમાં પ્રકૃતિની એક અનોખી ખાશિયત છે. આ વૃક્ષની ખાશિયત તેના ફૂલોમાં છુપાયેલી છે. કારણકે આ ફૂલમાંથી બનેલું મધ વિશ્વનું સૌથી મહત્વનું એન્ટીબાયોટિકનું કામ કરે છે.

આ અદભૂત લક્ષણો ધરાવતા વૃક્ષનું નામ મનુકા છે. જે ન્યૂઝિલેન્ડના જંગલોમાં જોવા મળે છે. વેલ્સ યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનથી માલુમ પડ્યું છે કે આ ફૂલોમાંથી બનેલું મધ ખુબ જ અસરદાર છે. આ મધને મધમાખીઓ ન્યૂઝિલેન્ડના મનુકા વૃક્ષોના પરાગરજમાંથી બનાવે છે. આખી દુનિયામાં દરેક પ્રકારના દર્દના ઈલાજ માટે વાપરવામાં આવે છે.

શોધકર્તાઓએ જણાવ્યું હતું કે, મનુકા વૃક્ષના ફુલોમાંથી બનેલા મધમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ઘણી વધારે છે. તેને હોસ્પિટલમાં જોવા મળતાં કેટલાંક ખુબજ જટલી બેક્ટેરિયાથી લાગતા ઈન્ફેક્શન સામે લડવામાં અસરદાર સાબીત થયું છે.

આ મધ બેક્ટેરિયીને કોશિકાઓ સુધી પહોંચતા અટકાવે છે જે કોઈપણ પ્રકારનાં ઈન્ફેક્શનની સૌથી પહેલું સ્ટેપ હોય છે. આ પ્રયોગથી એ સંકેત પણ મળ્યાં છે કે દવાઓને બેઅસર કરનારા ઈન્ફેક્શનનો ઈલાજ આ મધથી થઈ શકશે. આ મધનો ઉપયોગ એન્ટીબાયોટિક દવાઓ સાથે મેળવીને કરવામાં આવે તો તે અસરદાર સાબિત થઈ શકે છે.

આ ઉપરાંત આયુર્વેદની દ્રષ્ટિએ પણ મધ અત્યંત અસરકારક માનવામાં આવે છે

મધના ઉપયોગો


-સામાન્ય મધના પણ કેટકટલાય ગુણો છે

-તમારા ચહેરાનો રંગ નિખારે છે મધ

-સ્વાસ્થ્ય વર્ધક દવા છે મધ દૂધમાં ઘોળી પીવાથી બીમારીઓ દુર રહે છે

-નાના બાળકની પાચન શક્તિ વધારે છે મધ-ડાયાબીટીસના દર્દીઓ ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરી શકે છે.

-શરીરનો રેજિસ્ટન્સ પાવર વધારવામાં પણ અકસીર છે મધ

 

Comments